________________
દુનિયાને સાથી પ્રાચિન ધર્મ.
આ ઉપરથી જણાશે કે, પહેલાં આ સૃષ્ટિ હતી એવું તારવીન પણ કબુલ કરે છે,
સર રોબર્ટ બેલ નામના એક વિદ્વાને એવી ગણત્રી કરી છે, કે “સૂર્ય નારાયણ કે જેની ઉપર તમામ દુનિયાની હસ્તિનો આધાર છે, અને જે પિતાના તેજસ્વી પ્રકાશના પ્રતાપથી માણસ જાતને અપાર સુખ આપે છે, તેની ઉમર ચાલુ વર્ષમાં દસ કરોડ વર્ષની થશે.”
પાશ્ચાત્ય પ્રજા ચાલુ જમાનામાં શોધ ખોળ કરે છે, અને તેમની શા ઉપર જેટલો વિશ્વાસ મુકવામાં આવે છે તેટલો બીજા કોઈના ઉપર જવલેજ મુકાતો હશે; તેઓએ જ કેટલીએક શોધ કરી સાબીત કર્યું છે, કે સૂર્યનું કદ પૃથ્વી કરતાં ૧૨૫૦૭૦૦ ઘણું મોટું છે. પૃથ્વીથી સુર્ય ૨૭૦૦૦૦૦ માઈલ ઉપર આવેલ છે; સુર્યનું વજન પાંચ પર્વ અને છ પરાર્ધ બંગાળી મણ છે.” જો આવા વિચારો–પાશ્ચાત્ય ફિલસુફેના વિચારોમાનતાં આપણે અચકાતા નથી ને જે તેઓ ઉપર આપણે વિશ્વાસ મુકીએ છીએ. તે પૃથ્વી અનાદિ છે, એવા જૈન તથા હીંદુ શાસ્ત્રોને મત-દાખલા દલીલથી પૂરવાર થયેલ મત-આપણે શા કારણે નહિ સ્વિકારવો જોઈએ ?
ઉપર આપેલા પુરાવાથી સૃષ્ટિ અનાદિ છે ને સિદ્ધ થાય છે, તે છતાં પણ કેટલાક અજ્ઞાન મનુષ્યો એ વાત નહિ માને, એ પણ સ્વાભાવિક છે. પણ તેઓ માટે એટલું જ કહેવું બસ થશે કે હમણુના વખતની જે ઉથલપાથલો આ દુનિયામાં થતી આપણે જોઈએ છીએ, તે ઉપરથી મહાન અભ્યાસીઓ તથા વિદ્વાને પણ એવા નિર્ણય પર આવ્યા છે કે, દુનિયામાં જે જે વસ્તુઓ આપણે અશકય માનીએ છીએ, અને જે વિષે આપણાં શાસ્ત્રામાં લખાણ છે, તે અશક્ય નહીં પણ શક્ય જ છે અને તે તે વખતમાં બનેલી હોવી જ જોઈએ.
આજથી બસો વર્ષ ઉપર, કેટલાક વિદ્વાનો શિવાય આર્યાવર્તના બધા લોકો કદી પણ એમ નહેતા ધારતા, કે હજારો ગાઉ દુર વગર તારથી કોઈ પણ માણસ વાત કરી શકશે અથવા તો દર મીનીટે એક ગાઉ જવાય એ એક વખત આવશે, અથવા તે ઘણે દૂર વસ્તી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com