SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ હિય, ત્યાં એકાએક રણભેરી વાગે અને રાજપૂત બચ્ચાને યુદ્ધના મેદાનમાં આવવાની હાક્લ પડે, ત્યારે મીંઢલવાળા હાથમાં ઢાલ-તલવાર લઈ રણે ચઢયાના અને રાજપૂતાણીએ એજ પતિની પાછળ જીવન આખ્યાના દાખલા આર્ય ઈતિહાસને માટે કાંઈ વિશેષ ઘટના નથી. વધુમાં એ યુગમાં તે લોકજીવનમાં પણ ત્યાગના સંસ્કાર એટલા પ્રવેશી ચૂક્યા હતા કે–જે આવા પ્રસંગે રજપૂતને બચ્ચે યુદ્ધના મેદાનમાં ન જાય અથવા રજપૂતાણું એને રેકી રાખે, તો એમને માથે ત્યાનતની વૃષ્ટિ પ્રજા વર્ષાવતી. એ કાયર ગણાતાં. કર્તવ્યભ્રષ્ટ ગણાતાં. અરે, આજે પણ એ દષ્ટાન્તોને આદર્શ રાજપૂતાઈના નમુના તરીકે જાહેરમાં મૂકાય છે અને પ્રજા એવા પણ ત્યાગીનાં ઓવારણું લઈને વર્તમાનમાં તેવી શૂરવીરતા કેળવવાની આવશ્યક્તા સ્વીકારે છે. આ બધું એજ સૂચવે છે કે–આર્યોને માટે ત્યાગ એ તો જીવનની સ્વાભાવિકતા હતી. હવે જ્યારે કર્તવ્યને માટે અને પોતે સ્વીકારેલી ફરજને અદા કરવાને માટે આ રીતનો ત્યાગ રાજા અને પ્રજાજન કરી શકતા અને કરી શકે છે, તો પછી આત્મકલ્યા ને શુભાશયથી પ્રેરાએલા આત્માને પણ તે અથવા તેથી પણ વધુ ત્યાગ કરવામાં કોઈ પણ સુજ્ઞ રાજા કે ડાહી પ્રજા અડચણ ઉભી કરી શકે જ નહિ, એ તદ્દન સ્પષ્ટ છે. એક આત્મા પરમાત્મા બનવાની અભિલાષાથી જગતના સર્વ સંબંધને તજે, સત્તા અને સંપત્તિને તજે, તથા સાંસારિક ભેગપભેગોને પરિત્યાગ કરવા દ્વારા પોતાની પ્રત્યેક પ્રવૃત્તિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034502
Book TitleDikshanu Sundar Swawrup
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year1933
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy