SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ દક્ષિાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [ ૧૪૦ આત્મગુણનો એક અંશ પણ પરિણામે મેક્ષ દેનાર હાઈ, ભવિષ્યનાં જન્મ–જરા–મરણેનાં દુઃખને સર્વથા નાશ કરી શકે છે. આ હકીકતને સમજનાર મનુષ્ય જરૂર કબુલ કરશે કે—માતાપિતાના ઉપકારની કિંમત કરતાં સમ્યક્ત્વપ્રાપ્તિની કિંમત ઘણી મોટી છે. સમ્યકત્વ કરતાં અસંખ્યાત ગુણી કિંમત દેશવિરતિની છે. અને દેશવિરતિ કરતાં પણ અસંખ્યાત ગુણ કિંમત સંયત (સાધુ) પણાની છે. આથી વાંચકને આપોઆપ સમજાશે કે–અત્યંત અલ્પ કિંમતવાળા માતાપિતાના ઉપકારને બદલે, જેની કિંમતને કાંઈપણ પાર નથી એવા સાધુપણુની કિંમત ન આંકવામાં આવે, અથવા તે તેની ઉપેક્ષા કરવી એગ્ય ગણવામાં આવે, તે તે કેવલ મૂર્ખતા જ ગણાય. શાસ્ત્રમાં કહેવું છે કે–સમ્યગૂઠુષ્ટિ કરતાં દેશવિરતિ શ્રાવકની નિર્જરા અસંખ્યાત ગુણ છે અને તેના કરતાં પણ સર્વવિરતિવાળાની નિર્જરા અસંખ્યાત ગુણી છે. શિન્નતિના કાર્ય માટે માબાપની અવગણના કેમ કરવામાં આવે છે ? આ સ્થલે જણાવવું જોઈએ કે––જેઓ કુટુંબના શેકાદિકના કારણે દીક્ષા જેવા પરમ ઉચ્ચ કેટીના કાર્યને બંધ કરવા તૈયાર થાય છે, તેઓ દીક્ષાની વાસ્તવિક શ્રેયસ્કરતા સમજતા જ નથી. કુટુંબલેશના કારણે જેઓ દીક્ષાને વિરોધ કરે છે, તેઓને જ જે કઈ એમ પૂછે કે દેશની ઉન્નતિના કાર્યમાં સર્વસ્વનો ભેગ આપવાથી મારું કુટુંબ નારાજ થાય છે, મારા તે વર્તનથી મારા કુટુંબને અત્યંત કલેશ થાય છે, તો મારે તે દેશોન્નતિનું કાર્ય ચાલુ રાખવું કે કેમ ?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034502
Book TitleDikshanu Sundar Swawrup
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year1933
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy