SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ધમતરવ નથી, અને અસ્ત્રવિદ્યા પ્રાપ્ત કરતું નથી તે મનુષ્ય ત્યાં બહુ ઉપહાસપાત્ર લેખાય છે. વિલાયતની સ્ત્રીઓ પણ અશ્વારોહણ તથા અસ્ત્રધારણ કરવાને શકિતવાન હોય છે. આપણે હાથે કરીને કેવી દુર્દશાએ પહોંચ્યા છીએ ? જેવી રીતે અશ્વારોહણ શારીરિક ધર્મનું એક પ્રકારનું અનુશીલન છે, તેવી જ રીતે પગે ચાલીને દૂર ફરવા જવું, તથા તરતાં શીખવું એ પણ એક અનુશીલન છે. જે મનુષ્ય પગે ચાલીને અમુક મજલ કાપી શકે નહિ, તેમજ નદી-નાળું તારી શકે નહિ તે થાર્થ યોદ્ધો બની શકે નહિ. મેં કહ્યું તે શિક્ષણ કેવળ હાઆનેજ માટે જરૂરનું છે એમ માની લઈશ નહિ. જે મનુષ્યને તરતાં ન આવડે તે મનુષ્ય પાણીમાં પિતાનું કે બીજાનું કદાપિ રક્ષણ કરી શકે નહિ. યુદ્ધના પ્રસંગે લડવૈયાઓને આત્મરક્ષા અથવા પરરક્ષા કરવી પડે એટલાજ માટે તરતાં શીખવું જોઈએ એવો સિદ્ધાંત કરીને બેસી રહીશ નહિ. સામા પક્ષ ઉપર હલ લઈ જવાને તેમજ શત્રુના પંજામાંથી બચવાને માટે પણ આપણે અનેક પ્રસંગે પાણીમાં તરતા તરતા જવું પડે છે. પગે ચાલીને પણ કેસોના કેસો સુધી દોડવું પડે છે, માટે મનુષ્યમાત્રે આ સર્વ કવાયત શીખવી જોઈએ. શિષ્ય --મતલબ કે શરીર પુષ્ટ અને બળશાળી બને તેટલાથીજ શારીરિકવૃત્તિનું અનુશીલન સંપૂર્ણ થયું ન ગણાય, પરંતુ તેની સાથે કસરત-કવાયત વિગેરે– ગુર–કસરત દિવા વ્યાયામમાં મલ્લયુદ્ધને પણ સમાવેશ કરી દેવો જોઇએ. કારણ કે તે બહુ બળદાયક છે. તેમજ આત્મરક્ષા તથા પરોપકારને માટે પણ તેની ધણી જરૂર પડે છે. શિષ્ય-સમ. ટુંકામાં શરીરની પુષ્ટતા, વ્યાયામ, મલ્લયુદ્ધ, અસ્ત્રશિક્ષા, અશ્વારોહણ, સંતરણ તથા પગે ચાલતાં દૂર સુધી જવાની પણ ટેવ પાડવી જોઇએ ગુર–એટલું જ નહિ સહનશકિત પણ જોઈએ. ટાઢ-તડકે તથા સુધા–તૃષા સહન કરતાં શીખવું જોઈએ. ગમે તેટલો પરિશ્રમ થયો હોય તે પણ ચિત્તમાં ખેદ કે ગ્લાનિ ન થાય તે માટે અભ્યાસ પાડવો જોઈએ. તે સિવાય એક લડવૈયાને માટે બીજી પણ કેટલાક અભ્યાસ કરવા જોઈએ. દાખલા તરીકે જરૂરના પ્રસંગે માટી ખોદતા આવડવું જોઈએ, ઘર બધિતાં શીખવું જોઈએ, વજન ઉંચકી જવાની ટેવ પાડવી જોઈએ, વિગેરે અનેક સમયે યોદ્ધાઓને દશ-બાર દિવસ ચાલે તેટલે અન્નને જથ્થો પીઠ ઉપર ઉંચકીને લઈ જ પડે છે. ટુંકામાં એક કારીગર પોતાનાં ઉપયોગી અસ્ત્રો પોતાની પાસે રાખી તેને બરાબર ધારવાળાં બનાવીને સાથે લઈ જાય છે તેવી જ રીતે આપણે આપણું દેહરૂપી શસ્ત્ર તીક્ષ્ણ ધારવાળા શસની માફક હમેશાં તૈયાર રાખવું જોઇએ. કારીગર જેમ પોતાનાં સજાવી રાખેલા અસ્ત્રોથી સર્વ દ્રવ્યોને તોડી-ફોડી તથા સાધી શકે છે, તેવી જ રીતે આ દેહ પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy