________________
ધર્મતત્વ
તથા વૃદ્ધ પુરુષોની મશ્કરી કરતાં આપણને સહેજે સંકોચ થતું નથી. સમાજના ભયથી ડરી ડરીને ચાલીએ છીએ, પરંતુ સમાજ પ્રત્યે જે ભકિત જોઈએ તે આપણામાં રહી નથી. આ સર્વના પરિણામરૂપે આજે આપણું ગૃહ નંદનવન બનવાને બદલે નરકાવાસ સમાન થઈ પડયું છે ! શિક્ષણ અથવા કેળવણી પણ એવી છે કે તે આપણું હિત કરવાને બદલે અહિત કરી રહી છે ! રાજનૈતિક પુરુષોમાં પણ અનેક પ્રકારના મતભેદ પડવા લાગ્યા છે ! સમાજમાં અધોગતિ તથા ઉછુંખલતાએ પ્રવેશ કર્યો છે. આપણું ચિત્તમાં મલિનતાએ તથા મગજમાં અભિમાને ઉંડાં મૂળ નાખ્યાં છે.
શિષ્ય–ઉમતિને માટે ભકતની આટલી બધી જરૂર હોય એમ તે મે કદાપિ ધાર્યું નહોતું. | ગુસ –એટલાજ માટે ભક્તિને હું સર્વશ્રેષ્ઠ વૃત્તિ કહેતા હતા. હજી તે મેં મનુષ્યભકિતનીજ તને વાત કરી છે. હવે પછી ઈશ્વરભકિતવિષે વિવેચન કરીશ. ત્યાર પછી ભકિતની શ્રેષ્ઠતા વિશેષરૂપે તું સમજી શકશે.
अध्याय ११ मो-ईश्वरभक्ति
શિષ્ય --આજે ઈશ્વરભક્તિવિષે કાંઈક ઉપદેશ આપે, એવી મારી પ્રાર્થના છે.
ગુસ--અત્યાર સુધીમાં તેં જે કાંઈ મારી પાસેથી સાંભળ્યું છે અને હવે પછી જે કાંઈ સાંભળશે તે સિવાય ઈશ્વરભક્તિસંબંધે બીજે કાંઈ ખાસ ઉપદેશ નથી. અલબત્ત, સમજાવવા માટે તે વિષયનું અન્ય પ્રકારે વિવેચન કરવું પડે એ જુદી વાત છે. હિંદુધર્મમાં “ભક્તિ” શબ્દ મહાન અર્થ સૂચક લેખાય છે, અને તે શબ્દ આપણામાં એટલે બધા પ્રસિદ્ધ છે કે તેને માટે વિશેષ બોલવું અનાવશ્યક છે. ભિન્ન ભિન્ન ધર્મવેત્તાઓએ તેની વિવિધ પ્રકારે વ્યાખ્યાઓ કરી છે. ક્રિશ્ચિયન ધર્મ જે આર્યોતર ધર્મ પણ ભક્તિને પ્રધાનપદ આપે છે, તે તું જાણતો હઈશ. સર્વ ધર્મોના સિદ્ધાંતનું મનન કર્યા પછી અને અતિ ઉન્નત ભકતોનાં જીવનચરિત્રોને અભ્યાસ કર્યા પછી ભકિતના સ્વરૂપવિષે મેં જે નિર્ણય કર્યો છે, તે હું તને આજે જણાવવા ઇચ્છું છું. બહુ ધ્યાનપૂર્વક એકાગ્ર મનથી મારી વાત નહિ સાંભળે તો તારો અને મારો ઉભયનો પરિશ્રમ નિરર્થક જશે. શિષ્ય --ફરમાવે.
ગુસ–મનુષ્યની સઘળી વૃત્તિઓ ઈશ્વરાભિમુખી થાય અર્થાત સકળ વૃત્તિઓ ઈશ્વર તરફ વળે તેને ભકિત કહેવામાં આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com