SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ દુનિયાના સૌથી પ્રાચિન ધર્મ. ૧ જીને પૂળ આપે છે, તો ઈશ્વર સ્વતંત્ર નથી એમ સિદ્ધ થયું, કારણ કે તે તો કર્મનુસાર ફળ આપે છે અને નહિ કે પોતે ધારે તેમ-વળી એવા ઇશ્વર નિત્ય પણ નહિ હોઈ શકે કેમકે જે નિત્ય હોય તે ત્રણે કાળમાં એક રૂપજ રહે! હવે જે નિત્ય હોય તો તેને સ્વભાવ જગત રચવાનો છે એવું જણાવવામાં આવશે. પણ તેમ તો ઇશ્વર નિરંતર જગત બનાવ્યાં કરશે કેમકે, એ તેનો સ્વભાવ છે. પણ એ પ્રત્યક્ષ પ્રમાણથી વાસ્તવિક નથી. જો એમ કહેવામાં આવે કે ઈશ્વરમાં જગત રચવાને સ્વભાવ જ નથી, તે પછી ઈશ્વર જગત કર્તા નથી એમજ સિદ્ધ થયું. આ ઉપરથી એમ થાય છે કે જગત કોઇએ બનાવ્યું નથી, તેમ તેને કહી પણ નાશ થનાર નથી અને તેથી જગત અનાદિ અનંત સિધ્ધ થયું, જેમ જૈન લોકો માને છે. જે એમ કહેવામાં આવે કે, ઈશ્વરમાં જગત રચવાની અને જગત નાશ કરવાની બે શક્તિ છે, તો તે પણ છેટું છે, કેમકે પરસ્પર વિરૂદ્ધ બે શકિતઓ એકજ કાળે એક સ્થાનમાં રહી શકતી નથી, અને તેથી જગત રચાશે પણ નહિ અને તેને પ્રલય પણ થઈ શકશે નહિ. જે એમ માનવામાં આવે, કે ઈશ્વરમાં જગત પેદા કરવાની અને જગત પ્રલય કરવાની બંને શકિતઓ નથી, તો પછી એમ પણ સિધ્ધ થયું કે જગત રચાશે પણ નહિ અને તેનો પ્રલય પણ થશે નહિ, એથી પણું જગત અનાદિ અનંત સિદ્ધ થાય છે. જે એમ માનવામાં આવે, કે ઈશ્વરમાં જગત ઉત્પન્ન કરવાની અને તેનો પ્રલય કરવાની બંને શક્તિ છે, પણ જયારે તેને તે માટે ઈચ્છ, થાય છે ત્યારેજ તે જુદે જુદે વખતે તે શક્તિઓનો ઉપયોગ કરે છે તે ઈશ્વરની શક્તિઓ અનિત્ય માનવી પડશે. જે ઈશ્વરની શક્તિઓ અનિત્ય હોય, તો ઈશ્વર પણ અનિત્ય થશે કેમકે, ઈશ્વર પોતાની શકિતઓથી અભેદ્ય છે; જો એમ માનીએ કે શકિતઓ ઈશ્વરથી ભેદ રૂ૫ છે, તો પછી સૃષ્ટિ રચાશે નહિ અથવા તેને પ્રલય પણ થશે નહિ; કેમકે શકિતઓ નિત્ય છે. આથી પણ ઈશ્વર સૃષ્ટિકર્તા સિદ્ધ થતા નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034504
Book TitleDuniyano Sauthi Prachin Dharm
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy