________________
અધ્યાય ૫ મે–અનુશીલન
બેજ વાતને વિચાર કર્યો. (૧) મનુષ્યોનું યથાર્થ સુખ મનુષ્યત્વમાં છે, અને (૨) આ મનુષ્યત્વ તે બીજું કંઈ જ નહિ પણ સર્વ વૃત્તિઓની યથાયોગ્ય સ્થતિ, પરિણતિ અને સામંજસ્ય થવા દેવું તેનું જ નામ છે. હવે વૃત્તિઓ કેટલા પ્રકારની છે તે વિષે કંઈક વિચાર કરીએ. - વૃત્તિઓને સાધારણરીતે બે ભાગમાં વહેંચી દઈ શકાય. એક તે શારીરિક વૃત્તિ અને બીજી માનસિક વૃત્તિ. માનસિક વૃત્તિઓમાં કેટલીક વૃત્તિઓ જ્ઞાન મેળવવાનું કાર્ય કરે છે, કેટલીક વૃત્તિઓ શરીર પાસે માત્ર કાર્ય અથવા તો પ્રવૃત્તિજ કરાવે છે, અને કેટલીએક વૃત્તિઓ એમાંનું એકે નહિ કરતાં માત્ર આનંદને જ અનુભવ કરાવે છે. હવે જે વૃત્તિઓ જ્ઞાન ઉપાર્જન કરે છે તેને આપણે જ્ઞાનસંપાદક વૃત્તિઓ કહીશું. જે વૃત્તિઓ માત્ર કાર્યમાં પ્રવૃત્ત કરાવીને જ બેસી રહે છે તેને કાર્યકારિણી વૃત્તિ કહીશું, અને જે વૃત્તિઓ કેવળ આનંદ જ આપે છે તેને આનંદદાયિની અથવા ચિત્તરંજિની વૃત્તિ કહીશું. જ્ઞાન, કર્મ અને આનંદ એ પ્રમાણે આ ત્રિવિધ વૃત્તિઓનું ફળ શું હોઈ શકે એમ જે કોઈ પૂછે તે તેને ઉત્તર માત્ર એટલો જ કે “સચ્ચિદાનંદ” ની પ્રાપ્તિ એજ એ ત્રિવિધ વૃત્તિઓને ઉદ્દેશ અથવા લક્ષ છે. - શિષ્યઃ—આપે જે ત્રણ વિભાગ પાડ્યા તે શું નિર્દોષ છે ? મારા માનવા પ્રમાણે તે સર્વ વૃત્તિઓની પરિતૃપ્તિમાં આનંદ સિવાય બીજું કંઈ હેઈજ શકે નહિ | ગુસ–અલબત્ત એ વાત સત્ય છે, પરંતુ જ્ઞાનસંપાદક વૃત્તિનું મુખ્ય ફળ જ્ઞાનપ્રાપ્તિ હેાય છે, અને ગણું ફળ આનંદ હોય છે. કાર્યકારિણી વૃત્તિનું મુખ્ય ફળ કાર્યમાં પ્રવૃત્તિ કરાવવી તે, અને ગણું ફળ આનંદ હોય છે; પરંતુ કેટલીક વૃત્તિએનું મુખ્ય ફળ પણ આનંદ અને ગણ ફળ પણ આનંદજ હોય છે. પાશ્ચાત્ય પંડિત તેને “એસ્થેટિક ફેકટીઝ” કહે છે.
શિષ્ય –પાશ્ચાત્ય વિદ્વાને તે આ છેટલી વૃત્તિનો પણ “ઈન્ટેલોકમ્યુઅલ” અને ઈમોશનલમાં સમાવેશ કરી દે છે. આપ તે તેને ચિત્તરંજિની વૃત્તિનું નામ આપી જુદી પાડે છે તેનું કેમ?
ગુર– કારણ કે હું અહીં માત્ર પાશ્ચાત્યને જ અનુસરતા નથી, તેમજ તેને અનુસરવાને બંધાયેલે પણ નથી. મને વિશ્વાસ છે કે સત્યને અનુસરવાથી મારે ઉદ્દેશ ફળીભૂત થયા વિના રહેશે નહિ. હવે મૂળ વાત ઉપર આવીએ. મનુષ્યની સઘળી શક્તિઓને ચાર ભાગોમાં વહેંચી નાખીએ તે નીચે પ્રમાણે વિભાગો કરી શકાય:
(૧) શારીરિક વૃત્તિ. (૨) જ્ઞાનસંપાદક વૃત્તિ. (૩) કાર્યકારિણી વૃત્તિ, અને (૪) ચિત્તરંજિની વૃત્તિ.
આ ચારે પ્રકારની વૃત્તિઓનું યથાયોગ્ય ફુરણું પરિણતિ તથા સામંજસ્ય, એનું જ નામ મનુષ્યત્વ; એ વાત હવે પુન: કહેવાની જરૂર નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com