________________
અધ્યાય ૧૦ મો-મનુષ્ય ભક્તિ
ભાર મૂકવામાં આવ્યો છે, એમ કહું તો પણ અત્યુકિત નથી, પરંતુ અત્યારે આપણું સુશિક્ષિત ગણાતા વર્ગમાં તેમજ અશિક્ષિત વર્ગમાં ભક્તિને છાંટે પણ રહ્યો નથી. પાશ્ચાત્ય સામ્યવાદ ( સોશીઆલીઝમ ) નો યથાર્થ મર્મ નહિ સમજી રકવાને લીધે હિંદી યુવકોના મગજમાં કાંઈક ઉંધા ખ્યાલેજ ભરાઈ બેઠા છે. અત્યારના સુધરેલા યુવકે એમ માને છે કે મનુષ્યમાત્ર સમાન છે મનુષ્યમાં ઉચ્ચ નીચના ભેદ પાડવા અસ્વાભાવિક છે, અને તેથી કેઈએ કોઈની ભકિત કરવાની કશી જરૂર નથી. મનુષ્યની સર્વશ્રેષ્ઠ વૃત્તિ, જે ભકિત, તેને અત્યારના ભણેલા યુવકો નીચતાનું ચિન્હ સમજવા લાગ્યા છે, તે ખરેખર શોચનીય છે. પિતાને અત્યારે “માઈ ડીયર ફાધર” કહેવામાં કોઈને કશો સંકેચ થતું નથી, પણ એને ખરો અર્થ તો એટલેજ થઈ શકે કે “ બુઢ્ઢો કરો.” આજકાલ માતાને “ફાધરના ફેમીલી” તરીકે અર્થાત-પિતાના પરિવાર તરીકે ઓળખાવવામાં આવે છે, અને મોટા ભાઇને તે પિતાની જ્ઞાતિનો એક મનુષ્યજ લેખવામાં આવે છે. ગુરુને એક સાધારણ માસ્તરતરીકે ગણી કાઢવામાં આવે છે. પુરોહિતે તે જાણે કાંઈ કામનાજ નથી ! જે સ્વામીની એક કાળે દેવતા સમાન પૂજા થતી તે સ્વામીને આજકાલ એક સાધારણું બધુ સમાન લેખવામાં આવે છે, એટલું જ નહિ પણ કવચિત કવચિત તેની પાસેથી નોકરનું પણ કામ કરાવવામાં આવે છે. સ્ત્રીને આપણે લક્ષ્મી સ્વરૂપ માનવી જોઈએ એવું તો કોઈના મનમાં પણ આવતું નથી; કારણ કે લક્ષ્મીને માને છેજ કોણ? આ તે જાણે આપણું ગૃહની વાત થઈ ! ગૃહની બહાર જઇને જોઈશું તો જણાશે કે રાજાને અનેક માણસે પિતાના કટ્ટા શત્ર સમાન માનવા લાગી ગયા છે. રાજપુરુષ એ જાણે કે કોઈ જુલમી રાક્ષસ હોય એમજ સૈ કોઇને ઠસી ગયું છે. સમાજના ગુરુઓ તે આપણી પાસે ઉપહાસ્યાસ્પદજ બની ગયા છે, અને આપણી સમાલોચના શકિત કેટલી તીક્ષ્ણ છે તે પ્રકટ કરવા માટે સમાજ શિક્ષકના વિષય સિવાય બીજો કોઈ વિષયજ આપણને મળતો નથી, જગતમાં કોઈ ધાર્મિક કે જ્ઞાની હેવ એમ તો આપણું સ્વમમાં પણ આવતું નથી. જે કોઈ ધાર્મિક પુરુષનાં અનાયાસે દર્શન થઈ જાય છે તો આપ
ને ભકિતભાવ ફરવાને બદલે તેના પ્રત્યે દયા કિંવા તિરસ્કારજ ફરે છે ! કે જ્ઞાની પુરુષ મળે તો તેને પરાજિત કેવી રીતે કરવો તેનાજ ખ્યાલ આપણા મનમાં રમ્યા કરે છે ! હું કાઈના કરતાં નિકૃષ્ટ છું અથવા મારા કરતાં અમુક મહાન છે, એમ માનવું એ આ કાળે એક મહાન મૂર્ખતા ગણાય છે. આથી કરીને આપણા જીવનને ઉચ્ચ લક્ષ્મપ્રતિ દોરી શકે એવો કોઈ આદર્શ આપણને મળી શકતા નથી. આ સર્વનું પરિણામ એ આવ્યું છે કે એજ્યપૂર્વક આપણાથી જે સામાજીક હિતનાં કાર્યો થવાં જોઈએ તે આપણાથી બની શકતા નથી. વિદ્વાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com