________________
१०६
गुजरातना ऐतिहासिक लेख દાન આપનાર રાજા કૃષ્ણરાજ ૨ ને હતે. તેનું બીજું નામ અકાલવર્ષ હતું. તે અંકુલેશ્વરમાં રહેતો હતો. શક સંવત ૮૧૦ ના ચૈત્ર વદ અમાવાસ્યાને દિવસે સૂર્ય ગ્રહણ સમયે તેણે બે બ્રાહાણેને કવિઠશાધિ ગામ દાનમાં આપ્યું હતું. એ કોંકણ પ્રાંતમાં આવ્યું હતું. તેની પશ્ચિમે વરિઅવિ બંદર, ઉત્તર વસુહારિક ગામ આપ્યાં હતાં.
પહેલાંના રાષ્ટ્રફિટ અને આ કૃષ્ણ વચ્ચે શો સંબંધ હતા, એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. તે કાઈ નવીન શાખાને હવે જોઈએ, કારણ કે જ્યારે છેલ્લા બે ગુર્જર રાઠેડ રાજાઓ, જેઓના લેખે આપણુ પાસે છે. તેઓ ભરૂચમાં રહેતા હતા ત્યારે આ કૃષ્ણ અંકલેશ્વરમાં રહેતા હતા. પરંતુ ભરૂચ અને અંકલેશ્વર વચ્ચેનું તદ્દન થોડું અંતર, તથા એ બે રાજાઓમાંને બીજે તેઓની રાજધાની અંકલેશ્વરથી ઉત્તરમાં આવેલી હતી છતાં અંકલેશ્વરની દક્ષિણે ઘણે દૂર એક ગામનું દાન કરી શક હતો, એ હકીકત ધ્યાનમાં લેતાં જણાય છે કે કૃષ્ણ ૨ જે અકાલવર્ષ, ધ્રુવ ૩ જાને સીધે વંશજ હશે અને ધ્રુવ ૩ જાના સમય પછી, ભરૂચ ગુજરાતના રાઠેડોનું મુખ્ય શહેર મટી ગયું હતું. એટલે રાજા દક્તિવર્મન જે કૃષ્ણ ૨ જાને પિતા હવે જોઈએ, તેણે શક ૭૮૯ નં. ૩ ની તારીખ, અને શક ૮૧૦ આ દાનપત્રની તારીખ વચ્ચેના સમયમાં રાજ્ય કર્યું હોવું જોઈએ. ઉજજૈન ઉપર એક ગુર્જર રાઠેડ રાજાએ – ઘણે ભાગે કૃષ્ણ ૨ જાએ પિતે કરેલી ચઢાઈ પણ એ જ સમયમાં હોવી જોઈએ, અને તે ૫રમારો ઉજજૈનની ગાદીએ આવ્યા તેની પણ પહેલાં કદાચ હોય. રાજા વલભને આ લડાઈના પ્રેક્ષક તરીકે બતાવ્યો છે એથી દેખાય છે કે કૃષ્ણ પોતાના પૂર્વગામીઓની માફક કોઈ ચક્રવર્તિ સત્તા- કદાચ માન્યખેટ અગર મા ખેડના રાષ્ટ્રકુટે–ને સામંત હતે.
અસંખ્ય શબ્દ તથા ભૂલે ઉપરથી આ દાનપત્રના ખરાપણ વિષે શંકા થાય એવું છે, પરંતુ મસ્ટરના પ્રોફેસર જેકેબીએ ગણત્રી કરી બતાવી આપ્યું છે કે દાનપત્ર જાહેર થયાની તારીખે તદ્દન સ્પષ્ટ રીતે નજરે પડતું સૂર્યગ્રહણ થયું હતું. એટલે આ દાનપત્રનું ખરાપણું નિઃસંશય પણે સાબીત થાય છે, શબ્દલપે સ્થળસંકોચને લીધે હાય, અને ભૂલે લેખકના અધુરા જ્ઞાનને લીધે હાય, એમ પણ સંભવિત છે.
------
-
-
---
---
૧ આ ઉપનામ દવિદુર્ગાનું પણ હતું. ૨ હાલનું અંકલેશ્વર. સ્વર “ ઊ ” દીર્ધની ભૂલ કરનારની નથી, પણ તે શહેરના જૂના નામની સુચના કરે છે, જે અરેવર હતું એમ છે. બુહાર જણાવે છે. ૩ આ ગ્રહણ ઈ. સ. ૮૮૮ ના એપ્રીલ તા. ૧૫ મીએ હતું. ૪ મારી પાસેના નકશામાં આ ગામો હું શોધી શકતું નથી. પણ છે. મ્યુલહર જણાવે છે તેમ વરિઆવિ સુરત પાસે તાપી ઉપરનું એક મેટું ગામડું હાલનું વરિઆ છે; જ્યારે વસુહારિક રાવસાહેબ મેહનલાલ. આર. ઝવેરી હાલના વસવારી સાથે ઓળખાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com