________________
નં. ૮૦ શીલાદિત્ય ૩ જાનાં તામ્રપત્રો
[ ગુપ્ત ] સંવત્ ૩૪૬ પોષ સુદ ૭ આ પતરાંઓ મળવાનું સ્થળ જણાયું નથી. પરંતુ બેબે ગેઝેટીઅર, . ૧ ભાગ ૧ પા. ૯૨ નેટ ૩ માં જણાવેલા આ સંસાયટીના મ્યુઝીયમમાં અપ્રસિદ્ધ પડયાં રહેલાં બે પતરાંઓ આ જ હોવાં જોઈએ. આ બે પતરાંનું દરેકનું માપ ૧૬” x ૧૨”નું છે. અને ફક્ત અંદરની બાજુએ જ કતરેલાં છે. બે કડીઓમાંથી મુદ્રાવાળી એક કડી મેજુદ છે. અને તે મુદ્રા સહિત ૮ “લાંબી છે. મુદ્રાને માટે વ્યાસ ૨” લંબાઈનો છે.
પહેલા પતરામાં ૩૦ અને બીજામાં કર પંક્તિઓ લખેલી છે. તારીખ ૬૨ મી પંક્તિમાં આપી છે. અને તેમાં ૩૦૦, ૪૦, ૬ અને ૭ ના અંકનાં ચિહો છે. . વલભીના મૈત્રક વંશના શીલાદિત્યે (૩ જ એ ) આપેલું દાન ચાલુ રાખવાની નોંધ આ લેખમાં છે. દાન મેળવનાર પણ બ્રાહ્મણે છે (૧)સમ તે કુશહૃદમાંથી આવ્યું હતું. તે દgલિકને પુત્ર અને છાંદેગ મતને શિષ્ય અને ભારદ્વાજ-ગોત્રને હિતે. (૨)ભક્ટિ હરિને પત્ર
સનેય મતના શિષ્ય. વત્સત્રન, સિંઘપુરનો રહીશ, ગિરિનગરમાંથી આવેલે પિટલેશ્વર (3) તેને પુત્ર નાગ. દાનમાં આપેલી વસ્તુઓઃ-(૧) સુરાષ્ટ્રમાં હસ્તવમાહારમાં આવેલાં ડચામુક ગામમાં ત્રણ ભાગનું બનેલું ૫૦ પાદાવત્તનું એક ક્ષેત્ર; (૨)સિરીશવાપિ નામની વાવ અને (૩) વાતનુમક ગામમાં ૫૦ પાદાવના માપના એક ક્ષેત્રને એક ભાગ.
દાનની તારીખ. ઈ. સ. ૬૬૬ ને મળતા [ ગુપ્તવલભી સંવતનાં ] વર્ષ ૩૪૬ના પૌષ શુદ્ધ ૭ ની છે.
૧ જ, બો. બા. ર. એ. સે. ન્ય. સી
.
પ. ૭૩ ઇ. વી. આચાર્ય,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com