________________
અધ્યાય ૧૧ મે--ઇશ્વરભક્તિ
૮૫
હેરાન કરે છે. આ દેખાવ એ માણસા જીવે છે. ધારો કે આ બન્ને પ્રેક્ષકા ઇશ્વર પ્રત્યે ભકિતભાવયુક્ત છે; પરતુ તેમાં એક જણુ અળવાન અને ખીજે નિર્જી છે. અળવાન માણસે બહાર આવી પેલા લૂટારાના હાથમાંથી પેલા નિર્દોષ માસને મુકત કર્યા, પરંતુ બીજો દુ॰ળ મનુષ્ય પ્રયત્ન કરવા છતાં પણ તે કાર્યોંમાં વિજયી થઇ શકયા નહિ. આવા પ્રસંગે વૃત્તિવિશેષના અનુશીલનના અભાવે દુબ ળ મનુષ્યમાં મનુષ્યત્વની ખામી હતી, એમ આપણે કહી શકીએ, પરંતુ તેનામાં ઈશ્વરભકિતના કિવા મનુષ્યભકિતના અભાવ હતા, એમ કહેવું છાજે નિહ. શારીરિક વગેરે વૃત્તિઆનું જ્યાઁસુધી યાગ્ય પ્રમાણુમાં અનુશીલન થાય નહિં ત્યાંસુધી કાઇ પણ વ્યકિત સંપૂર્ણ મનુષ્યત્વ પ્રાપ્ત કરી શકે નહિ, તેની સાથે મનુષ્ય પાતાની વૃત્તિઓના સામર્થ્યને જ્યાંસુધી ઈશ્વર-ભકિત પ્રતિ વહેતું ન કરે ત્યાંસુધી તેણે મનુષ્યત્વ મેળવેલું હાય તાપણું તે નિષ્ફળ છે, એમ કહેવું જોઇએ. માટે એ ઉભય ચેાગ્યતાઓના સમાવેશ એજ સંપૂર્ણ મનુષ્યત્વ. મનુષ્યત્વની પ્રાપ્તિ અર્થે જેમ વૃત્તિઓનુ સ્વાતંત્ર્ય સુરક્ષિત રહેવુ જોઇએ તેમ તેની સાથે ભકિતનું પણ પ્રાધાન્ય રહેવુ જોઇએ. એટલાજ માટે મે કહ્યું હતું કે વૃત્તિએ ઈશ્વરને સમર્પિત કરવા માત્રથીજ સંપૂર્ણ મનુષ્યત્વ પ્રાપ્ત થતું નથી, પરંતુ તેની સાથે વૃત્તિઓનું સમુચિત અનુશીલન પશુ અત્યાવશ્યક છે.
શિષ્યઃ—જી એક બીજો વાંધા છે, જે ઉપદેશ પ્રમાણે કાય થઇ શકે એવું ન હાય, તેને હું ઉપદેશજ કહેતા નથી. હું પૂર્ફ્યું છું કે આપના ઉપદેશ પ્રમાણે શુ સવૃત્તિઓને ઈશ્વરાભિમુખી કરી શકાય ? ક્રોધ પણુ એક પ્રકારની વૃત્તિ છે. હવે ક્રોધને ઇશ્વરાનુગામી કેવી રીતે કરી શકાય ?
ગુરુઃ—જગની તે અતુલ મહાક્રોધવાણીનુ તને સ્મરણુ છે ?
क्रोधं प्रभो संहर संहरेति यावद्भिरः खे मरुतां चरन्ति । तावत् स वह्निर्भवनेत्रजन्मा भस्मावशेषं मदनं चकार ॥
આ ક્રોધ મહા પવિત્ર ક્રોધ ગણાય; કારણુ કે યેાગમાં ભંગ કરનારી મદનની કુપ્રવૃત્તિ તે ક્રોધના પ્રતાપે વિનષ્ટ થઇ ગઇ ! આવા ક્રોધને સ્વયં પ્રભુનેાજ ક્રોધ કહી શકાય. આવીજ એક નીચ વૃત્તિ કે જેને ઈશ્વરાભિમુખી કરવાથી બ્યાસદેવ મહાભારત જેવા અદ્રિતીય કાવ્યગ્રંથ જગતને આપતા ગયા ! પણ હું ભૂલુ છું. તારા જેવા નવા જમાનાની રાશની પામેલા–વીસમી સદીના યુવકને આ વાત એકાએક ગળે ઉતરશે નહિ. એટલા માટે મારૂં વિશેષ કથન તારા જેવાને માટે નિરર્થક છે.
શિષ્યઃ—બીજો પણ એક વાંધા છે–
ગુરુઃ-તે સ્વાભાવિક છે. જે અવસ્થામાં મનુષ્યની સધળી વૃત્તિએ ઇશ્વરમુખી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com