________________
૭૦ ]
પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત
“ શાસ્ત્રમાં કહેલી આઠ વર્ષની દીક્ષા તે અપવાદથી છે, કારણ કે—જેઆને નવમે વર્ષે કેવળજ્ઞાન થાય છે તેવાઓને આઠ વર્ષે દીક્ષા થવાની જરૂર છે; કારણ કે–આઠ વર્ષની ઉંમરે દીક્ષા ન થયેલી હાય તે માર માસના પર્યાય ( સાધુપણા ) વિના તેવી નાની ઉંમરવાલાને કેવળજ્ઞાન થઈ શકે જ નહિ, ને તેથી નવમે વર્ષે કેવળજ્ઞાન ઉપજે નહિ, માટે તેવા કેવળજ્ઞાન પામવાવાળા જીવને અનુલક્ષીને જ શાસ્ત્રકારોએ આઠ વર્ષની ઉંમરે દીક્ષા દેવાનું જણાવેલ છે. તેથી તેવા કેવળજ્ઞાનને પામવાવાળા જીવ સિવાયનાં ખાળકોને માટે આઠ વર્ષની ઉંમરે દીક્ષા યેાગ્ય હાય એમ માની શકાય નહિ.
""
*
આ કહેવાવાલાઓએ ધ્યાનમાં રાખવાનું છે કેકેવળજ્ઞાનની પ્રાપ્તિને માટે થતી ક્ષપકશ્રેણીના વખત માત્ર અંતર્મુહૂર્તના છે, તે ખાર માસ પહેલાં, એટલે કેઆઠમા વર્ષમાં થતી દીક્ષાના કેવી રીતે સંબંધ જોડી શકાય ? વળી એ પણ ધ્યાન રાખવાનું છે કે આઠ વર્ષે દીક્ષિત થયેલ એવા બાકીનાં દેશેાન–પૂર્વક્રાડ વર્ષના ચારિત્રનું પાલન કરનારા સાધુએ કષાયના ઉદયથી તે પેાતાના બધા ચારિત્રને હારી જાય છે, એ વાત શાસ્ત્રકારા સ્પષ્ટપણે જણાવે છે, તો પછી નવમે વર્ષે કેવળજ્ઞાન પામવાવાળા બાળક જ આઠ વર્ષની ઉંમરે દીક્ષા લઇ શકે, એ વાત કહેનારા મનુષ્ય શાસ્ત્રોને જાણવાવાળા કેમ કહી શકાય? તેમજ છઠ્ઠું અને સાતમું ગુણસ્થાનક, કે જે ‘પ્રમત્ત-સંયત' અને ‘અપ્રમત્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com