________________
છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૧૨ મું માફક આપ તરફથી મદદની રાહ જોઈએ છીએ.” ઉપર પ્રમાણેને પત્ર મસાઉદખાને શિવાજી મહારાજ તરફ કરવાના કર્યો અને રૂબરૂમાં વિનંતિ કરવા માટે પિતાને વકીલ હિંદુરાવને રવાના કર્યો.
સીદી મસાઉદને દયા ઊપજાવે એ પત્ર વકીલ હિંદુરા શિવાજી મહારાજને આપ્યું અને આદિલશાહી ઉપરની આફતનું વર્ણન કરી મહારાજને મદદ માટે વિનંતિ કરી. હિંદરાવના ગયા પછી શિવાજી મહારાજે આ પત્ર ઉપર અને મસાઉદખાનના સંદેશા ઉપર ઊંડે વિચાર કર્યો. મુગલે આદિલશાહીને ગળી જાય એ મહારાજને બીલકુલ ગમતું જ ન હતું. આદિલશાહી સર કરી પિતાની સત્તા મુગલે મહારાષ્ટ્રમાં મજબૂત કરે એ પણ મહારાજને ગમતું ન હતું માટે મહારાજે આદિલશાહીને આ આફત વખતે એની માગણી પ્રમાણે મદદ કરવાનો વિચાર કર્યો. આદિલશાહી જીવતી રહે એ મહારાજની ઈચ્છા હતી અને પોતાની મદદથી જે એ જીવતી રહે તો પણ એને મૂળમાંથી એમણે એવી હલાવી દીધી હતી કે એ મહારાજને ફટકા મારવા જેટલી, મરાઠાઓની સત્તાને હલાવવા જેટલી મજબૂત થઈ શકે એમ ન હતી એની મહારાજને ખાતરી હતી.
શિવાજી મહારાજ પોતે ૧૮૦૦૦ કસાયેલા માવળાનું લશ્કર લઈને નીકળ્યા. પિતાના લશ્કરની એક ટુકડી મહારાજે આનંદરાવની સરદારી નીચે બિજાપુરની મદદ માટે રાખી અને મુગલ અમલદારને બિજાપુર નજીકથી ખસેડવાના ઈરાદાથી મહારાજ પોતે લશ્કર લઈ બિજાપુરની પશ્ચિમે સેલગુર ગામે
વ્યા અને ત્યાંથી મુગલ મુલક લૂંટવા અને જીતવા ખાનદેશ તરફ વળ્યા. મુગલ મુલકમાં લૂંટ, હુમલાઓ, ચડાઈઓ અને છાપાઓ શરૂ થશે તે દિલેર બિજાપુર છોડીને તે તરફ આવશે એવી મહારાજની ધારણું હતી. ઔરંગાબાદ અને બહાણપુરની વચ્ચે આવેલા ધરણગામ અને ચોપડા એ બે શહેરો શિવાજી મહારાજે લૂટયાં. દિલ્હી અને ઔરંગાબાદની વચ્ચેના ચાલતા વહેવારમાં અડચણે નાંખીને દિલેરખાનને બિજાપુરથી પાછો બોલાવી લેવાની મુઆઝીમને ફરજ પાડવાના રસ્તા પણ મહારાજે લેવા માંડ્યા. ત્યાર પછી મહારાજે જાલનાપુર તરફ કૂચ કરી. જાલનાપુર દક્ષિણની મુગલ રાજધાનીથી ૫૦ માઈલ દૂર આવેલું બહુ નામીચું અને તવંગર શહેર હતું. એ શહેર ઉપર ૧૬૭૯ના નવેમ્બર માસમાં શિવાજી મહારાજે છાપો માર્યો. એ શહેર મરાઠાઓએ જીત્યું અને લૂંટવું. મહારાજ એ શહેરમાં ૩ દિવસ રહ્યા હતા. એમણે ત્રણ દિવસ સુધી એ શહેર લૂંટીને બહુ સંપત્તિ એકઠી કરી અને ત્યાંથી નીકળવાનો વિચાર કર્યો. જાલનાપુર ઉપર મહારાજે છાપે માર્યાની ખબર શાહજાદા મુઅઝીમને મળી પણ એનું રુવાટું ફરકયું નહિ. લૂંટનો માલ લઈને મહારાજ જાલનાપુરથી રાયગઢ જવા નીકળ્યા. મહારાજ નીકળ્યાની ખબર મુઅઝીમને મળી એટલે એણે સ. રણમસ્તખાનને ૧૦ હજાર સિપાહીઓનું લશ્કર આપી મહારાજ ઉપર હસ્તે કરવા રવાના કર્યો.
૨. સંગમનેરના સંગ્રામ. જાલનાપુરની લૂંટમાં મહારાજને અઢળક સંપત્તિ મળી. સેનું, રૂપું, ઝવેરાત, હાથી, ઘેડા, ઊંટ વગેરે કીમતી ચીજો તથા ભારે કિંમતનું કાપડ વગેરે લઈ મહારાજ જવા નીકળ્યા. લૂંટના માલના સેંકડો ગાડાંઓ મહારાજની સાથે હતાં. આ માલ પડાવી મરાઠાઓને સજા કરવા માટે રણમસ્તખાનની સાથે મદદમાં સ. અસફખાન, સ. જ્યાબીતખાન વગેરે પોતપોતાની ટુકડીઓ લઈને આવ્યા હતા. મહારાજની કુચની બધી ખબર દુશ્મને રાખી હતી. રણમસ્તખાને શિવાજી મહારાજની પૂઠ પકડી અને એમને સંગમનેર આગળ પકડી પાડ્યા. મુગલ લશ્કરે મરાઠા લશ્કર ઉપર છાપે માર્યો. મરાઠાઓ પણ તૈયાર જ હતા. એમણે મુગલે બહુ સુંદર સામનો કર્યો. મરાઠાઓએ પિતાને બચાવ કરીને મુગલ લશ્કર ઉપર હલ્લે કર્યો. ગમે તેટલું તેફાની અને જબરું જનાવર હેય પણ એના ગળામાં ડેરે બાંધવામાં આવે તો તે બળ હોવા છતાં લાચાર બની જાય છે તેવી સ્થિતિ મહારાજની થઈ મહારાજ મુગલ લશ્કરને હરાવવાને શક્તિવાન હતા પણ લૂંટના માલનાં સેંકડે ગાઠાં સાથે હતાં એટલે એ માલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com