SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ નં. ૧૧૮ જયભટ ૩ જાનાં તામ્રપત્રો ચે. સં. ૪૮૬ આષાઢ સુ. ૧૦ થોડા મહીનાઓ પહેલાં ભરૂચના ડેપ્યુટી એજ્યુકેશનલ ઈન્સ્પેકટર રાવસાહેબ ગોપાલજી જી. દેસાઈએ બે તામ્રપત્રેની છાપ મને મેકલી હતી. આ પતરાં એમને કાવીના પ્રાચીન શહેરમાંથી સરકારી કામે ગયા હતા ત્યારે થોડા વખત માટે મળ્યાં હતાં. કાવી શહેર મહી નદીની દક્ષિણે થોડા માઈલ ઉપર ખંભાતના અખાતની નજીક આવેલું છે. આ પતરાંઓને ઇતિહાસ નીચે મુજબ કહેવાય છે – કાવીમાં ગંગેશ્વર મહાદેવના મંદિર પાછળના એક મકાનને જોડેલી એક પાણીની ટાંકી પાચ અગર છ વર્ષ પહેલાં સાફ કરી હતી. તેના કચરામાંથી તળીએ પહેલાં સાત લખેલાં તામ્રપત્ર મળી આવ્યાં હતાં. કપિલેની જ્ઞાતિએ આ પિતાના કબજામાં લઇ લીધાં હતાં. જયટના દાનવાળા પતરામાં તેને છેવટને અર્ધો ભાગ આપ્યો છે. મૂળ તે પતરું ૧૦ ઉંચ ઉંચાઈ અને ૧૩ ઈંચ પહોળાઈ વાળું હતું. પણ તેની ડાબી અને જમણી બાજુએથી મેટા ટુકડાઓ ભાંગી ગયા હોવાથી બાજુઓ અર્ધ ગળાકારની થઈ ગઈ છે. સુભાગ્યે ભાંગી ગએલા ભાગમાં દાતાના પ્રશંસાયુક્ત વિશેષણે, તથા દાન આપનારને આશીવાર્દ અને લઈ લેનારને શાપના મહાભારતના પ્રખ્યાત લેકે હેવાથી મોટું નુકશાન થયું નથી. પરંતુ તારીખ, લેખકનું નામ તથા દાતાની સહિ એ બગડી ગયાં છે, એ શેચનીય છે. પતરાંમાં ઘણી ખાંચે પડેલી ડાવાથી તે બેદરકારીના ભાગ થયાં હોય એમ લાગે છે. ૨૦ મી અને ૨૨ મી પંક્તિઓના કેટ લાક અક્ષરા એટલા બધા દાબીને કેતર્યા છે કે તે પતરાંની બીજી બાજુએ ઉઠયા છે. પાછળની બાજુએ થોડાક અસ્પષ્ટ અક્ષરેની થોડી પંક્તિઓ જણાય છે, તે ઉપરથી એમ લાગે છે કે કેતરનારે કદાચ એ બાજુએ પિતાનું કામ શરૂ કર્યું હતું, પણ પછી તે પ્રયાસ છોડી દીધું હતું. પતરાંને કાટ લાગ્યું નથી. અક્ષરો છેવટના વલભી રાજાઓ, એટલે ધરસેન ૪ થાનાં દાનપત્રો અને પ્રોફેસર ડસન અને ભાંડારકરે પ્રસિદ્ધ કરેલાં ગુર્જરનાં પતરાંઓની લિપિ સાથે મળતા આવે છે. જયભટનું દાનપત્ર ભગ્નાવસ્થામાં હોવા છતાં પણ અત્યાર સુધીમાં મળી આવેલા લેખમાં સૌથી વધારે મહત્વનું છે. કારણ કે, ગુર્જર વંશના આપણું જાણવામાં આવેલા બીજા રાજા વિષે સપ્રમાણ હકીકત આપવા ઉપરાંત તે ગુર્જર રાજ્યને ઇતિહાસ વલભીના ઈતિહાસ સાથે છેડે છે. તેમાં ભૂગળની જાણવાજોગ હકીકત આપી છે. તે વિક્રમાદિત્યના સંવ વિષેના કેટલાક તકે જે હાલના કેટલાક પ્રખ્યાત પુરાતન વસ્તુવિદ્યાના પ્રવીણે પણું કબૂલ કરે છે, તેને અસત્ય ઠરાવે છે, અને હિંદુસ્તાનના મૂળાક્ષરોના ઈતિહાસમાં તે ઉપયોગી ફળ આપે છે. પહેલા મુદ્દાની બાબતમાં હું ધારું છું કે ઈ. સ. ની પાંચમી સદીમાં ભરૂચ ઉપર રાજ્ય કરતા ગુર્જર વંશમાં જયભટ થયું હતું, એ વિષે શંકા નથી. જયભટના લેખોની ભૌગોલિક હકીકતે તેના કાલક્રમની હકીકત જેટલી જ જાણવા લાયક છે. પ્રોફેસર ભાંડારકરના દાનપત્રની જેમ આમાં બતાવેલાં લગભગ બધાં ગામડાં ઓળખાવી શકાય તેમ છે. કેમજુ ગામ હાલનું કિમેજ અથવા કીમજ છે. કીમજથી સીધું પશ્ચિમ દિશામાં પાંચસે છ વાર દૂર આસમેશ્વર, આપણું દાનપત્રના આશ્રમદેવનું મંદિર છે. હાલનું મંદિર થોડાં વર્ષો પૂર્વે બંધાવેલું ઇંટનું હાનું મકાન છે, પણ તેમાં એક પ્રાચીન લિફ છે, અને તેની ૧ ઈ. એ લો. ૫ પા. ૧૦૯ ૩૦. પુડ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034506
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy