SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ चाहमान भर्तृवना हांसोटना ताम्रपत्रो ભાષાન્તર પં. ૧ મોટા લશ્કરથી જે ઉન્નત છે, જેણે પિતાને પ્રદેશ શણગાર્યો છે, જે જયને આધારભૂત છે અને જે મેરૂ જેવું છે, એ ચાહમાન વંશ જય પામે. પં. ૨-૯ તે વંશમાં શ્રી મહેશ્વરદામ નામને રાજા ઉત્પન્ન થયે, જેણે પિતાના થર પરાકમથી દિશાઓ ઉપર હુમલો કર્યો હતો, અનેક લડાઈમાં જેને હાથ સામા પક્ષના હાથીના કુંભસ્થળને નાશ કરનાર હતું, અને જેણે દુશ્મનના આખા પક્ષ (નાશ કર્યો હતે). તેને પુત્ર શ્રી ભીમદામ હતો, જેણે પોતાને પ્રતાપ આખા ભૂમડલમાં પ્રકટ કર્યો હતો, જેને પરાક્રમમાં જ રસ પડતો હતો અને જેના કમળ જેવા બન્ને પગ અનેક રાજાઓના મુગટમાંનાં મણિનાં કિરણોથી ચળકતા હતા. તેને પુત્ર ભર્યું હતું, જેના કમલ જેવા પગ અનેક ખંડિયા રાજાના મુગટની કોરથી ઘસાયા હતા અને જેણે આખું ભ્રમણ્ડલ જિતી લીધું હતું. તેનો પુત્ર પરમ માહેશ્વર શ્રી હરદામ હતું, જેણે વાદળાં ગયા પછી આકાશમાં ચંદ્રનાં કિરણે જેવી ચળકતી કીર્તિવડે ત્રણે જગતને ઉન્મત્ત બનાવ્યાં હતાં, અને જેના કમલ જેવા પગ તેની પાસે નમતા રાજાઓનાં મસ્તકથી સાફ થઈ ગયા હતા. તેને પુત્ર પ્રભટદેવ હતા, જેણે બધા દુશમનના પ્રદેશની કીર્તિ મેળવી હતી અને જેણે ચંદ્રનાં કિરણ જેવી શુદ્ધ કીર્તિથી સકલ ભુવનને ધળું બનાવ્યું હતું. પં. ૧૦-૧૧ તેને પુત્ર પરમ માહેશ્વર શ્રીમદ્ ભતૃવ જેણે બધા તેવી જ રીતે રાષ્ટ્રકૂટ મહારાજાધિરાજ ધુવરાજે વત્સરાજને મેરૂના મધ્ય ભાગમાં હરા, એમ લખ્યું છે. નાગભટ ૧ લાએ બલુને હરાવ્યાનું વાલિઅરના લેખમાં લખ્યું છે. આ બધાનો ઉલ્લેખ આઠમી સદીમાં પશ્ચિમ રજપૂતાના ઉપરના મુસલમાન હુમલા સંબંધી હોય, એ સંભવે છે. આ બધા ઉપરથી જેકસનનું કહેવું સારું હોય કે આ રાજાઓ ગુર્જર હતા અને તેનું મુખ્ય ધામ શ્રીમાલ એટલે હાલનું ભિનમાળ હતું. હાંસેટના પતરાંમાંના દાન લેનારનું કુટુંબ તપાસીએ તો જણાશે કે તેના એકાદ પૂર્વજને રાજને કહ્યું છે. તેને અર્થ એમ નથી કે તે રાજ્ય કરતા હતા. પછીની ચાર પેઢીનાં ચાલુ વખાણ કર્યા છે. બીજા રાજાઓ તેને નમતા એમ પણ લખ્યું છે, પણ તેઓ રાજાઓ હતા, એમ ખાતરી આપનારાં વિશેષ નથી. પછી ધ્રુભટદેવ આવે છે, જેને માટે લખ્યું છે કે તેણે પોતાના દરમને પ્રદેશ જિતી લીધો અને આખી દુનિયાને તેની કીર્તિથી જાજવલ્યમાન કરી દીધી. તેને દીકરે આ પતરાંને દાન આપનાર, તેને પહેલો ખંડિયા રાજા વર્ણવ્યો છે. તે ભરૂચમાં રાજ કરતા હતા તેથી એમ માની ન શકાય કે તેના પૂર્વજે પણ ત્યાં રાજ કરતા હતા. તેનું એક કારણ એ છે કે ગુજરે ઈ. સ. ૭૩૬ સુધી સત્તામાં હતા. ગુર્જરે જે મૂળ સૂર્યના ઉપાસકે હતા તે દ૬ ત્રીજે જે સાતમી સદીમાં થયે તેના સમયમાં શૈવ કેમ થયા તે હકીકત ધ્યાનમાં લેવા જેવી છે. તેને દીકરે જયભટ ત્રીજો જેનાં ઈ. સ. ૭૦૬ અને ૭૩૬ નાં દાનપત્રો જાણવામાં છે, તે આ વંશને છેલ રાજા હતો. તેણે પાંચ મહાશબ્દ મેળવ્યા હતા અને મહાસામખ્વાધિ., પતિ હતા. એટલે કે તેનામાં ભવ બીજાના બધા ઈલ્કાબ હતા. આ ઉપરથી એમ કહ૫ના થઈ શકે કે ભરૂચના ગુર્જર વંશને જયભટ ત્રીજાથી અંત આવ્યું અને તેની પછી ચાહમાન રાજા ભવ ગાદીએ આવ્યો, જે ભરૂચના ગુર્જરીની માફક ભિનમાળના ગુરાના તાબામાં હતા ૧ જુઓ આ બાબતની ચર્ચા સ્વ. જેસને કરેલી, બે. ગે.. ૧ પાર્ટ ૧ પા. ૧. ૨ સદર ૫, ૬૭. જુઓ જેસન પા. ૧૧, ૪ ઇ. એ. , ૧૩ પા. ૭૭. 2ષ ૮૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034507
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 03
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1942
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy