SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ દુનિયાનું સૌથી પ્રાચિન ધર્મ. રૂદન કરવાની અથવા મરણ સમયે રડવાની શરૂઆત પ્રભુના નિર્વાણ કલ્યાણક સમયે ભરતરાજા બહુજ દુઃખી થયા અને મૂછપામી જમીન ઉપર પડયા. ભરતરાજાને પ્રભુને વિરહ ઘણેજ લાગવાથી આમ થયું, પણ તે સમયે તે દુઃખમાં ઘટાડે કરવાના કારણ રૂ૫ રૂદનને જાણતા ન હોવાથી, ઈદ્ર મહારાજે ચક્રીની પાસે બેસી મેટે પાકાર કરી રૂદન કર્યું. ઈદ્ર પછવાડે સર્વે દેવતાઓએ પણ રૂદન કર્યું. સર્વને રૂદન કરતા જોઈ ભરતરાજાએ પણ મટે સ્વરે રૂદન કર્યું. મોટા પ્રવાહના વેગથી જેમ બાંધેલી પાળ તુટી જાય, તેમજ રૂદનથી ભરતરાજાનો શેક ઓછો થે. આ સમયથી જગતમાં સર્વ પ્રાણીઓને શોકના સમયે, શકશલ્યને વિશલ્ય કરનાર રૂદનને પ્રચાર પ્રવા. ભરતરાજાએ આ સમયે બહુજ રૂદન કર્યું હતું ને તે રૂદન હદયને વીંધી નાખે એવું હતું. અગ્નિ દેવતા. જ્યારે ભગવાન રૂષભદેવ નિર્વાણ પામ્યા ત્યારે સર્વ દેવતાઓ નિર્વણુ મહત્સવ કરવા આવ્યા. એ વખતે અગ્નિકુમાર દેવતાએ શ્રી રૂષભદેવની ચિતામાં અગ્નિ લગાવી, અને તે વખતથી ____ अग्नि मुखावेदेवाः એટલે કે અગ્નિકુમાર દેવતા સર્વ દેવેમાં મુખ્ય છે એ શ્રુતિ લોકોમાં પ્રસિદ્ધ થઈ. કેટલાક અજ્ઞાને આસુતિને એ અર્થ કરે છે કે અગ્નિ દેવતા તે ત્રીસ કરોડ દેવતાઓમાં મુખ્ય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034504
Book TitleDuniyano Sauthi Prachin Dharm
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy