SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ નં ૩૦ ધ્રુવસેન ૧ લાનાં તામ્રપત્રા [ ગુપ્ત ] સંવત ૨૨૬ કાર્તિક સુ. ૧૫ આ બે પતરાંએના ભાંગીને ઘણુા ટુકડા થઈ ગયા છે. પહેલા પતરાના ચાર, અને ખીજાના છ ટુકડા સાચવેલા છે. તેમની મદદથી દાનપત્રના માટે ભાગ વાંચી શકાય છે અને કંઈ બહુ નુકસાનભરેલી ખેટ જણાતી નથી. દરેક પતરું ૧૧'×રૂ '' ના માપનું છે. લેખને ઇજા એટલી બધી થઈ છે કે તેની છાપ લઈ શકાય તેમ નથી. ખીજા પતરાંન', આશીર્વાદ અને શાપ આપનારા લૈક અને તિથિવાળા ભાગે પૂરતા સ્પષ્ટ છે. વલભીમાંથી જાહેર થયેલું આ દાનપત્ર ત્રસેન ૧ થી આનર્જાપુરમાં વસતા એક બ્રાહ્મણને અપાયેલા દાનની નેાંધ લે છે. દાન લેનાર પુરૂષ અને દાનની મિલ્કતનું વર્ણન ખાવાએલ છે, પણ તે મિલ્કત સાપેકેન્દ્રક મંડલીમાં કેટલાંક પાદાવર્ત્ત ભૂમિની છે. દાનપત્રમાં જાણવાલાયક ત્રણ વિશેષ હકીકત છે. ધ્રુવસેન માટે, તે ન્રુપનાં ખીજાં દાનમાં, અને તેનું નામ જણાવતાં અન્ય દાનમાં, ન મળતું એવું એક વધારે ઉપનામ આ દાનમાં આપણે ોઈએ છીએ. તે ઉપનામ પહેલા પતરાની પંક્તિએ ૧૦ અને ૧૧ માં જણાવેલું છે. બીજી ખાખત એ છે કે આ દાનની તિથિ શબ્દોમાં અને સંખ્યા બન્નેમાં આપી છે તેથી તિથિની સંખ્યા સંબંધે કંઈ પણું શક રાખવાની જરૂર નથી. તિથિ અને લખનારનું નામ એક બ્લેકમાં આપ્યાં છે. લખનારનું નામ તદ્દન નવું છે. દૂતનું નામ આપ્યું નથી. દાનની તિથિ સંવત ૨૨૬ નવી છે. અને વલભી સમયના જ્ઞાનને માટે ઘણી મહાન અગત્યની છે. કારણ કે અત્યાર સુધી જાણેલી નૃપ ધ્રુવસેનની તિથિ સંવત ૨૨૧ હતી (વી. એ. જ. લેા. પા. ૨૯૭) અને તેથી આપણું દાનપત્ર, તેના રાજ્યના સમય આમ એછાંમાં આછાં પાંચ વર્ષે વધારે છે. વલભી નૃપ ગુહુસેનની ખીજી તિથિ ૨૪૦ (ઇ. એ. વા. ૭, પા. ૬૬ ) મળેલી છે. વચ્ચે થએલા નૃપ ધરપટ્ટે કોઈ પણ દાન કર્યું કે નહિં તે જાણીતું નથી. ૧ જરનલ પ્રા. ખા. રા. એ. સા. ન્યુ સી. વે।. ૧ પા. ૧૬ ડી. બી. વિસ્કાર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034505
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy