SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ गुजरातना ऐतिहासिक लेख (૧૧) જ્યારે તે વલલભરાજ સ્વર્ગમાં ગયો ત્યારે પ્રજાનાં દુઃખ કાપનાર, શ્રી કડક રાજને પુત્ર શ્રી કૃષ્ણરાજ નૃપ થયો. = (૧૨) તે કૃષ્ણરાજનું ચરિત, જે દરમ્યાન પોતાના બાહુબળથી સર્વ શત્રુમંડળને સંહાર થયો હતો, તે કૃષ્ણ(હરિ)ના ચરિત સમાન નિષ્કલંક હતું. ' (૧૩) શુભતંગ કુષ્ણરાજ ) ના મહાન અથી ઉડેલી રજથી સૂર્યનાં કિરણે રોકાતા હતાં તે આખું ચોમ ગ્રીષ્મમાં પણ વર્ષો ઋતુના નભ સમાન સ્પષ્ટ ભાસતું હતું. (૧૪) અકાલ વર્ષ (અકાળે વૃષ્ટિ વરસાવનાર) કૃષ્ણરાજ, સહસા દીન, અનાથ અને અનુરાગીઓની ઈચ્છિત ફળની વૃષ્ટિ વેચ્છા પ્રમાણે તેમનાં દુઃખ હરવા નિરંતર કરતો. (૧૫) બાહુબળના મદવાળા રાહ૫ને તેની અસિની તીક્ષણ ધારાના પ્રહારથી યુદ્ધમાં હરાવી પાલિવથી ઉજજવળ થએલા રાજાધિરાજ અને પરમેશ્વરના પદની સત્વર પ્રાપ્તિ કરી. (૧૬) પ્રબળ શત્રુઓની મહાન ગજેની ઘટાને મુંઝવતા અને મદથી ફુલાઈ ગએલા શત્રુમંડળને નાશ કરતા દંડ સમાન તેના કરનું રૂપ ક્રોધથી ઉપાડેલી અસિનાં કિરણેથી ચોમેર પ્રકાશતું યુદ્ધમાં જોઈને જ ફક્ત, પરાક્રમના સર્વ ખ્યાલ મૂકી દઈ ભયથી કંપતાં અંગો સહિત તેના શત્રુઓ કયાંક નાસી ગયા. (૧૭) ચાર સાગરથી આવૃત થઈ ભૂષિત બનેલી પૃથ્વીને અને ત્રણ વેદને પણ તે પાલક હતું. તે દ્વિજોને ઘણું ઘી આપતે, દેવને અલંકારિત કરતો, અને ગુરૂઓને માન આપતે. તે દાનિ, ઉદાર, ગુણિમાં પ્રથમ, અને શ્રી સ્વામિ હતો. અને પિતાના મહાન તપનાં ફળને સ્વર્ગમાં ઉપભેગ કરવા તે અમર ધામમાં ગયે. (૧૮) તેને પુત્ર વલલભ નામે વિખ્યાત, સેના ધૂળથી શ્વેતા બનેલા શિર સહિત રવિના કિરણેની ગરમી શત છત્રથી દૂર કરવામાં આવી હતી તેથી નિત્ય લીલાવાળી ગતિથી યુદ્ધમાં જતે, પૃથ્વીને પરાજય કરનાર,* શત્રુઓની પનીઓને વૈધવ્ય આપવામાં દક્ષ, અને પિતાનાં રિપુના મસ્ત ગજેનાં કુલ્લે રણમાં ક્ષણું વારમાં ભેદનાર શ્રી ગોવિંદરાજ હતે. (૧૯) તેને અનુજ શ્રી ધ્રુવરાજ મહાપ્રતાપી અને અસહ્ય પરાક્રમવાળે, સર્વ નૃપને પરાજય કરી, નવ ઉદય પામતા રવિ સમાન ક્રમે પ્રકાશ પ્રાપ્ત કરનાર હતા. (૨૦) અને જ્યારે તે રાષ્ટ્રને અલંકાર, ઉત્તમ નૃપને મુગટમણિ થયે, અને જ્યારે તે ધર્મા, અમૃત ગુણના નિધિ સમાન અને સત્યવ્રત પરાયણ નૃપ પૃથ્વી પર સાગરનાં કિનારા સુધી રાજ્ય કરતા ત્યારે ખચિત ! ખરે ખર ! અખિલ જગતને અતિ આનન્દ થયે. ત પ્રસન્ન થતા ત્યારે બધુજનના મંડળને અનુરંજી, તેનું સર્વસ્વ અર્થ જાને આપતેઃ (અને ) જ્યારે તે વીર દેધિત થતા ત્યારે સહસા યમના પણ પ્રાણ હરી લેતે. (૨૨) ચાર સાગર સહિત પૃથ્વીનું ધર્મ તથા ન્યાયથી રક્ષણ કરીને જનેના હૃદયમાં તેણે અતિ આનન્દ ઉત્પન્ન કર્યો. (૨૩) તેને, તેના વંશને અલંકાર, ઉદાર, પ્રતાપ ધનવાળે, શત્રુમંડળને પરાક્રમથી સંતાપનાર અને પ્રજાને અનુરાગી, અખિલ જગમાં રમ્ય અને અતિ પ્રસરેલા યશ સંપન્ન ગેવિદરાજ નામે પુત્ર હતા. ૧ ડે ફલીટ “શુભતુંગ” નો અર્થ સદભાગ્યમાં સર્વોત્તમ યા તે આગળ પડતો એમ કરે છે. પરંતુ તેને ખરો તરજુમે ધર્મવાન તું” એમ થશે. (એઈ. વ.૪પા.૨૭૯) ૨ “પાલિક્વજ’ શબ્દની સમજુતી માટે જુઓ ઈ. એ. -૧૪,૧૦૪ ૩ પ્રસિદ્ધ થએલાં કાનપત્ર, જેમાં આ મોક આવે છે તેમાં મૂર્તિ સા’ એમ વાંચન છે. મારી પાસે ગુજરાતના રાષ્ટ્રકટ રાન ધ્રુવ બીજાનું એક અપ્રસિદ્ધ દાનપત્ર છે, જેનાં વાંચન મૂતિ પામ્’ એ પ્રમાણે આપ્યું છે, જે વધારે સારું વાંચન છે કારણ કે તેનાથી “સ્વા ' માંના ૪ શબ્દની યેગ્યતાનું સમર્થન થાય છે. * નિતનવહિત વૈષચક્ષઃ આને આખે સમાસ ગણુને મહિત ને જાત સાથે જોડવાથી કંઈ સારો અર્થ બેસતું નથી. કારણ કે ભારત કવિઓ જગતના રિપુઓ કરતાં ગોવિંદરાજના શત્રુઓને વર્ણવવાને વધારે સંભવ હોઈ શકે તે બાબતને ઉપર પ્રમાણે લેવાથી વિરોધ થાય. ૫ રાયમતિ' ઉપવાક્યના બીજા અર્થ માટે જુએ ઈ. એ, વો. ૫, પા ૧૫૦ અને ૧૨ ૫ ૧૮૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034506
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy