________________
૬ ] . . . . . . . પૂ. સગરાનંદસૂરિજી સંકલિત
આથી હેજે સમજી શકાશે કે–જેઓ શાસ્ત્ર માનવાને તૈયાર નથી, શાસ્ત્રોક્ત પદાર્થને માનતા નથી, એટલું જ નહિ પરંતુ શાસ્ત્રોને વિચ્છેદ કરવા કટિબદ્ધ થાય છે, તેઓ કેઈપણ પ્રકારે ધર્મ પામવાની કોટિમાં રહી શકતા જ નથી. જેને પરલોક વિગેરે માનવા છે, તેને તે શાસ્ત્ર શિવાય બીજું પ્રમાણ જ વિદ્યમાન નથી. શાસ્ત્રને નહિ માનનારે મનુષ્ય જીવાદિ તો ક્યા આધારે માનશે? જેન શાસ્ત્રકારે તે સ્પષ્ટપણે જણાવે છે કે
આત્માના હિતની ઇચ્છાવાલાએ જે આગમ (શાસ્ત્ર)ને આદર કર્યો હોય, તે જ તેણે શ્રી જિનેશ્વર દેવ, ગુરૂ અને ધર્મ એ ત્રણે તનું આરાધન કયુ કહેવાય.”
વળી–“આ હૃદષમ કાળમાં ખરેખર આધાર તો શાસ્ત્રોને જ છે –તે જણાવતાં પૂર્વાચાર્યો કહી ગયા છે કે –
દુષમ કાળના દેણે કરીને દૂષિત થયેલા અમારા જેવા જીવોને, ખરેખર, જે શ્રી જિનેશ્વર મહારાજનાં આગમ આ સમયમાં ન હોત, તે અમારી સ્થિતિ શું થાત ? કારણ કે-તીર્થકર, કેવલી, ગણધર વિગેરે શાસનના માલીકને વેગ જેને નથી, એવા અમે અનાથ છીએ.”
એટલે કે–ષમ કાલમાં શાસ્ત્રોનું વિદ્યમાનપણુ હેવાથી જ અમે નાથવાળા છીએ. આવી રીતે જ્યારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com