________________
અધ્યાય ૨૮ મા–ઉપસ હાર
૧૮૫
સાંભળી જાઓ:
tr
,
( ૧ ) મનુષ્યમાં કેટલીક શક્તિઓ હાય છે, તેને આપે “ વૃત્તિ એવું નામ આપ્યું તે વૃત્તિઓનુ અનુશીલન-એટલે કે તેની જાગૃતિ, અનુસરણુ અને ઉન્નતિ કરીને તે શક્તિ અથવા વૃત્તિને ચરિતાર્થ કરવી તેજ મનુષ્યત્વ, એમ આપ સિદ્ધ કરી ગયા છે.
( ૨ ) મનુષ્યત્વની પ્રાપ્તિ એજ ધર્મ છે,
( ૩ ) તે અનુશીલનની સીમા; અને વ્રુત્તિઓનું પરસ્પરનું સામંજસ્ય સાથેવવું જો’એ.
( ૪ ) વૃત્તિઓનું સામજસ્ય તથા સ્ફુરણ એજ સુખ.
(
( ૫ ) સમસ્ત નૃત્તિઓનું યથાયેાગ્ય અનુશીલન કરી, તેને ઇશ્વરમુખી કરવી જોઈએ, અને વૃત્તિને ઇશ્વરમુખી કરવી એજ યચા અનુશીલન છે. એ અવસ્થાને ભક્તિ પણ કહી શકાય.
( ૬ ) ઇશ્વર સર્વ ભૂતમાત્રમાં છે, એટલા માટે સર્વ પ્રાણીપદાર્થ પ્રત્યે ભક્તિ તથા પ્રીતિ રાખવી એ અત્યાવશ્યક છે, ભૂતમાત્રપ્રત્યે ભક્તિભાવ ન જન્મે ત્યાં સુધી ઋશ્વરપ્રતિ પણ ભક્તિભાવ ઉદ્ભવે નહિ, એટલું જ નહિ પણ મનુષ્યત્વ તથા ધર્મ પશુ અપૂણુંજ રહી જાય.
( ૭ ) આત્મપ્રીતિ, સ્વજનપ્રીતિ, સ્વદેશપ્રીતિ, પશુપ્રીતિ તથા ધ્યા એ સ પ્રીતિની અંદર સમાવેશ પામે છે. તેમાં પણ મનુષ્યની અવસ્થાના વિચાર કરતાં સ્વદેશપ્રીતિ એ સર્વ શ્રેષ્ડ ધ છે, એમ કહી શકાય. બસ, આપના કથનના એટલા સ્થૂળ માઁ મારા હૃદયમાં સુવર્ણાક્ષરે કાતરાઇ ગયા છે.
ગુરુ—પણ શારીરિક વૃત્તિ, નાનાની વૃત્તિ, કાર્ષીકારિણી વૃત્તિ તથા ચિત્તરજિની વૃત્તિ વિગેરેનુ તેા તે નામ પણ ન લીધું ?
શિષ્ય:——એની કાંઇ જરૂર નથી. અનુશીલનતત્ત્વના સ્થૂલમનુ વર્ણન કરતાં એવા વિભાગો પાડવા અનાવશ્યક છે. હવે હું બરાબર જોઇ શકું છું કે કેવળ મને સમજાવવા માટેજ આપે એવા વિભાગા પાડયા હતા.
ગુરુ:—હવે તુ' અનુશીલનતત્ત્વ સમજ્યા છે. તારી ઇશ્વરભક્તિ દૃઢ થાય તથા તારા સ્વદેશપ્રેમ સવિશેષ પવિત્ર થાય એવી મારી આશિષ છે.
અનુશીલન અથવા તત્ત્વની સાથે જાતિભેદ અને કના સંબધ
આપણે આપણી તમામ વૃત્તિઓારા શું કરીએ છીએ ? કેટલીક વૃત્તિએ વડે કેટલાંક ક્રમ કરીએ છીએ, અને કેટલીક વૃત્તિઓવડે કેટલુંક જાણીએ છીએ, મનુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com