________________
अध्याय २५ मो - पशुप्रीति
ગુરુ:—પ્રીતિતત્ત્વ સબંધી હજી એક વાત કહેવાની બાકી છે. અન્ય સર્વ ધર્માની અપેક્ષાએ હિંદુ ધર્મ શ્રેષ્ઠ ગણાય છે, તેનાં હજારા ઉદાહરણો આપી શકાય તેમ છે. પ્રીતિતત્ત્વ સમજાવતી વેળા હિંદુધર્માંની શ્રેષ્ઠતા હું પ્રસગાપાત સિદ્ધ કરી ચૂક્યા છું. હિંદુધર્મ જાગતિકપ્રીતિના જેવા ઉપદેશ કરે છે તેવા ઉપદેશ અન્ય કાઇ ધ'માં નથી. ન્યાયની ખાતર મારે આ સ્થળે કહેવું જોઇએ કે અલબત્ત અન્યાન્ય ધર્માં પણ સ લોકપ્રત્યે પ્રીતિભાવ રાખવાની ભલામણુ તા કરે છે; પરંતુ તેમ કરવાનું જે યથાયોગ્ય મૂળ કારણુ દર્શાવવુ. જોઇએ તે તેએ દર્શાવી શકયા નથી, અને તેથી તેમની તે ભલામણુ સાક થઇ શકી નથી. ત્યારે ઈશ્વર સર્વવ્યાપક હાવાથી સ ભૂતપ્રત્યે સમાનભાવ રાખવાના હિંદુધર્મના ઉપદેશ તરતજ હૃદયમાં ઉતરી જાય છે. હિંદુધર્મ' ઉપદેશેલી પતિપ્રીતિ પણ અન્ય જાતિઓમાટે આદર્શરૂપ છે તેમજ વિવાહપ્રથા પણુ કાઇ રીતે ઓછી અનુકરણીય નથી. આ ઉપરાંત હિંદુધર્મના પ્રીતિતત્ત્વનું એક વિશેષ ઉદાહરણ-પ્રમાણુ આપુ ' તે લક્ષ પૂર્ણાંક સાંભળ.
ભૂતમાત્રમાં ઇશ્વરના નિવાસ છે, એટલા માટે પ્રાણીમાત્રપ્રત્યે સમદષ્ટિ રાખવી એ કન્ય છે; પરંતુ જેએ એમ સમજતા હાય કે ભૂતમાત્ર' કહેવાથી કેવળ મનુષ્યાનેાજ તેમાં સમાવેશ થાય છે તે તે ભૂલ છે. ભૂતમાત્ર કહેવાથી જગતનાં સર્વાં પ્રાણીઓ તેમાં આવી જાય છે. અર્થાત્ પશુઓ પણ મનુષ્યાની પ્રીતિને પાત્ર છે. મનુષ્યપ્રત્યે જેમ પ્રીતિભાવ રાખવાના છે, તેજ પ્રકારે પશુ પ્રત્યે પણ પ્રીતિભાવ રાખવા જોઇએ. આવા અભેદભાવ હિંદુધર્માં અથવા તા હિંદુધર્મમાંથી ઉત્પન્ન થએલ માદ્ધધર્મ સિવાય અન્ય સ્થળે નથી.
શિષ્ય:—એ અભેદભાવ આમે હિંદુધર્મ પાસેથી લીધા હશે કે ઔદુધમ પાસેથી હિંદુધમે લીધા હશે?
ગુરુ:મર્થાત્ તુ એમ પૂછવા માગે છે કે પિતાની મીલકતના વારસદાર પુત્ર થયા કે પુત્રની મીલ્કતના વારસદાર પિતા થયા ?
શિષ્યઃ—પિતાને પણ કેટલીકવાર પુત્રની સંપત્તિ મળે છે.
ગુરુઃ—કુદરતી નિયમથી વિરુદ્ધ વાત જે કોઇ સિદ્ધ કરવા ઇચ્છે, તેણે પૂરાવા રજી કરવા જોઈએ. બહુધ પાસેથી હિંદુધમે* ઉકત અભેદાન લીધું, એમ કહે. વામાં તું શું પ્રમાણુ આપી શકશે?
શિષ્ય:——મારી પાસે તા એવું કાંઇ પ્રમાણુ નથી, પણ યુદ્ધમે હિંદુધર્માં પાસેથી એ અભેદજ્ઞાન લીધું એમ આપ કેવી રીતે પૂરવાર કરી છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com