________________
અધ્યાય ૮ મા–શારીરિક વૃત્તિ
૬૩
સર્વ કર્મો કરી શકે તેવા સક્ષમ બનાવવા જોઇએ.
શિષ્યઃ—પણું એ કેમ બની શકે તેના ઉપાય તા આપે કાંઇ ખતાનો નહિ. ગુરુઃ——તેના ઉપાયેા (૧) વ્યાયામ, (૨) શિક્ષણુ, (૩) આહાર, (૪) ઇન્દ્રિયસંયમ. એ ચાર ઉપાયા શારીરિક અનુશીલનને માટે પૂરતા છે.
શિષ્યઃ—-તેમાં આપે વ્યાયામ તથા શિક્ષણુ સબંધે જે કાંઇ કહ્યું તે મેં ધ્યાનપૂર્વક સાંભળ્યું છે; પરંતુ આહાર સબંધે કાંઇ ખુલાસા થયા નથી. શરૂઆતમાંજ વાચસ્પતિ મહાશયના ખાનપાનસબંધે જે પ્રશ્ન ઉઠયા હતા તે હવે મને યાદ આવે છે. વાચસ્પતિ મહાશય કેવળ ભાત-દાળ ઉપરજ જીંદગીના નિર્વાહ કરતા. શું માત્ર એટલું ખાઇને બેસી રહેવું તે ધર્માનુકૂળ છે ? તેનાથી વિશેષ પ્રકારનાં દ્રવ્યેા આહારમાં લેવાં એ શું અધમ છે? હું ન ભૂલતા હાઉ તા આપનેા કહેવાના આશય તે વખતે કાંઇક એવાજ પ્રકારના હતા. ગુરુઃ—મેં કહ્યું હતું કે શરીરની રક્ષા તથા પુષ્ટિને માટે જો એટલેજ ખારાક શ્રેષ્ટ હાય તા તેથી અધિક આહારની લાલસા રાખવી એ અધમ છે. શરીરની રક્ષા તથા પાષણને માટે કેવા પ્રકરાના આહારની જરૂર છે એ વિષય તેા વૈજ્ઞાનિક પંડિતાના હાથમાંજ રહેવા દેવા જોઇએ. ધર્મના ઉપદેશકેાનું તે કામ નથી. હું માનું છું કે વૈજ્ઞાનિક પડિતા દાળ-ભાતને શરીરરક્ષા તથા પુષ્ટિને માટે યશેષ્ટ લેખશે નહિ; પરંતુ તેની સાથે વાચસ્પતિ મહાશયના સગાને વિચારણામાં લચ્ચે તા તેમના જેવા શરીરશ્ર્ચમ વિનાના માણસો માટે એવા સાદા ખારાક ચેષ્ટ પણ લેખાવા જોઇએ. આપણે તે ચર્ચામાં માથુ મારવાની અત્યારે કશી જરૂર નથી. વૈજ્ઞાનિકાનુ કામ વૈજ્ઞાનિકા કરે એજ ઈચ્છવાયાગ્ય છે. આહારસબંધેના એક મહત્ત્વને ઉપદેશ, કે જે સ્વયં શ્રીકૃષ્ણના મુખમાંથી નીકળ્યો છે, તે ગીતામાંથી હું તને સભળાવુ છું, એટલાથીજ સતાષ માની લેજે:
-
आयुः सत्त्वबलारोग्यसुखप्रीतिविवर्द्धनाः ।
रस्याः स्निग्धाः स्थिरा हृद्या आहाराः सात्त्विकाप्रियाः ।। અર્થાત્—જે આહાર આયુષ્યમાં, ઉત્સાહમાં, ખળમાં, સ્વાસ્થ્યમાં, સુખમાં અને ચિત્તના આનંદમાં વૃદ્ધિ કરે, રુચિને પ્રદીપ્ત કરે, જે આહાર રસયુક્ત હાય, સ્નિગ્ધ ઢાય, અને જેના તાત્ત્વિક અંશ શરીરમાં પાયન થાય તે અર્થાત્ “ ન્યુટ્રીશીઅસ હાય, એટલુ ંજ નહિ પણ જેના દર્શનમાત્રથી ખાવાની ઇચ્છા થાય તેજ આહાર સાત્ત્વિકાને પ્રિય થઇ પડે છે.
**
..
શિષ્ય;—પણ એમાં મદ્ય-માંસ આહારાથે લેવા જોઇએ કે નહિ તે તેા કાંઇ આવ્યુજ નહિ.
ગુરુ:—તે કામ વૈજ્ઞાનિકાનુ છે. શારીરતત્વવેત્તાઓને અથવા તેા વૈદ્યોને પૂછી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com