________________
ખંડ પહેલે-પ્રવેશ. જૈનધર્મમાંથી નીકળ્યો છે, વળી (૩) કેટલાક કહે છે કે સંવત ૫૦૦ ના લગભગ જન મત ઉત્પન્ન થયેલ છે, (૪) ત્યારે બીજા કહે છે કે વિષ્ણુ ભગવાને દૈત્યને ધર્મ ભ્રષ્ટ કરવા અહીનો અવતાર ધારણ કર્યો. (૫) પાંચમે પક્ષ કહે છે કે ગુરૂ મછંદરનાથે જિન મત ચલાવ્યો છે આવી આવી અનેક શંકાઓ તથા વિધ વિધ વિચારો, જૈન ધર્મ વિષે માહિતિ નહી ધરાવનારાઓ દેખાડે છે, ત્યારે ખર શું છે તે આપણે તપાસીએ.
જૈન ધર્મ વિષે અન્ય ધમીઓની અજ્ઞાનતા-તેના
કારણે અને તે સુધારવાના ઉપાય.
જૈન ધર્મના સ્થાપનાર શ્રી આદીશ્વર યાને રૂષભદેવ એક ક્ષત્રી હતા અને તે પોતે રાજા હતા તે વિષે પ્રથમ ધણાકે જાણતા નથી, પણ તે વિષેના પુરાવા આ સાથેના પૃષ્ટોમાં જણાશે.
જૈન ધર્મ અસંખ્યાતા વરસે ઉપર આ ભારત વર્ષમાં બ્રાહ્મણેથી નહીં, વૈશ્યોથી નહીં, પણ ક્ષત્રી રાજાએથી ફેલાવવામાં આવ્યા હતા. એ ક્ષત્રીઓ શિકાર કરી પ્રાણીઓને હણનારા કે યજ્ઞમાં જીવહિંસા કરનાર કે માંસ ભક્ષણ કરનારા નહિ હતા પણ તેઓને સાર્વજનિક લાભ માટે આખી પ્રજામાં ઉપદેશ કરતા હતા કે “અહિંસા એજ સોથી મોટો ધર્મ છે; કઈ પણ જીવવાળા પ્રાણીને કદી નારા ન કરો; કોઈ પણ પ્રાણીને ઈજા ન કરે અને એ દયામય ધર્મ જેવો બીજો કોષ પણ ધર્મ નથી.” આ બોલવાના કારણુમાં તેઓ જણાવતા હતા કે " જેવી રીતે અમને મારવાથી, ધમકાવવાથી, કોઈ ચીજ સાથે અફળાવવાથી, દઝાડવાથી, કઈ રીતના જોર જુલમથી અથવા અમારો જીવ લેવાથી, અમને દુઃખ થાય છે, અને જેવી રીતે અમારા શરીરના સુક્ષ્મમાં શુક્ષ્મ ભાગને ઇજા કરવાથી અથવા અમારો વાળ તોડવાથી અમને દુઃખ થાય છે, તેમજ એ તમે કદી ભુલતાના કે જેવી રીતે અમને પોતાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com