________________
પ્રકરણ ૯ મું ] છે. શિવાજી ચરિત્ર
૧૩૭ શિવાજી ઉપરનું વેર વસુલ કરવા માટે પૂરત બંદોબસ્ત કરવા દરબારીઓને વિનંતિ કરી ( પ્રો. રાઉલીનસન. ૩૯).
શિવાજી મહારાજના વિરુદ્ધની અનેક વાતો સાંભળ્યાથી બાદશાહ સલામતને, દરબારના મુત્સદ્દીઓને અને કેટલાક સરદારેને ગુસ્સે તે આબે, પણ સિંહજીના વધતા જતા જેને લીધે તેને છંછેડો એ ભારે જોખમ હતું એની પૂરેપુરી જાણુ બિજાપુર દરબારને હતી. સિંહાએ કર્ણાટકમાં પિતાની પ્રતિષ્ઠા એવી મજબૂત જમાવી હતી કે બાદશાહ પિતે પણ શિવાજીને છેડી સિંહાઇને નારાજ કરવા તૈયાર ન હતું. બાદશાહ અને દરબારના મુત્સદ્દીઓની તે ખાત્રી જ થઈ ગઈ હતી કે જે વખતે સિહાજીનો સિતારો સિકંદર છે તે વખતે શિવાજી ઉપર હાથ નાખો એ બાદશાહ માટે શ્રેયસ્કર નથી. પ્રતિકુળ સંજોગોને લીધે છે વખત સુધી બિજાપુર સરકારે શિવાજી મહારાજનાં કર્યો તરફ આંખ આડા કાન કર્યા. શિવાજી મહારાજ તો પૂર જોસથી આગળ ધપે જ જતા હતા. આવી સ્થિતિમાં શાંત બેસી રહેવું એ બિજાપુર સરકાર માટે કલ્યાણકારક ન હતું. શિવાજીના વધતા જતા બળ તરફ બેદરકારી કે આંખમિચામણાં કરવાથી બિજાપુર સરકારને ભારે નુકસાન થાય એમ હતું એટલે શિવાજી મહારાજનું વધતું જતું બળ અટકાવવા માટે તથા એમણે આદરેલાં તોફાને બંધ કરવા માટે બિજાપુર સરકારે પગલાં લેવાને વિચાર કર્યો. શિવાજી મહારાજનું વધતું જતું જોર શી રીતે અટકાવવું એ બહુ ભારે કેયડે બિજાપુર બાદશાહને થઈ પડ્યો. આ વખતે બિજાપુર દરબારની દશા બહુ કફોડી થઈ હતી.
શિવાજીએ આરંભેલી હિલચાલને સિંહાનો અંદરખાનેથી ટકે છે એવી બિજાપુર સરકારની અને તેમના સરદારોની ખાત્રી થઈ ગઈ હતી. દશે દિશાએ દિગ્વિજય કરતા શિવાજીનો ઘાટ શી રીતે ઘડવે એ મુંઝવણમાં બિજાપુર દરબારના મુત્સદ્દીઓ પડ્યા હતા, કારણકે સવાલ એકલા શિવાજીને ન હતો. તેમ હોત તો બિજાપુર સરકારે કયારનીએ લડાઈ સળગાવી દીધી હોત, પણ શિવાજીની બાબતમાં સંજોગે બહુ પ્રતિકૂળ ઉભા થયા હતા. શિવાજીને દબાવવા જતાં ઘરના ઘા બહુ આકરા થઈ પડે એમ હતા તેથી શિવાજરૂપી કાંટો બળથી નહિ પણ કળથી કાઢવાનો સૌને વિચાર થયો. શિવાજીને પકડીને જે કેદ કરવામાં આવે તો સિંહાજી જરુર વીફરે એવું બિજાપુર સરકારને લાગ્યું. સિંહાજી તે તે વખતે બિજાપુર બાદશાહતની બહુ પ્રભાવશાળી વ્યક્તિ થઈ પડી હતી એટલે સિંહાને છોડવામાં બાદશાહતને ધક્કો લાગવાનો સંભવ હતો. સિંહાજીને દુશ્મન નહિ બનાવવા માટે તે બિજાપુર સરકારે અત્યાર સુધી શિવાજીનાં તેફાને સામે મૌન પકડ્યું હતું. શિવાજી મહારાજે કરેલાં દરેક અપમાન તરફ બિજાપુર સરકારે આંખમિચામણાં કર્યાં હતાં. બિજાપુર સરકારના મૌન અને આંખને મિચામણથી શિવાજી મહારાજનો મુલક છતવાને કાર્યક્રમ અટકળ્યો ન હતો પણ એમને વેગ તે વધતો જ જતો હતો. આ વેગ વધતાં વધતાં એટલી હદે આવી પહોંઓ કે બિજાપુર સરકારને હવે મૂગાં બેસવું પાલવે એમ હતું જ નહિ. બિજાપુર સરકારની સત્તા જામેલી હતી, બળ ઓછું ન હતું પણ જે સંજોગોમાં તે મુકાઈ હતી તે સંજોગોમાં એકલી શક્તિ કામ કરી શકે એમ ન હતું. યુક્તિ સિવાય શક્તિ વાપરવામાં આવે તે વિવાહની વરસી થાય એવી સ્થિતિ હતી. બિજાપુર બાદશાહત માટે આ બહુ કટોકટી વખત હતો. પરિસ્થિતિને પૂરેપુરી તપાસીને ગંભીરપણે વિચાર કરી બાદશાહ સલામતે નક્કી કર્યું કે શિવાજીને સિંહજી મારફતે જ દબાવો. ગાય બચાવીને રત્ન કાઢી લેવાને રસ્તે જડી આવ્યો. બાદશાહે શિવાજી મહારાજને સિહાજી મારફતે દરબારમાં લાવવાની યોજના રચી. પત્રવ્યવહાર અને સહેજસાજ કડવાશથી જ્યાં સુધી કામ પતતું હોય ત્યાં સુધી ગંભીર સ્થિતિ ઉભી કરવાની ઈચ્છા બિજાપુર સરકારની ન હતી. બાદશાહને એમ પણ લાગ્યું હતું કે જે સિહાજી બરાબર દિલથી દાબીને શિવાજીને લખે તે શિવાજી બાપનું અપમાન નહિ કરે. એક ફેરો શિવાજીને દરબારની ફેંચીમાં બરોબર ગોઠવી દીધો કે પછી તે આગળને રસ્તો બહુ સહેલે હતે. ગમે તે પ્રકારે, ગમે તે પ્રયાસે શિવાજી
18
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com