SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ નં. ૧૨૫ બા કર્કરાજ સુવર્ણવર્ષનાં સુરતનાં તામ્રપત્રો શ. સં. ૭૪૩ વૈ. સુ. ૧૫ (ઈ. સ. ૮૨૧). આ પતરાં જે પહેલી જ વાર પ્રસિદ્ધ થાય છે તેને ઉલ્લેખ છે. ભગવાનલાલ ઇંદ્રજીએ બેએ ગેઝેટીઅર વ. ૧ પાર્ટ ૧ લામાં કરેલ છે. તેના પા. ૧૨૫ મે તેમાંની ઘેાડી હકીકત આપી છે, પણ કોને અને ક્યાંથી મળ્યાં તે સંબંધી કાંઇ પણ એ માહિતી તેમાં આપી નથી. તેણે તેને સુરતનાં પતરાં કહ્યાં છે, તેથી તે સુરતની આસપાસથી મળ્યાં હોવાં જોઈએ. ડે. ડી. આર ભાંડારકરે તે પતરાં મને પ્રસિદ્ધ કરવા આપ્યાં, તેથી હું પ્રસિદ્ધ કરું છું. પતરાં નંગ ત્રણ છે. તેનું મા૫ ૧૩.૬૪૭૬” છે. જાડાઈ ૧ ઇંચ છે. કેર વાળીને જાડી કરેલી છે. ડાબી બાજુએ બરાબર વચમાં કેારથી ૦.૭ ઇંચ અંદર કાણાં છે તેમાંથી પસાર થતી કીથી પતરાં બાંધેલાં છે. કડી. ૪ ઇંચ જાડી છે અને ૩.૨ ઇંચ તેનો વ્યાસ છે. તેના છેડા ૧.૧૧ ઈંચ વ્યાસની સીલથી જડેલા છે. તેના ઉપર ગરૂડનું ચિત્ર મનુષ્યસ્વરૂપમાં બને બાજુ પાંખવાળું છે. તે પગ વાળીને અને હાથ જોડીને બેઠેલા છે અને પગનાં તળીયાં એક બીજાને અડે છે. તેના ઉપર કોઈ લેખ નથી. લેખ પહેલા અને ત્રીજા પતરાની અંદરની બાજુએ અને બીજાની બન્ને બાજુએ કતરેલ છે. છેલ્લા પતરામાં ૭ લીટી છે, જ્યારે બીજાં બધાંમાં સરેરાસ ૧૮ પંક્તિ છે. અરધે લેખ કેતર્યા પછી જગ્યાને સંકેચ કરવા અક્ષર નાના લખવા માંડ્યા છે અને એક પંક્તિમાં ૩૮ ને બદલે ૫૫ અક્ષર સમાવ્યા છે. પરિણામે ત્રીજા પતરામાં સાત જ પિક્તિ છે. પતરાં સુરક્ષિત છે, કયાંક કયાંક સપાટીમાં જરા નુકશાન થએલું છે, પરંતુ પ. ૪૫ ની શરૂવાતના ભાગ સિવાય બાકી બધો ભાગ વાંચી શકાય છે. પતરાંની સપાટી બરોબર લીસી કરેલી નથી અને તેથી કેટલાક ખાડા અનુસ્વાર જેવા ( જુઓ ને પં. ૧૩) અને કેટલાક વચમાંના સ્વર જેવા લાગે છે (જુઓ રદ પ. ૪૪) કેટલેક ઠેકાણે કેતરનારે ભૂલ સુધારી છે. ૫. ૪૦ માં રવા ના ઘા ને મા કાઢી નાંખે છે. પં. ૫૫ માં નાની ના ને આ કાઢી નાંખે છે. પ. ૫૧ માં જ સુધાર્યો છે અને ઈ કાઢી નાંખીને વાને બદલે જળવા લખેલ છે. રહી ગએલા અક્ષરે આગલા અગર પાછલા અક્ષરની નીચે ઉમેરેલા છે, જેમકે (પં. ર૭ ના ને , ૫. ૩૨ ના મહાસંકુલે ને , પં. ૩૩ ના જwાવાહિ ને , પં. ૩૯ માં તૌચ્ચેન ને એં અને સત્તા ને વ). તેવી જ રીતે પતરાંની નીચે પણ અક્ષરો ઉમેરેલા છે, જેમકે પહલા પતરામાં નીચે માત્તત્તિ અને ત્રીજા પતરા નીચે તથા શાસનારા અને તેન . કેટલીક વાર આ ઉમેરા દર્શાવવા કા૫દ મૂકેલાં છે. પરંતુ પતરાં કરતાં પહેલાં લેખ કરી વાંચ્યો નહીં હોય જેથી શ્લે. ૨૫ માં ચાર અક્ષરો રહી ગયા છે અને કેટલાક અક્ષરે બે વાર લખાયા છે. શબ્દ કાપી નાંખવાના રહી ગયા છે. (જુઓ નેટ ૫. ૩૮, ૪૩, ૪૫, ૪૯ ૫૨, ૫૫ ઈત્યાદિ.) પં. ૩ માંના રનરીજુ ના વ ને આડે લીંટે રહી ગએલ છે જ્યારે પં. ૪૯ માં ના માં ખેટ - ૧ એ. ઈ. વ. ૨૧ પા. ૧૩૩. એ. એસ. અૉકર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034507
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 03
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1942
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy