________________
અધ્યાય ૧૧ માઇન્થક્તિ
૮૭
શ્રમનુ' એજ એક અતિમ ફળ, એજ એક છેલ્લુ સુફળ છે. “ આપે. આવું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કર્યુ ?” તેના ઉત્તરમાં મારે તને માત્ર એટલુંજ જણાવવું' જોઇએ કે સમસ્ત જીવન એ એક્જ ગંભીર પ્રશ્નના ઉત્તર પ્રાપ્ત કરવા અર્થે મેં વ્યતીત કર્યુ છે, અને તેના જે ઉત્તર આટલા લાંબા કાળે મને પ્રાપ્ત થયા છે, તેજ હુ તને સંભળાવવા માગુ છું. મારા સમસ્ત જીવનના પરિશ્રમાનુ ફ્ળ તું એકજ દિવસમાં કેવી રીતે સમજી શકે?
શિષ્યઃ——આપના કહેવા ઉપરથી મને એમ લાગે છે કે ભક્તિનાં લક્ષણૢાસબંધી આપે મને જે ઉપદેશ આપ્યા તે આપના પેાતાનાજ એક ખાસ સિદ્ધાંત છે. આઋષિ તે તત્ત્વ જાણુતા નહાતા.'
ગુરુ:——મૂર્ખ ! મારા જેવા ક્ષુદ્ર પ્રાણીમાં તે એવી શું શકિત છે કે આ મહઆ જે વાત ન જાણી શક્યા તે વાત હું જાણી કે શોધી શકું ? મારા કથનને સારાંશ માત્ર એટલેજ છે કે સમસ્ત જીવન પર્યંત તેમના શિક્ષણાના અભ્યાસ કરવાચીજ હું' તેમના આશયેા સમજી શકી છુ. હા, એટલુ છે કે જે ભાષામાં તને આજે ભકિત તત્ત્વ સમજાવું છું તે ભાષામાં તેઓએ તે વાત સમજાવી નથી. તમારા જેવા વીસમી સદીના નવયુક્રે!ને મારે વીસમી સદીની ભાષામાંજ આ વાત સમજાવવાની જરૂર પડી છે. ભાષામાં ગમે તેટલા પ્રભેદ પડી જાય તાપણુ સત્ય વસ્તુમાં કાઇ કાળે ફેરફાર થવા પામતા નથી. સત્ય વસ્તુ નિત્ય છે. તેમાં વિકાર કે પ્રભેદ કદાપિ થતા નથી. શાંડિયના સમયમાં ભકિતનું જે સ્વરૂપ હતું તેજ સ્વરૂપ હજી આ કાળે પણુ વર્તમાન છે. ભકિતનું થા સ્વરૂપ હજી પણુ આ મહર્ષિએના કથનેામાં અને ઉપદેશેામાં મળી આવે છે. જેવી રીતે સમુદ્રમાં ડુબકી માર્યા વિના રત્નનુ' યથ. સ્વરૂપ જણાતું નથી; તેવીજ રીતે હિન્દુશાસ્ત્રરૂપી અગાધ સમુદ્રમાં નિમજ્જન કર્યા વિના શાસ્ત્રીય તત્ત્વરત્નાની યથાર્થ પ્રાપ્તિ થઈ શકતી નથી.
શિષ્ય:- આ મહર્ષિઓએ ભકિતની જે વ્યાખ્યા કરી છે તેમ વ્યાખ્યા આપની પાસેથી સાંભળવાની મારી જિજ્ઞાસા છે.
ગુરુ:—એવી જિજ્ઞાસા ખરેખર આવકારદાયક છે. ભક્તિ ઉપર હિંદુનીજ માલેકી છે, કારણ કે ભકિત એ વસ્તુજ હિંદુએની છે. ક્રિશ્ચિયન ધમ માં પણ જો કે ભકિતવાદ છે, પશુ હિંદુધર્મમાં જે ખુબીથી ભકિતની સાકતા દર્શાવવામાં આવી છે, તેવી ખુખી બીજા કાઇ થમાં નથી. ખેદ માત્ર એટલેાજ છે કે આય મહર્ષિઓએ ભકિતની જે વ્યાખ્યા કરી છે તે વિસ્તારપૂર્વક સાંભળવાને તથા સંભળાવવાને જોઇએ તેટલા આપણને અવકાશ નથી. આપણા મૂળ ઉદ્દેશ અનુશીલન ધર્મી સમજવાના હતા, તે તને સ્મરણુમાં હશે. છતાં ભકિતસબંધી સ્થૂળ વ્યાખ્યા હું તને પ્રસંગાપાત સંભળાવીશ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com