SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ નં૫૭ શીલાદિત્ય ૧ લાનાં તામ્રપત્રો સંવત ર૦ ભાદ્રપદ વદિ ૮ નીચે આપેલ લેખ જે પતરાંઓ પર લખેલે હો તે પતરાં કેટલાંક વર્ષ પહેલાં કાઠિયાવાડમાં ઢાંકમાંથી મળ્યાં હતાં, અને હાલ તે રાજકેટના મ્યુઝીયમમાં રાખ્યાં છે. કર્નલ એલ. બારટન અને મેજર સી. એચ. વુડહાઉસે કૃપા કરી, મને થોડા દિવસ માટે તે પતરાંઓ આપ્યાં હતાં, અને ત્યાર પછી તે પૂનાની ગવર્નમેન્ટ ટેઝિકગ્રાફિક ઓફિસમાં મોકલ્યા હતાં, જ્યાં આ સાથે આપેલી પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી. પતરાંઓનું રક્ષણ બહુ સંભાળપૂર્વક કરેલું છે. અને હમેશનું ચિહ્ન તથા લેખવાળી મુદ્રા હજી તે ઉપર છે. અક્ષરે, જ. જે. એ. સે. . ૧૧ ૫, ૩૬૦ માં પ્રસિદ્ધ કરેલાં પતરાંઓના જેવાજ છે. તે ઊંડા અને સારી રીતે કાપેલા છે. આમાં આવતી લખાણુની ભૂલો તે જ વંશનાં બી પતરાંઓ કરતાં વધારે નથી. એક, રૂપ ને બદલે ની ભૂલ સંસ્કૃત મૂળ રૂપને બદલે પ્રાકૃત લખવાથી થયેલી લાગે છે. દાનપત્રના પહેલા અથવા વંશાવળીના ભાગના શબ્દો શીલાદિત્યનાં પહેલાંના, સંવત્ ૨૮નાં શાસનેના શબને લગભગ મળતા આવે છે. તેથી તેમાં કંઈ નવીન હકીકત નથી. આમાં દર્શાવેલા વલભીના રાજાઓમાં-૧ ભટાર્ક, ૨ ગુહસેન, ૩ ધરસેન ૨ જે, અને ૪ દાન આપનાર શીલાદિત્ય ૧ ઉર્ફે ધર્માદિત્ય છે. ફકત એટલું જ જાણવાજેવું છે કે, ભટાર્કના ચાર પુત્રોનાં નામ છોડી દેનાર પહેલો રાજા શીલાદિત્ય છે. ઘણું કરીને કારણ એ છે કે તેના મંત્રીઓએ વાપરેલાં પતરાંઓ એટલાં બધાં નાનાં હતાં કે રાજાઓની સંપૂર્ણ નેધ, તેઓ દરેકની આવશ્યક પ્રશંસાસહિત, તેમાં આવી શકે નહિ. બીજી રીતે, આ દાનપત્ર કેટલીક જાણવા જેવી બાબતે રજુ કરે છે, પહેલું–જે વિનવાવાજન્ રીઝરમવાના એટલે, “વલભીના દ્વાર આગળ ખુલ્લી જગ્યામાં આવેલા હજ ઉપર અથવા અંદર નાંખેલી વિજયી છાવણીમાંથી,” લખેલું છે, અહિ વિચિત્ર “” શબ્દ જે દેશી જેવો લાગે છે તે કઈક મુશ્કેલી ઉભી કરે છે. આ શબ્દ બીજા કોઈ દાનપત્રમાં મેં જોયો નથી, અને તેના ચેકસ અર્થ વિષે વળામાં તપાસ કરતા કંઈ જાણી શક્ય નથી. પરંતુ પૂર્વાપર સંબંધ ઉપરથી જણાય છે કે તે કઈ લશ્કરી રહેઠાણ, અથવા તે રાજાએ પિતાના તંબુઓ નાંખેલા કે બગીચે હશે. બીજું, દાન લેનાર અવનવ–પતિનિવિણ–હનિવરિત–મહવિલા –“ હરિનાથે અર્પણ કરેલા અને બલવર્માનક-વટપદ્રની સીમામાં વસતા પૂજ્ય મહાદેવ” એ જાણવાજોગ છે-કારણ કે, જે કે બે અપવાદે સિવાય પિતાને માહેર “મહેશ્વરના પરમ ભક્ત” કહેવડાવતા વલભી રાજાઓનાં ઉકેલેલાં અને ઉકેલી શકાય તેવાં વીસેક પતરાંઓ આપણુ પાસે છે, તેપણ રાજાનું દાન લેનાર તરીકે કુળદેવને દર્શાવતું આ પહેલું જ દાનપત્ર છે. બીજાં બધામાં બ્રાહ્મણે અથવા બુદ્ધ સંઘને દાન આપ્યાનું જણાવેલું છે. આ દાન ઉપરથી સાબિત થાય છે કે વલભી રાજાઓની શિવની ભક્તિ એકલા શબ્દો કરતાં વધારે પ્રકારની હતી. બ્રાહ્મણ લાગતા હરિનાથે જે સ્થળે લિંગ અર્પણ કર્યું હતું તે સ્થળ હું નક્કી કરી શક્યો નથી. પર હાલના ૧ ઈ. એ. જે. ૯ પા. ર૩૭-૩૯ ડે. ઇ. બ્યુહર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034505
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy