SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीरामायणनुं महत्त्व प्रीति करै रामायण माहीं, तेही सम माग्यवंत कोउ नाहीं ॥ “રામાયણુ, એ જગતમાં જેને જોટા મળતા નથી એવા અનન્ય સાહિત્યગ્રંથ છે.” વિવેકાન “રામાયથી ભારતવર્ષના સ્વા પરાયણુતાના દેષ જેટલા દૂર કરાયેા છે; તેટલા કાઈ પણુ નીતિવેત્તા, ધર્મવેત્તા, સમાજસુધારક, રાજપુરુષ કે રાજાથી પણ દૂર કરાયે। નથી.” કિમચંદ્ર ஆ કાવ્યનાં અને અંગ-કવિ અને નાયક-ની બાબતમાં રામાયણના બેટાના કાઇ પણ ગ્રંથ કાષ્ટ દેશમાં મળે તેમ નથી. રામચંદ્ર સમાન પ્રખર સામર્થ્યવાળા તથા ઉદાત્ત નીતિવાળા કોઇ પણ પુરુષ જગતભરના ઇતિહાસમાં દેખાતા નથી; તેમ મર્ષિ વાલ્મીકિ અને તુલસીદાસજી જેવી દિવ્ય પ્રતિભા તથા ઉચ્ચ કલ્પનાવાળા કવિ પણ કાઇ જણાતા નથી. હોમર તથા વલના ઇલિયડ' તથા ઈનીડ” અને મિલ્ટન કવિને પેરેડાઇઝ લાસ્ટ' પાશ્ચાત્યામાં ઉત્તમ ગણાય છે; પરંતુ એ બધા ગ્રંથા કરતાં રામાયણ ગ્રંથ કેટલા બધા શ્રેષ્ઠ છે? કદાચ કાઈ કાવ્યશક્તિમાં હેામર વગેરેને વાલ્મીકિની બરાબરીએ બેસાડે; પણ તેઓના કાવ્યનાયકા એકિલિસ વગેરે નીતિની દૃષ્ટિએ તે રામાયણના રામચ’દ્રાદિ કરતાં બહુ ઉતરતા છે. સારાંશ કે, રામાયણુ માટે આ લેાકેા જે અભિમાન ધરે છે તે યેાગ્યજ છે.’” ચિ’તામણ વિ. વૈદ્ય “રામાયણને વાંચીને અમે કઇંકના કંઇક બની રહીએ છીએ. અમારામાં ઉંચા ઉંચા ખ્યાલ ઉપજી મનુષ્યના ભૂષણરૂપ સા આવી હાજર થાય છે. સત્યાચરણ, પિતૃભક્તિ, પતિવ્રતા, પતિકતવ્ય, પિતામાતાના સ્નેહ, વિનય, ધીરજ, યા, સારાંશ કે માનુષી ગુણાનું એવુ` કાઈ ચિત્ર નથી કે જેનું યથાર્થ રૂપ કવિએ પેાતાની જાદુભરી કલમ વડે આમાં આલેખ્યું નથી. ” મિ. ગ્રેટ “રામાયણ એ કહેવામાં તેા એક મહારાજાનું જીવનચરિત્ર છે; પરંતુ વાસ્તવમાં તે એ ગ્રંથ આ સસારના મળને નાશ કરનારા અગ્નિરૂપ છે. એ અંધકારમાં પ્રકાશ, સ્ત્રીઓના ધર્માં, પુરુષાનુ પૌરુષ, બ્રાહ્મણેાનું બ્રહ્મતેજ, ક્ષત્રિયાના ક્ષાત્રધર્મ, વૈશ્યાનું ધન, શૂદ્રોના ધર્મ અને ગૃહસ્થાશ્રમી નરનારીઓને સુખદીપક છે. એ ગ્રંથરૂપી તેજસ્વી દીપક હાથમાં રાખીને જે કાઇ તેના પ્રકાશમાં ચાલે છે તે જીવનયુદ્ધમાં કદી પણ હારવાને નહિ. સતરામ શર્મા “એમાં સ્ત્રીસમાજની શક્તિ, પવિત્રતા તથા મહત્તા વિષે જેવા .. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034480
Book TitleBharat Dharm ane Andhara Rang Mahelno Raja
Original Sutra AuthorN/A
Author
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1936
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy