________________
.
ખ્રિસ્તીઓ તે નહિજ ખ્રિસ્તી મત એવા છે કે ઈશ્વર વિષેના વિચાર એ રીતે માણસને પ્રાપ્ત થાય છે, એટલે ઈશ્વરી પ્રકટીકરણદારે અને કુદરતી રીતે. આ સૃષ્ટિજન્ય જ્ઞાન આખી દુનિયામાં પ્રસરેલું છે અનેતે દ્વારે દરેક માણુસના અંતઃકરણમાં ઈશ્વર પેાતાની હસ્તી વિષે સાક્ષી આપે છે. માણુસ જેમ સુધારાની સ્થિતિ પર આવે તેમ આવા જ્ઞાનના વિકાસ થાય એ સ્વાભાવિક છે. પરંતુ આ ઐતિહાસિક દલીલ વાપરવામાં નાસ્તિકાની જે ભૂલ થાય છે તે ખરેખર માલિશ ભૂલ કહેવાય. ક્રાઇપણ વસ્તુની છેવટની સ્થિતિ જોઈને જ તેને પૂરા ખુલાસેા થઈ શકે; તેની મૂળ સ્થિતિ જોઇને તે નહિ જ. પુખ્ત ઉંમરના પુરુષ વિષે શું બાર વરસના છેકરાને એને વધારે ચાહિતી મળે કે માના ગર્ભસ્થાનમાં રહેલા બાળકને જૈને? શું ઝાડને ખુલાસે બીજ જોવાથી સથાય છે કે ઝાડ જોવાથી ખીજને ખુલાસા સમજાય છે ? આધુનિક ઔષવિદ્યાનું મૂળ જેવું હોય તે તે અભિચારીના વાસણમાં રહેલું મળશે; પણ એટલાજ કારણને લીધે ક્રાઇ હાલના દાક્તરને તિરસ્કાર કરતું નથી. ખરી વાત એ છે કે પોતાની બહાર આવી ક્રાઈ શક્તિમાન વ્યક્તિ હસ્તી ધરાવે છે એવી જે લાગણી તમામ અવસ્થાના માણસને થાય છે તે તે એવી વ્યક્તિ ખરેખર હશે એની સખળ સાક્ષીરૂપ માલૂમ પડે છે.
આ દલીલ વળી એક બીજું રૂપ ધારણ કરે છે. કેટલાક નાસ્તિક આપણને એમ કહે છે કે તમામ ધર્મોનું મૂળ સ્વાર્થ છે. ખાસ કરીને મે વના માણસને તે લાવતા આવે છે, એટલે રાજાએ તે ધર્મગુરુઓ. પણ વિશેષે કરીને ધમગુરુઓને માટે ધમ જરૂરી વસ્તુ છે; કેમકે તે પર તેમના નિર્વાહને! આધાર છે. આ કારણથી તેઓ લકાનાં વહેમને ટકા આપે છે, અને જેમ લેાકેા વહેમી બને છે તેમ તેઓના ધર્મગુરુઓ હુષ્ટપુષ્ટ ' થાય છે. આ હિસાબે તા” દરેક ધ શાસ્ત્રના જેમણે મૂળ ભાષામાંથી તરજુમે કર્યો અને તેના ખુલાસા લખ્યા તે બધાએ ખાલી પેટ ભરવા માટે તે કર્યુ એમજ માનવું પડે. આવા કામના અને ઘણા અનુભવ થયા છે અને વાચકને ખાતરી આપું છું કે આના કરતાં પેટ ભરવાના સહેલા રસ્તા ખીજા ઘણા છે. પછી રાજા કે રાજયાાધકારીઓ પર એવી ટીકા કરવામાં આવે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com