________________
ધર્મતત્તવ
જીવન હજી તમે સમજતા નથી. જયદેવવાળા કૃષ્ણની પાછળ સ્વ ઈશ્વરી ગુણયુકત જે કૃષ્ણચરિત્ર પ્રકાશી રહ્યું છે તેને હજી તમે લેકે જોઈ શક્યા નથી. જે કૃષ્ણપાસનાથી તને હું આજે દીક્ષિત કરવા માગું છું તે શ્રીકૃષ્ણની શારીરિક વૃત્તિઓ સર્વાગીનસ્કૃતિ પામી, આપણે જેની કલ્પના પણ ન કરી શકીએ તેવા સોંદર્યમાં એકરસ થઈ, અતુલનીય બળશાળી બની ચૂકી હતી, એટલું જ નહિ પણ જેની માનસિક વૃત્તિઓ પણ એજ પ્રકારે સર્વાગીન સ્મૃતિ પામી, ત્રણ જગતમાં પ્રકાશ ફેલાવી શકે એવી વિદ્યા-શિક્ષા અને વીર્યયુક્ત બની ચુકી હતી; તેની સાથે જેની પ્રીતિ–દયા વિગેરે વૃત્તિઓ પણ જગતનું હિત સાધવામાં કઈ રીતે પછાત પડી નહોતી. એટલા માટે તેને પિતાને પણ કહેવું પડે છે કે –
परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् ।
धर्मसंस्थापनार्थाय संभवामि युगेयुगे ॥ સારાંશ એજ કે પોતાના બાહુબળથી દુષ્ટોનું દમન કર્યું હતું, બુદ્ધિબળથી ભારતવર્ષને એકતાના સૂત્રવડે બાંધી રાખ્યું હતું, જ્ઞાનબળથી જેણે અપૂર્વ નિષ્કામ ધર્મને પ્રચાર કર્યો હતો તેને હું નમસ્કાર કરું છું. કેવળ પ્રેમમયજ હોવાથી જેણે નિકામપણે સર્વ મનુષ્યોનાં દુષ્કર કાર્યો પણ કરી આપ્યાં હતાં, જેણે બાહુબળથી સર્વત્ર વિજય પ્રાપ્ત કર્યો હતો, એટલું જ નહિ પણ બીજાને માટે સામ્રાજ્યની સ્થાપના કરવામાં પિતે મુખ્ય આગેવાન હોવા છતાં જેણે સિંહાસન ઉપર વિરાજવાનું યોગ્ય ઘાર્યું નહોતું, જેણે શિશુપાળના સેંકડો અપરાધને ક્ષમા આપી સમાગુણને પ્રચાર કર્યો છે, અને કેવળ દંડ આપવાની ખાતર જેણે દંડ આપવામાં પણ જરાય સંકોચ સેવ્યો નથી, જેણે વેદની પ્રબળતાવાળા જમાનામાં નિડરપણે જાહેર કર્યું હતું કે
વેદમાં ધર્મ નથી, ધર્મ જોઈતો હોય તે લેકહિત કરે” તે પુરુષ ભલે ઈશ્વર હોય કે ન હોય તો પણ હું તેને નમસ્કાર કરું છું. જેનામાં એકી સાથે શાક્યસિંહ, ઈસુખ્રિસ્ત અને રામચન્દ્રના સર્વ ગુણે સ્પષ્ટપણે પ્રકાશી રહ્યા હતા, જે પુરુષ એક કાળે જનસમાજના બળના આધારરૂપ હતા, સમાજના ગુણના આધારરૂપ હતો, જે સર્વ ધર્મોને વેત્તા હતો, એટલું જ નહિ પણ તેની સાથે જે સર્વત્ર પ્રેમમય હતું, તે આદર્શ પુરુષ ભલે ઈશ્વર હોય કે ન હોય; હું તેને નમસ્કાર કરું છું –
नमो नमस्तेऽस्तु सहस्रकृत्वः पुनश्च भूयोऽपि नमो नमस्ते ।
अध्याय ५ मो-अनुशीलन
શિષ્ય –બાકી રહેલી વાત આજે કહે તો સાંભળવાની બહુ ઈચ્છા છે. - ગુર–હજી ખરેખરી વાત તો રહી જ ગઈ છે. અત્યારસુધીમાં આપણે માત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com