SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ નં. ૪૩ ધરસેન ૨ જાનાં તામ્રપત્રો સંવત ૨૫૨ વૈશાખ વદ ૧૫ (અમાવાસ્યા) આ લેખ દરેક ૧૨.૫ ઈંચ૮૮.૫ ઇંચના માપનાં બે પતરાંઓ ઉપર લખેલો છે. હમેશ મુજબ ચિહ્નો અને લેખવાળી મુદ્રા સહિત જમણી બાજુની કડી તેની યોગ્ય જગ્યાએ છે. લિપિ, નીચે આપેલાં ધરસેનના દાનપત્રમાં છે, તેના જેવી છે. પતરાંઓ સુરક્ષિત સ્થિતિમાં છે તથા કાટ લાગેલ નથી. પરંતુ ધી કાઢનારે તે સાફ કયા હોય એવું લાગે છે. કોતરકામ ઘણું જ ખરાબ અને મલીન છે. અને હું માં ભેદ રાખે નથી. ઝ ને બદલે ઘણી વાર ૩ લખેલો છે. છ ની પહેલા ટુ ની નિશાની કરી નથી. અને વિસર્ગ, અનુનાસિક, તથા આ ઘણુ વાર છોડી દીધેલા છે અથવા પેટે ઠેકાણે મૂકેલા છે, તે સિવાય જોડણીમાં અસંખ્ય ભૂલો છે અને કેટલાક ભાગ ખાલી રહેલ છે. અશુદ્ધિમાં આ પતરાંઓ છે, એ. . ૬ પા. ૧૨ માં પ્રસિદ્ધ કરેલાં શિલાદિત્ય ૫ માનાં પતરાંઓને મળતાં આવે છે. સંસ્કૃત ભાષા પણ શુદ્ધ નથી. કેટલાક શબ્દની જાતિનું ચોક્કસ તથા ને બદલે વધારે પ્રમાણમાં થતા રા ને ઉપગ બતાવે છે કે લેખક સંરકત કરતાં પ્રાકૃત ભાષા સાથે વધારે પરિચય ધરાવતા હતા. વંશાવળીમાં કાંઈ નવીન જાણવા જેવું નથી. પરંતુ " તારીખ-સંવત્ ૨૫ર ની વૈશાખ વદિ ૧૫ ઐતિહાસિક દૃષ્ટિએ જાણવા જેવી છે. કારણ કે, ધરસેનના પિતા ગુહસેનને જાણવામાં આવેલો છે લે લેખ સંવત ૨૪૮ ને છે. અને આથી પિતાના મૃત્યુ તથા પુત્રના રાજ્યારહણ વચ્ચે સમય ચાર વર્ષને થાય છે. દાનની વસ્તુઓમાં, સૂર્યદાસ નામના ગામમાં એક ક્ષેત્ર તથા વાવ, તથા જતિપદ્રક અને લેશુક ગામમાંના વધારાનાં બે ક્ષેત્રે છે. ધરસેન ૪ થા નાં ઈ. એ. જે. ૧ પા. ૧૬ માં પ્રસિદ્ધ થયેલાં દાનપત્ર પ્રમાણે, આ ક્ષેત્રનું માપ ફૂટ “પાદ” થી આપ્યું છે, “હદૃવિસ્થિત” નવીન તથા મારાથી ન સમજી શકાય તે શબ્દ છે. દાન લેનારાઓ શાડિલ્ય ગોત્રના દશા તથા ષષ્ઠિ નામના બે બ્રાહ્મણે છે. તેઓ, હાલમાં ગુજરાતમાં પ્રસિદ્ધ, સામવેદની ઈગ્ય કૌથુમી શાખાના શિષ્યો હતા. કાશમીરના ગ્રંથમાં બ્રાહ્મણના નામ તરીકે “ષષ્ઠિ” શબ્દ વાપરેલો છે. “દશ” સંસ્કૃત નથી, કદાચ તે દેશી ઉપનામ હાય. આ લિસ્ટમાં વર્ભપાલ અને પ્રતિરક એ બે અધિકારીઓનાં નામ આપ્યાં છે. આ અધિકારીઓ પ્રથમના લેખમાં બતાવ્યા નથી. “વત્મપાલ” નો અર્થ “માર્ગરક્ષક” એવો થાય છે અને કદાચ તે રસ્તા ઉપર ચારીઓ થતી અટકાવવા રાખેલ ચોકીદાર હોય. આધુનિક સમયમાં પણ કાઠિઆવાડ અને રાજપૂતાનાના રસ્તાઓનું, બે ત્રણ કેસને અંતરે ઝુપડાઓમાં રહેતા આવા ચેકીદારોથી રક્ષણ કરવામાં આવે છે. “ પ્રતિસરક” ને અર્થ સામાન્ય રોકીદાર થાય છે અને ગામડાંઓમાં રાખવામાં આવતા રાત્રિના ચેકીદારને માટે વપરાયે લાગે છે. ઈ. એ. વિ. ૭ પા. ૬૮ છે. મ્યુહર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034505
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy