________________
૨૪૧
મારણ ૨ નું ]
છ, શિવાજી ચરિત્ર ગમે તે રસ્તે અને ગમે તે રીતે ખાન દગો કરશે અને મહારાજને પકડશે અથવા પૂરા કરશે.” પિતાના વિશ્વાસ બાતમીદારની બાતમીએથી અને બીજા સંજોગોને લીધે મહારાજને ખાતરી થઈ ગઈ હતી કે ખાન મુલાકાત વખતે દગો દેશે. એવા સંજોગોમાં ખાનનું કાયનાપારની છાવણીનું લશ્કર પ્રતાપગઢ ઉપર હલે લાવે તે તેની સામે ટકવા માટેની વ્યવસ્થા શિવાજી મહારાજે કરી હતી. કંઈ અકસ્માત અને આકસ્મિક કારણોને લીધે જે મહારાજને મહાડ તરફ અને કેકણ તરફ જતા રહેવાનું થાય અને કેયનાપારની છાવણીનું લશ્કર એમની પૂઠે આવે તો તેને અટકાવવાની પણ શેઠવણ મહારાજે કરી હતી. દુશ્મન બળિયો હોય અને આપણી પાસે લડાઈની સામગ્રી અને સાધનો દુશ્મન કરતાં ઓછાં હેય તથા લશ્કર પણ દુશ્મનની સરખામણીમાં નાનું હોય તે કાબેલ સેનાપતિ અડચણે અને આફત કપીને મૂહરચના રચે છે. મહારાજ બહુ કાબેલ સેનાપતિ હતા, એટલે એમણે આ બધા વિચાર કરીને ગોઠવણ કરી હતી.
કેયનાપારની ખાનની છાવણીનું લશ્કર પ્રતાપગઢ તરફ આવે તો તેને અથવા એ લશ્કર કેકણ તરફ જવા માટે ઘાટ તરફ જાય તે તેને, ઘાટ પર ચડતાં પહેલાં જ અટકાવી, તેને નાશ કરવાનું કામ સર સેનાપતિ મોરોપંત પિંગળને સોંપવામાં આવ્યું હતું. સર સેનાપતિ પિંગળે લશ્કર (પાયદળ) સાથે પારઘાટ નજીક દુશ્મન દળની રાહ જોતો હતો. દુશ્મન દળ ન આવે તે તપના ધડાકા સાંભળીને કાયનાપારની ખાનની છાવણું ઉપર છાપે મારવાનું કામ પણ પિંગળનું હતું.
આખરે પોણા પાંચને સુમારે તોપોના ધડાકા થયા. મેરેપંત તૈયાર તો થયા પણ ખાન ૧૫૦૦ માણસની ફેજ સાથે લાવ્યો હતો તેથી કાર્યક્રમમાં ગૂંચવાડો ઉભો થયો. મોરોપંત આવા ગૂંચવાડાથી ગભરાય તેમ ન હતા. એમણે પોતાની જવાબદારીથી જરર જેટલે ફેરફાર કરી દીધું અને જનીટેબની ખીણમાંનાં ખાનનાં ૧૫૦૦ માણસો ઉપર હલે કરવાનું કામ બાંદલ, જેધે વગેરે સરદારને સોંપ્યું. તેમની કુમકે સરદાર ઢમાળે, મૈરાળ, ઢેર અને ધુમાળને તેમની ટુકડી સાથે મોકલી દીધા. મેરેપંત પિતાના પાયદળની બધી ટુકડીઓ સાથે ઘોડવહુ આગળ આવ્યા. ત્યાંથી સરદાર ઢમાલ વગેરેને જનીટંબ તરફ રવાના કરી મોરોપંત કુમઠા વટાવી નિવળી થઈ સર્પાકાર રસ્તે કેયનાપાર ખાનની છાવણી નજીક આવી પહોંચ્યા અને ખાનના લશ્કર ઉપર ત્રણે બાજુએથી હલે કર્યો.
ગઢ તરફ મદદ મોકલવાનો ખાન તરફથી સંદેશ ન આવ્યો એટલે છાવણીના અમલદારે નિરાંતે બેઠા હતા અને વખત સાંજનો હતો તથા શિવાજી મહારાજના લશ્કર તરફથી અચાનક હલે થશે એવી કઈને સ્વપ્ન પણ કલ્પના ન હતી એટલે છાવણીનાં માણસે પૂર્ણ આનંદ અને આરામમાં હતાં. પંતનો આ અચાનક હલે બહુ જુસ્સાનો હતો. “ હર હર મહાદેવ”ના અવાજની સાથેજ મરાઠા સૈન્ય કતલ શરૂ કરી. અફઝલખાનના લશ્કરી આભા જ બની ગયા. ક્યાં જવું અને શું કરવું તે કંઈ સૂઝે નહિ. એટલામાં કમળાજી લખે, થેસાજી કંક, તાનાજી માલસરે, કાંડાછ વરખલ અને રામજી પાંગાકર એ પાંચ યોદ્ધાઓ પોતાની ટુકડી સાથે છાવણી ઉપર હલે લાવ્યા અને ખાનની છાવણીને ચારે તરફથી ઘેરી લીધી. મોરોપંતના અચાનક હલ્લાની સાથે ખાનના ખૂન થયાના સમાચાર પણ છાવણીમાં આવ્યા અને ખાનના લશ્કરમાં ગભરાટ પેઠા. પોતાના પિતા પડ્યાના અશુભ સમાચાર ખાનના ત્રણે છોકરા ઉપર આકાશમાંની વીજળીની માફક આવી પડ્યા. આ બહાદુર અને બાહોશ બાપના દીકરાઓને માથે ભારે સંકટ આવી પડયું. ખાનનો મેટો છોકરો કાજલખાન ગભરાયો અને પોતાના બે ભાઈઓને છાવણીમાં છોડી, પોતે જાન બચાવવા નાઠે. ખડોજી ખેપડેને ભારે લાલચ આપી. ખંડોજીએ પોતાનાં ૩૦૦ માણસો એના રક્ષણ માટે આપ્યાં અને એને ત્યાંથી નસાડ્યો. તે કરાડ ગયો અને ત્યાંથી બિજાપુર ચાલ્યો ગયો. છતવાની વાત તે બાજુએ રહી, પણ જીવવાની આશા પણ ઉડવા લાગી. લશ્કરનાં માણસે જાન બચાવવા માટે,
81
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com