SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ પહેલ-પ્રકરણ. પેગંબર-માઉન્ટ સીનાઈ ઉપર ચાળીસ દિવસ સુધી ભૂખ્યા રહે હતો જે વખત પછી શેતાન તેને લલચાવવા આવતાં પણ, જ્યારે તે ખાવાને માટે લલચાયો હતો નહિ, એમ અંગ્રેજ વિદ્વાનો પણ કબુલ કરી જણાવે છે, તો રૂષભદેવ એથી વધુ લાંબી મુદત સુધી ભૂખ્યા રહી શક્યા હોય એમ માનવામાં કંઈ દેષ નથી. રૂષભદેવજી, એક વર્ષ વીત્યા બાદ, વૈશાખ સુદ ૩ ના દીવસે હસ્તિનાપુર-હાલના દિલ્લી-પાસે આવ્યા, તે વખતના લોકોએ સાધુઓને દેખ્યા નહોતા, અને ભિક્ષા આપવાની વિધિ જાણતા નહતા, તે કારણથી લોકે તેમને હાથી, ઘોડા, ઘરેણાં, સ્ત્રી વગેરેની ભેટ અર્પણ કરવા લાવતા, પણ રનદેવજી સાધુ હોવાથી-ત્યાગી હોવાથી,-કાંઈ પણ ચીજ લેતા નહિ. એક વખતે શ્રેયાંસકુમારે, રૂષભદેવજીને એક વર્ષ સુધી આહાર મલ્યો નથી એવું જ્ઞાન બળે જાણતાં, શેરડી રસનું પારણું કરા . શ્રેયાંસકુમાર રૂષભદેવજીના પિત્ર થતા હતા, તેણે જયારે રૂષભદેવજીને ભિક્ષા આપી અને તે દેવે ગ્રહણ કરી ત્યારે લોકોએ તે જોયું, ને તે વખતથી ભિક્ષામાં શું આપવું તે શીખ્યા. હમણાં સાધુઓને આહારની જ ભિક્ષા મળે છે, ને તે વિધિ અસલના વખતથી એ રીતે ચાલી આવે છે, એ સ્પષ્ટ છે, રાવણના પૂર્વજો. –xt શ્રી રૂષભદેવજી છદમસ્થ અવસ્થામાં એક હજાર વર્ષો સુધી અનેક દેશોમાં વિચરતા હતા, તે અવસ્થામાં કચ્છ અને મહાકચ્છના પુત્ર નમ અને વિનમી એ પ્રભુની બહુજ સેવા ભક્તિ કરવાથી, ધરણે તેમને ૪૮૦૦૦ વિદ્યાઓ આપી અને વૈતાઢયગીરિની દક્ષિણ તથા ઉત્તર બાજુનું દરેકને રાજ્ય આપ્યું. તેમને ૪૮૦૦૦ જુદી જુદી જાતની વિધા મળવાથી તેઓ વિદ્યાધર કહેવાયા. આ વિધાધરોના વંશમાં રાવણ, કુકરણ, વાલી વિગેરે સર્વ વિદ્યાધરે ઉત્પન્ન થયા હતા જે અગાડી જણાશે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034504
Book TitleDuniyano Sauthi Prachin Dharm
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy