________________
अध्याय २२ मो-आत्मप्रति
શિષ્ય –નિષ્કામ આત્મરક્ષા કેવી રીતે થઈ શકે એ પ્રશ્નનો ઉત્તર આપે આજે આપવાનું કહ્યું છે. કૃપા કરીને તેનું સમાધાન કરો તો સાંભળવાની ઈચ્છા છે.
ગુર–આપણું ભકિતવાદના સમર્થન માટે કોઈ પાશ્ચાત્ય પંડિત પ્રમાણો આપે એવી આશા હું રાખતા નથી. છતાં હર્બટસ્પેન્સરની એક યુક્તિને ભાવાર્થ હું તને કહું તે સાંભળ
ઇશ્વરની સૃષ્ટિની રક્ષા માટે પ્રત્યેક પ્રાણીએ પિતાની આત્મરક્ષા કરવી જોઈએ. સૃષ્ટિ રક્ષા અર્થે આત્મરક્ષા અત્યંત પ્રજનીય છે, અને તેથી તે ઇશ્વરદિષ્ટ કમ છે. એ ઈશ્વરાનુમોદિત કર્મ સર્વદા નિષ્કામપણે કરવું જોઈએ. આત્મરક્ષા પણ નિષ્કામપણે થઈ શકે છે, અને તેમ કરવું એ પ્રાણીમાત્રની ફરજ છે.”
હવે, પરહિત અને પરરક્ષાની સાથે આ આત્મરક્ષાની સરખામણી કરી જે. પરહિત ધર્મ કરતાં પણ આત્મરક્ષાધર્મનું ગૌરવ અધિક છે. જે જગતના લેકે પરસ્પરનું હિત ન કરે, અથવા પરસ્પરની રક્ષા ન કરે તો તેથી જગત મનુષ્યરહિત થઈ જાય એવો સંભવ નથી. ઉદાહરણ તરીકે અસભ્ય કિંવા જંગલી મનુષ્ય પરહિત ધર્મને લેશ પણ સમજતા નથી. છતાં પણ જંગલમાંથી જંગલી જાતિઓ હજી નષ્ટ થઈ નથી, અને થઈ શકે પણ નહિ; પરંતુ કોઈ પણ સભ્ય અથવા અસભ્ય સમાજ જે આત્મરક્ષામાં બેદરકાર રહે છે તેનો નાશ તે વહેલો મોડો થયા વિના રહેજ નહિ. જે પ્રત્યેક મનુષ્ય અથવા પ્રત્યેક પ્રાણી પિતાની આત્મરક્ષા અર્થે સર્વદા તત્પર ન રહે તો જગતમાં એક પણ મનુષ્ય કે એક પણ પ્રાણી બચી શકે નહિ. મતલબ કે પરહિત કરતાં પણ પિતાના પ્રાણની રક્ષા કરવી એ અત્યંત પ્રોજનીય છે.
શિષ્ય –આપના આ સિદ્ધાંત મને તે નાસ્તિક જેવા જણાય છે. કેમકે હું કોઈને કાંઈ પણ આપ્યા વિના મારું પેટ જ ભર્યા કરે તો તેનું પરિણામ શું આવે?
ગુરુતું તારા માટે જે કાંઈ ખાવાની સામગ્રી એકત્ર કરી શકે, તે સર્વ સામગ્રી જે તું દરરોજ અન્યને વહેંચી દે તે, બહુ બહુ તો સાત-આઠ દિવસે તારા દાનધર્મને અંત આવ્યા વિના રહે નહિ; કારણ કે તું પોતે ખાઈ ન શકે તો તારો દેહ પણ ટકી શકે નહિ. પરાર્થે કાંઈ પણ વાપરવું નહિ, એમ હું કહેવા માગત નથી, પરંતુ પોતાની આત્મરક્ષાઅર્થે પણ પ્રત્યેકે ખાવું તે જોઈએ, એજ હું કહેવા માગું છું. પરાર્થે કાંઈ પણ વાપરી શકે એવી જેની સ્થિતિ ન હોય, તેણે પરને આપ્યા વિના તેિજ પિતાને નિર્વાહ ચલાવી લેવું જોઈએ. અહીં કેટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com