________________
છત્રપતિ શિવાજી ચરિત્ર
ભાગ ૧ લો.
પ્રકરણ ૧ લું. ૧. શિવાજી મહારાજના પૂર્વજ અને કુળનાં મૂળસુજનસિંહથી માછ સુધી. ૨. સિરિયા કુળમાં ભેંસલે કયાંથી ? | ૫. માલજી અને વિજીની એડી. ૩. દેવરાજળનું દક્ષિણ તરફ પ્રયાણ. ૭ ક. લખુજી અથવા લુખજી જાધવ.
૭. નિઝામશાહનું આમંત્રણ ૧, શિવાજી મહારાજના પૂર્વજ અને કુળનાં મૂળ
અધ્યામાં અવતરી વિજય કર્યો લાહેર, ગરજે વંશ ગુજરાતમાં જામ્યું ઈડર જેર, મેવાડે મહાલ્યા પછી દક્ષિણ વાગી હાક, સૂર્ય વશી સિસોદિયા રાખ્યું હિંદુનાક.
T દુ ધર્મના તારણહાર શ્રી છત્રપતિ શિવાજી મહારાજના પિતાનું જીવન ચરિત્રમાં પ્રવેશ કરતાં
છે પહેલાં આપણે મહારાજના પૂર્વજોને પરિચય કરીને એમના કુળના મૂળ તરફ સહજ નજર કરીએ. શ્રી શિવાજી મહારાજ જે કુટુંબમાં જન્મ્યા તે ભેંસલે કુટુંબ પોતે રજપૂત હેવાને દાવો કરે છે અને જૂની બખરે, પુરાણું પત્ર, જૂના ઈતિહાસ અને એવાં બીજા સાધનો દ્વારા દેશના ઇતિહાસને લગતી જે મહત્વની માહિતી મળી આવે છે તેને ઊપયોગ કરી તે ઉપર ઊંડી નજર દોડાવતાં એ દાવ સાચો હોવાની ખાત્રી ઝીણી નજરથી વાંચનાર, શોધક બુદ્ધિના વાચકેને થયા સિવાય રહેશે નહિ. અનેક સિકાઓ વીતી ગયા પછી, આસમાનીસુલતાન થઈ ગયા પછી, કાળચક્ર દેશ ઉપર વારંવાર ફરી વળ્યા પછી, રાજક્રાન્તિનાં અનેક મજેઓ ઉછળ્યા પછી કેટલાયે જમાનો બદલાયા પછી ઘણા વરસે પહેલાંના જાના બના માનવા માટે લેખી પુરાવાનો આગ્રહ કઈ પણ વાચક કરે નહિ. આવા સંજોગોમાં તે દંતકથાઓ, જાની વાત, જૂનાં લોકગીત, વગેરે જે જે પુરાવા મળી આવે તે બધાયે પુરાવા ઉપર વાચકોએ ધ્યાન આપવું જોઈએ એટલું જ નહિ પણ અમુક પુરાણું બનાવ ઉપર પિતાને અભિપ્રાય અગર નિર્ણય આપતી વખતે જે પુરાવા ઉપલબ્ધ હોય તેને યોગ્ય વજન આપવું ઘટે છે.
ભેંસલે કુટુંબ રજપૂત હોવાની વાત માનવાને વાચકે સમક્ષ અમે નીચેની વાત રજૂ કરીએ છીએ તે ઉપરથી ભેંસલે કટુંબ રજપૂત હતું કે નહિ તેને નિર્ણય વાચકે કરી શકશે. બની શકે તેટલા જાના લેખી પુરાવા વાચક આગળ રજૂ કરવાના પ્રયત્ન અમોએ યથાશક્તિ કર્યો છે. એ પુરાવા વાચકે ઝીણવટથી તપાસે એટલી અમારી વિનંતિ છે.
૧. શ્રી શિવાજી મહારાજના પિતા સિંહાઇ ભેંસલે પિતાને રજપૂત કહેવડાવતા હતા. ભોંસલે કુટુંબને રજપૂત માનવા ઘણું પુરાવા મળી આવે છે. “રિયાદીન પ લ્સ - ૪ {.” માં ૧૫૩ મે પાને પત્ર નં. ૭૧૦ પ્રગટ કર્યો છે. તેમાં સિંહાજી રાજા રજપાવાનો નિર્દેશ કર્યો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com