SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ ખંડ પહેલે–પ્રકરણ ૪. જીતવાને હતો તે જ સાધવા માટે છેવટ સુધી ધૈર્ય રાખ્યું, જે રાજાએ પિતાથી વધુ બળવાન બાહુબળીને પણ પિતા તરફના પ્રેમ અંગે અસાર સંસારપર વૈરાગ્ય ઉત્પન્ન કરાવ્યું, અને જે રાજાએ પોતાના પ્રભુ અને પિતાને માટે ઘણોજ શોક કર્યો, તે રાજાને જ્યારે આભૂષણ વગરની એક આંગળી જેવાથી આ સંસારનો ત્યાગ કરતાં આપણે જોઈએ છીએ ત્યારે આપણે અજાયબીમાં ગરકાવ થઈ જઈએ છીએ, અને કર્મની અને દુનિયાની વિચિત્રતા ઉપર વિચારમાં પડી જઈ તે જ વિચારના દરિયામાં ડુબી જઈએ શ્મએ ! દરેક માનવે આ ઉપરથી ધડે લેવાને છે ! દરેક માનવીએ આ ઉપરથી વિચાર કરવાનો છે ! જે માનવી અસાર સંસારમાં અસાર માની તેની માયામાંજ લીન થઈ રહે છે, તેને આ ઉપરથી ઘણોજ વિચાર લેવાને છે ! પણ અફસેસ, હરરોજ આવા સેંકડે દાખલાઓ નજરે જોવા છતાં, જ્યારે માનવી સુધરે નહિ ત્યારે તેમાં પણ કાંઈ કારણ-સંસારના વિચિત્રતાનું કારણ સમાયેલું છે એમ માની સંતોષ લેવો જોઈએ. રૂષભસ્વામીની માફક મહાત્મા ભરત મુનિએ, કેવળજ્ઞાન ઉત્તપન્ન થયા પછી ગામ, નગર, અરણ્ય, પહાડ, વગેરેમાં સેંકડે પ્રાણીઓને પ્રતિબોધ કર્યો, અને પરિવાર રહિત પૂર્વ લક્ષ પર્યત વિહાર કર્યો, અને છેલ્લે અષ્ટાપદ પર્વત પર નિર્વાણ પામી સિદ્ધિ પદને પામ્યા. ભરતરાજાએ ૭૭ પૂર્વલક્ષ કુમાર પણમાં ગાયાં, એક હજાર વર્ષ માંડળિક પણામાં ગાળ્યાં, છ લાખ પૂર્વમાં એક હજાર ઓછાં વર્ષ ચક્રવતિ પણમાં ગાળ્યાં અને કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી, એક લક્ષ પૂર્વ સુધી પૃથ્વી ઉપર વિહાર કર્યો. ભરતરાજાએ બધુ મળી ચોરાશી પૂર્વ લક્ષ વરસનું આયુષ્ય ભોગવ્યું હતું, એમ આ ઉપરથી સહેજ જણાશે ? જૈન ધર્મના, આ કાળના પ્રથમ તીર્થક–પ્રથમ સર્વત-નું અને તેના પુત્રનું ટુંક વિવેચન આ રીતે પૂર્ણ થાય છે. એ મહાત્માઓનુ વૃત્તાંત જૈન શાસ્ત્ર માં ધણુંજ વિસ્તારથી આપવામાં આવ્યું છે, ને તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034504
Book TitleDuniyano Sauthi Prachin Dharm
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy