SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૪ મું ] છે. શિવાજી ચરિત્ર ૪૨૯ અને શૌય હતાં, એટલુંજ નહિ પણ આવી પ્રડતાં સંકટોને સામને કરવા અને સંકટા ટાળવા યુક્તિએ યેાજવાની શક્તિ મહારાજમાં આબાદ હતી. પેાતાનાં માણસા પકડાયાં એટલે મહારાજે જાણ્યું કે આ ઠેકાણે તો સાહસ ખેડીને જ લખત નિભાવી લેવા જેવું છે. ભારેમાં ભારે સાહસ ખેડીને પશુ ગયાજીમાંથી સહીસલામત છટકી જવા માટે મહારાજ યુક્તિ ખેાળવામાં પડ્યા. ચારે તરફ એટલી સખતાઈ હતી કે ચસકવું બહુ ભારે હતું. આખરે મહારાજે પોતેજ સાહસ ખેડવાનું નક્કી કર્યું. એક રાત્રે મહારાજ પોતેજ ગયાજીના ફાજદાર ખલીલીખાનને ભગવાં વજ્રમાં એને ઘેર જઇને મળ્યા અને કહ્યું કેઃ—“ ખાન સાહેબ ! હું શિવાજી પોતે છું. મારાં માણુસેને આપે પકમાં છે. મને ગિરફતાર કરીને આાપ ગ્રે માલશા તેથી આપને જે લાભ થશે તેનાથી વધારે લાભ આપના નસીમમાં લખેલા છે. લે આ આપને માટે કીમતી હીરા અને અણુમેલું માણેક હું લાવ્યેા હું, આપનાં બાળ બચ્ચાં વંશપરંપરા સુધી સુખી થશે, એટલું ધન છે. લક્ષ્મી ચાંલ્લા કરવા આવી છે તેા માં ધાવા ન જો, ફોજદાર સાહેબ! આ તક ન જવા દેશે. '' એમ કહી મહારાજે એક હીરા અને એક માણેક ફાજદાર સાહેબના હાથમાં મૂકવાં. ફ્રોજદાર સાહેબ આ લાંચ પાછળ ન ઠેલી શકયા. મહારાજ પોતાનાં માણુસાને છેડાવીને ગયાથી નીકળીને કટક આવી પહોંચ્યા. ' આ ટાળીને પગ રસ્તે બહુ લાંખી મજલ કાપવી પડતી. કેટલીક Üખતે પાસેના ટૂંકા રસ્તા મૂકીને લાંખે રસ્તા પણ લેવા પડતા. મહારાજને પેાતાને અને ખીજાને ખૂબ ચાલવું પડતું. પ્રવાસના થાક, રસ્તાની હાડમારી, પાછળ પડેલા દુશ્મનની ધાસ્તી, પકડાઈ જવાના ભય, કેટલીક વખતે તે ખારાકના પણ સાંસા, પ્રતિકૂળ સંજોગા હાય ! રાત્રે અંધારામાં ઘેર અરણ્યમાંથી પસાર થવું, વગેરે વગેરે અડચણેામાંથી આ ટાળી પસાર થતી હતી છતાં એ ટાળીને જીસ્સા અખંડ હતા. ઉત્સાહ અને ઉમંગ એમનામાં અખૂટ હતાં. કટક આવ્યા પછી મહારાજને લાગ્યું કે સળીમાંથી કાઈ થાકી જાય અથવા માંદુ પડે તે તેને માટે એક નાનું ટટ્ટુ ખરીદવાનેા વિચાર કરી, ધાડાના વેપારીને ત્યાં મહારાજ ખાવાના વેશમાં ગયા. ઘેાડું ખરીદ્યું અને પેાતાના માણુસને આપ્યું. એની કિંમત આપવા માટે એમણે નાણુંની થેલી છેાડી અને તેમાંથી કાઢી વેપારીના હાથમાં ચાંદી નાણાને બદલે સેાના નાણું પૂછ્યું. સેના નાણું જોઈ ને સાદાગર તરતજ એટલી ઉચો “ આપ સાચા ખાવા નથી દેખાતા. બનાવટી ખાવા લાગેા છે. આગ્રંથી નાસી છૂટેલા શિવાજી તો નથીને ! ” આ શબ્દો સાંભળતાની સાથે જ મહારાજે હાથમાંની નાણાંની શૈલી સાદાગરના હાથમાં મૂકી દીધી. સદાગર અંદરનું નાણું જોવા લાગ્યું. મહારાજ ત્યાંથી ખનતી ઝડપે નીકળ્યા અને એની દૃષ્ટિથી દૂર થઈ ગયા. “ તેરી બી ચુપ આર મેરી ખી ચૂપ. ” સાદાગરના હાથમાં નાણાંની થેલી મૂકી મહારાજ કટકથી નીકળ્યા તે જગન્નાથપુરી આવ્યા અને ત્યાં આવી જગન્નાથજીનાં દન કર્યાં. જગન્નાથપુરીથી મહારાજ અને તેમની ટાળી નીકળી. તેમને ઘાડા જંગલના માર્ગો લેવા પડયો. ધાર અરણ્ય, ડુંગરા, ખાણા વગેરે વિકટ માર્ગી કાપતી કાપતી એ ટાળી ગાંડવવનમાં ચાંદા મુકામે આવી અને ત્યાં આરામ કર્યાં. ચાંદેથી દેવગઢ આવી પછી ત્યાંથી વાઈન, ગઞા વગેરે નદીએ મેળંગી ગાદાવરીના તીરપ્રાંતમાં થઈ એ ટાળી ભાગાનગર થઈ ઈન્દર (ઈન્દાર નહિ) આવી અને ત્યાંથી કાડાલી ગામે મુકામ કર્યાં. કાડૅાલી મુકામે આ ટાળી પટેલને ત્યાં મુકામ માટે ગઈ. પટેલ શ્રદ્ઘાળુ હતા. તેની બરફી મા પણ શ્રાળુ ખાઈ હતી. ખાવાની આ ટાળી પોતાને બારણે આવેલી જોઈ મા દિકરાને આનંદ થયા. પોતાનાં ઢાર બાંધવાની કાઢમાં આ ટાળીને ઉતારી આપ્યા. પટેલની માએ તેમને રસાઈ કરવાનું કહી જોઈતી ચીજો આણી આપી. સાધુસંત પેતાને બારણે આવે એ તા ઈશ્વરની કૃપા કહેવાય એમ એ આઈ સમજતી હતી. રસાઈ માટે એણે સાધુઓને સીધુ' સામાન આપ્યાર્થી તેને સંતાષ ન થયો. ડેાસીને મનમાં એછું આવ્યું અને ન રહેવાયું એટલે એ મહંત આગળ ખેલી કેઃ— Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy