________________
૧૪૮
ધર્મતત્વ
લીક ગેરસમજ ઉત્પન્ન થવાને ભય છે ખરો. જેઓ પિતાના મોજશોખની ખાતર લખલૂટ ખર્ચ કર્યા કરતા હોય, તેઓ પરાર્થે કાંઈ પણ દાન આપી શકે નહિ તે તે તેમને માટે કોઈ પણ રીતે સંતવ્ય લેખી શકાય નહિ. જેઓ ભૂતમાત્રમાં આત્મ
બુદ્ધિ રાખતા હોય, તેમણે તે પોતાના આહારમાં અને પરના આહારમાં કઈ પણ પ્રકારને ભેદભાવ રાખ ઉચિત નથી; કારણ કે પોતાનામાં અને મન્યમાં સમાન બુદ્ધિ રાખવી એજ શ્રેષ્ઠ ધર્મ છે.
શિષ્ય --ઉદાહરણ આપવામાં જ મારી ભૂલ થઈ ગઈ. પરોપકારાર્થે પિતાના પ્રાણને ભોગ આપવો એ શું આપણું કર્તવ્ય નથી ?
ગુર–અનેક સમયે તેમ કરવું એ પણ આવશ્યક કર્તવ્ય છે, અને તે સમયે તે કર્તવ્ય નહિ બજાવવું એ અધર્મ છે. શિષ્ય:--એ વિષે કૃપા કરીને એક બે દષ્ટાંત આપ તે સાંભળવાની ઇચ્છા છે.
ગુજઃ-જે માતાપિતાના પ્રતાપે તને આ દેહ પ્રાપ્ત થયો છે, અને જેમના પ્રતાપે તું કર્મ તથા ધર્મ કરવાને યોગ્ય બન્યો છે, તે માતાપિતાની રક્ષાર્થે પ્રસંગેપાત પ્રાણુ અર્પણ કરવો પડે તે કરવો એ ધર્મ છે, અને તેને પ્રસંગે તે કર્તવ્ય ન બજાવવું તે અધર્મ છે.
તેવી જ રીતે તેને પ્રાણુદાન આપવાનો જો અન્ય કેઈએ પ્રયત્ન કર્યો હોય, તે તેમને માટે પણ તારે પ્રાણનું બલિદાન આપવાને તત્પર રહેવું જોઈએ.
તેજ પ્રમાણે જેઓના રક્ષકતરીકે તારે તારું કર્તવ્ય બજાવવાનું હોય. તેમને માટે પણ પ્રાણ આપ એ પણ તારું આવશ્યક કર્તવ્ય છે. હવે, તું કોનો કેને રક્ષક છે, તે વિષે વિચાર કરી છે. એક તો તારાં સ્ત્રી-પુત્રાદિનો અને તારા પરિવાર વર્ગને, (૨) સ્વદેશન, (૩) તારા સ્વામીન–અર્થાત જેઓ તને પગાર આપી પિતાના કાર્યમાં યોજે છે તે શેઠને, અને (૪) શરણાગતનો. એટલા માટે સ્ત્રીપુત્રાદિ પરિ વાર, સ્વદેશ, સ્વામી તથા શરણુગત વિગેરેની રક્ષા અર્થે તારે તારા પ્રાણની આહુતી આપવી એ તારો ધર્મ છે.
જેઓ પોતાની રક્ષા કરવાને અશકત હોય, તેમની રક્ષા મનુષ્યમાત્રે કરવી જોઇએ. સ્ત્રીઓ, બાળકે, વૃદ્ધો, રેગીઓ તથા આંધળા–અપગે વિગેરે પિતાની રક્ષા કરી શકતા નથી. આવા મનુષ્યોની રક્ષા અર્થે પણ આપણે પ્રાણ ત્યાગ કરવો પડે છે તે કરે એ ધર્મ છે.
એ સિવાય પણ પ્રાણપરિત્યાગ કરવાના અનેક પ્રસંગે આવે છે, કે જેની અત્યારે ગણત્રી થવી અશક્ય છે, તેમજ તેની એટલી બધી આ પ્રસંગે જરૂર પણ નથી. જેની જ્ઞાનાર્જની તથા કાર્યકારિણી વૃત્તિઓ યથાયોગ્ય વિકાસ પામી હોય છે. તેઓ કે પ્રસંગે પ્રાણપરિત્યાગ કરે તે ધર્મ છે, અને કેવે પ્રસંગે તેમ કરવું એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com