SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ નં. ૧૩૦ અમેઘવર્ષ ૧ લાનાં સંજાનનાં તામ્રપત્રો શ. ૭૯૩ પૌષ માસ આ પતરાં મુંબઈ ઈલાકાના થાણું પરગણામાંના સંજાન ગામમાંથી કઈ પારસી ગૃહસ્થને મળ્યાં હતાં અને તેણે પ્રો. શ્રીધર ભાંડારકરને આપેલાં હતાં. તેણે જ. બે બ્રે. ૨. એ. સો . ર૨ પા. ૧૧૬ મે તેમાંના બે શ્લોક ઉપર નેટ પ્રસિદ્ધ કરી હતી. તેમાં બતાવવામાં આવ્યું છે. કે રાષ્ટ્રકૂટ રાજા ગેવિદ ત્રીજે, પ્રતિહાર રાજા નાગભટ, કનાજને અધિપતિ ચકાયુધ અને ગૌડ રાજા ધર્મપાલ આ બધા સમકાલીન હતા. રાષ્ટ્રકૂટ અમેઘવર્ષનું આ પહેલામાં પહેલું પ્રમાણ ભૂત તામ્રપત્ર છે. પતરાં ત્રણ છે અને તે દરેક ૧૮ ઇંચ લાંબું અને ૧૦ ઇંચ પહોળું છે, કાર જરા જાડી રાખેલી છે, તેથી લખાણનું રક્ષણ થાય છે. પહેલું અને ત્રીજું અંદરની બાજુએ જ અને બીજું બન્ને બાજુએ કોતરવામાં આવેલું છે. પતરાં મજબુત લંબગોળ કડીથી બાંધેલાં છે. કડી રૂ ઇંચ જાડી છે અને તેને વ્યાસ ક” અને ” છે. પતરાને એક બાજુ કાણુમાંથી કડી પસાર થાય છે. કડીના છેડા રેલા છે અને તે ઉપર ચેરસ સીલ છે જે 19 ઇંચ ઉંચી અને પહોળી છે. સીલમાં ગરૂડની મૂર્તિ છે અને તેના બન્ને હાથમાં સર્ષ છે. ગરૂડના કાનની ઉપર બે તક્તીઓ છે પણ તે શું છે તે કપી શકાતું નથી. ગરૂડની જમણી બાજુ ઉપરને ખૂણે ગણપતિ અને નીચેના ખૂણે પીંછી અને દીવે છે. ડાબી બાજુ એ ઉપરના ખૂણે દેવી છે જે સિંહની પાસે ઉભેલી છે અને જમણા હાથમાં સૂવે છે. તેની નીચે પછી છે અને તળે સ્વરિતક છે. વચમાં નીચે શ્રીનગમોરવઈવ એ અક્ષરો છે. કેતરકામ સ્પષ્ટ અને સાદી રીતે કરવામાં આવેલ છે. પણ મુત્સદ્દામાં ભૂલ હશે તેથી પતરામાં પણ ભૂલો ઘણી છે. અક્ષરે રાષ્ટ્રકટના બીજા લેખોના અક્ષરોને મળતા આવે છે. ભાષા આખા લેખમાં સંસ્કૃત જ છે. શરૂવાતના છે અને સ્વસ્તિ બાદ કરીએ તે બાકીને લેખ ૫. ૫૭ ( ત્રીજા પતરામાં) સુધી બધે પદ્યમાં છે. લોક ૨૩ અને ૩૯ ના છંદ મત્તેવિકીડિત છે, જે સાધારણ રીતે સાહિત્યમાં જોવામાં આવતું નથી. આ લેખના કેટલાક લોકો પ્રો. કલહેર પ્રકટ કરેલ અમોઘવર્ષના કેનનુરના લેખના શ્લોક સાથે મળતા આવે છે. આ લેખના ૨, ૩, ૬, ૮, ૧૦-૧૨, ૨૭, ૨૯, ૩૬, ૪૫ અને ૫૦-૫૩, તેના ૨ થી ૧૫ શ્લોકની સાથે મળતા આવે છે. રાષ્ટ્રફિટ રાજા અમેઘવર્ષે આ દાન કરેલ છે અને તેને પ. ૫૭-૫૮ માં પરમભટ્ટારક, મહારાજાધિરાજ, પરમેશ્વર જગતુંગદેવના પાદાનુધ્યાત, પરમભટ્ટારક મહારાજાધિરાજ, પરમેશ્વર પૃથિવીવલ્લભ, વલભનરેન્દ્રદેવ એમ વર્ણવ્યું છે. અમોઘવર્ષ પિતાની રાજધાની માન્યખેટમાં રહેતા હતા ત્યારે શક સં. ૭૯૩ માં બલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહોત્ર અને અતિથિતર્પણ ક્રિયા માટે સંજાન પાસેની ચોવીસીમાંથી ઝરિવલિકા ગામ ચાર બ્રાહ્મણને આપ્યાની હકીકત તેમાં છે. દાન લેનાર બધા બ્રાહણે બહવૃચ શાખાના છે. તેમાંના બે (૧) સાવિકુવારના પૌત્ર અને પતંગવિદ્ ગેલનો દીકરે નરસિહ દીક્ષિત અને ( ૨) ભટ્ટને પૌત્ર ગોવિંદ ભટ્ટને દિકરે કમવિદ્ રક્ષાદિત્ય ભરદ્વાજ ગોત્રના હતા. ત્રીજે દાવંડ ગહિયસડાસને પૌત્ર વિષ્ણુભટ્ટો દીકરો ષડંગવિદ્ ત્રિવિક્રમ વમુખ ગોત્ર હતું અને થો હરિભટ્ટને પૌત્ર ગેવાદિત્યભટ્ટને દીકરો કેશવ-ગડિયસહાસ વત્સ ગેત્રને હતે. તે બધા કરહાડ પરગણુના હતા અને કદાચ કરહાડા બ્રાહ્મણ હશે. ૧ એ. ઈ. તા. ૧૮ ૫ ૧૩૫ પ. ડી. આર. ભાષા ૧ છે. ઈ , ૧ ૫, ૧૯ - - - - - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034506
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy