________________
१३९
गोविन्द ४ थानां खंभातनां ताम्रपत्रा પાછળથી તેને ધર્મપાલે હરાવ્યું અને કાન્યકુજના રાજાને ફરી ગાદી ઉપર બેસાર્યો. આ તામ્રપત્રમાં કાન્યકુજના રાજાનું નામ ક્ષિતિપાલ અથવા મહીપાલ આપેલ છે, અને તે ચાંદેલા રાજા હર્ષવર્ધનની મદદથી પાછે ગાદીએ આવ્યો. આ ઉપરથી એમ સંભવ છે કે કાન્યકુજના રાજાને ફરી ગાદી ઉપર બેસારવામાં હર્ષવર્ધન તેમ જ ધર્મપાલ એ બન્નેને હાથ હોય.
ભાગલપુરના તામ્રપત્રમાં જે કાન્યકુબ્સના રાજાને ઇન્દ્ર હરાવ્યું તેનું નામ ચકાયુધ આપિલું છે. નવસારીનાં તામ્રપત્રોમાં ઇન્દ્ર ઉપેન્દ્રને હરાવ્યું એમ આપેલ છે તેથી એમ સંભવે છે કે ક્ષિતિપાલનાં બિરૂદ તરીકે ચકાયુધ અને ઉપેન્દ્ર શબ્દો હોવા જોઈએ.
વળી આ તામ્રપત્ર ઉપરથી એમ પણ સિદ્ધ થાય છે કે કનિગહામ અને પ્રો. કોર્ન ધારે છે તેમ ધર્મપાલ ૯ મી સદીની શરૂવાતમાં નહીં, પણ દશમી સદીની શરૂવાતમાં રાજ્ય કરતે હવે જોઈએ. દેવપાલદેવના મુંગીરના તામ્રપત્રમાં ધર્મપાલ રાષ્ટ્રકૂટ શ્રી પરવલની દીકરી રણુદેવીને પરણ્ય એમ આપેલ છે. પ્રો. કીહાને શ્રી પરવલને શ્રી વલ્લભ તરીકે સુધારે છે. તેથી ધર્મપાલને સસરો કૃષ્ણ બીજે હવે જોઈએ. (ઈન્દ્ર ૩ હાય નહીં, કારણ તે સસરજમાઈ આમ લડે નહીં.)
(શ્લોક ૨૦ ) ઇન્દ્ર ત્રીજે હૈહય અગર ચેદી વંશની વિજામ્બાને પરણ. તેનાથી ગોવિંદ ૪ થે જપે. તેનું સ્વરૂપ કામદેવથી પણ અધિક હતું. (ાક. ૨૧ ) શ્લોક ૨૨ માં ગોવિંદ ૪ થાના કરેલા બચાવ ઉપરથી તેમ જ દેવળી, કરહાડ અને ખારપાટણના તામ્રપત્રોમાં ગોવિંદ ૪ થાનું જે વર્ણન આપ્યું છે તે ઉપરથી સમજાય છે કે (૧) ગોવિંદ ૪ થે વિષયી રાજા હતે. (૨) તેની પ્રજા તથા ભાયાતે નારાજ થયા અને અરિકેશરિન બીજા વિગેરેએ બંડ ઉઠાવ્યું અને ગોવિંદને માર્યો અને તેના કાકા અમેઘવર્ષને ગાદીએ બેસવા વિનતિ કરી. વળી તેમાં લખ્યું છે કે તે પોતાના મોટાભાઈ પ્રત્યે ધાતકી રીતે વર્યો નહોતે, પણ તે મોટાભાઈ અમોઘવર્ષ (બીજા)ના રાજ્ય કરવાના ટુક સમયનો ખ્યાલ કરતાં એમ સંભવિત લાગે છે કે તેને ઘાતકી રીતે ગોવિંદ ૪ થાએ માર્યો હશે, અગર મારે એવી યુક્તિ પ્રયુક્તિ કરી હશે. શ્લોક રર ની છેલી પંક્તિમાં ગોવિંદ ૪થાને તેનાં પરાક્રમોને લીધે સાહસક કહ્યો છે અને બ્લેક ર૩ માં આપેલ છે કે તેનું નામ પ્રભુતવર્ષ હતું. પણ સોનાનાં અનેક દાન આપવાથી તેનું ખરું નામ સુવર્ણવવું પડ્યું હતું. લોક ૨૮ માં ગંગાયમુના તેના મેહેલમાં સેવા કરતાં, એમ લખ્યું છે, તેને અર્થ એમ લેવે જોઈએ કે ઉત્તરના કેઈ રાજાને હરાવીને ગંગા અને યમુનાનાં લાંછન પિતાના દવજ ઉપર મેળવ્યાં હતાં.
દાનપત્રમાંનાં સ્થળો પૈકી કેવશ્વ તે હાલનું કિમોજ અગર કિમજ છે. કાવિકા તે કવિ અને સીકગ્રામ તે હાલનું સિગામ અગર શીગામ છે. આ દાનપત્રમાં કાવિકાને મહાસ્થાન (પવિત્ર સ્થાન) લખ્યું છે તેથી તે ૧૦ દશમી સદીથી યાત્રાનું સ્થળ હોવું જોઈએ. દાનમાં અપાએલા કેવજને લાદેશના ખેડા પરગણામાં આવેલું એમ લખ્યું છે તેથી લાટમાં ખેડાને સમાવેશ થતો હતા એમ અનુમાન થાય છે. ડે. બુલર અને ડે. ભગવાનલાલ ધારે છે તેમ લાટ મહી અને તાપી વચ્ચે જ પ્રદેશ નહીં, પણ ડે. હુશ ધારે છે તેમ ઉત્તરમાં શેરી અથવા શેઢી સુધીને પ્રદેશ હવે જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com