SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ પબના પ્રાદેશિક સંમેલનમાં આપેલું ભાષણ ૩૩૭ vvvvvvvvvvvvvvvvv સામ્રાજ્યથી સ્વતંત્ર રહેવું જોઈએ. એ સૌ વાતે માત્ર મોઢાની છે અને તે પણ એવી કે એની સાથે એના જેગની જવાબદારી તે કશી લેવાય નહિ. દેવતા જ્યારે સાંસ્થાનિક સ્વરાજ્ય અને આટનેમી એ બે વરદાન બે હાથમાં લઈને આપણી સામે ઉભે રહેશે અને પળમાત્ર પણ વિલંબ સહેશે નહિ, ત્યારે કયા વર સ્વીકાર તેને નિશ્ચય કરતાં મારામારી કરવી આવશ્યકજ હશે, તે તે નિરૂપાયે એમ પણ થશે. પણ જ્યારે ખેતરમાં ખેતી તે હજી થઈ નથી, તે પહેલાં ફસલને ભાગ પાડવા મારામારી કરવાની શી જરૂર ? વ્યક્તિ કહે કે જાતિ કહે, પણ મુક્તિ એ સોની ચરમસિદ્ધિ છે. પણ શાસ્ત્રમાં કહે છે કે, મુક્તિની બાધા તે આપણું અંદરજ રહેલી છે, એ બધાને પહેલાં કર્મ વડે ક્ષય ન કરી શકાય તે કઈ પ્રકારે મુકિત નથી. આપણે જાતિની મુક્તિનું મુખ્ય વિઘ આપણું પિતામાંજ નાના પ્રકારે રહેલું છે; કમ વડે એ સૌને નાશ નહિ થાય, તે તર્ક વડે થવાનો સંભવ નથી ને વિચાર વડે તે વધી જવાને સંભવ છે. સાયુજ્ય મુક્તિ સારી કે સ્વાતંત્ર્ય મુકિત સારી, એ વિચાર શાતિરક્ષા કર્યાથી અનાયાસે કરી શકાય; પણ સાચુ કહે કે સ્વાતંત્ર્ય કહે, પણ શરૂઆતની વાત તો એજ કે કર્મ. એ ઠેકાણે તે બંને દળનેએકજ માગે યાત્રા કરવી પડશે. એ સર્વ પ્રકૃતિગત કાર એ આપણે દરિદ્રને દુબળ, આપણે વિભક્ત, વિરુદ્ધ અને પરતંત્ર. એ કારણ દૂર કરવા જે આપણે સાચેસાચું મન હેય, તે આપણું સર્વ મતના લોકેએ એકઠું થવું પડશે. એ કર્મક્ષેત્રમાં જે આપણે સર્વેએ મળવું જ હોય તે એ મિલનને માટે એક ગુણનું ખાસ પ્રજન છે અને એ ગુણ તે અમત્તતા છે. આપણે જે સાચા બળવાન પુરુષની પેઠે વાતમાં ને વ્યવહારમાં, વિચારમાં ને આચારમાં પરિમાણની રક્ષા કરી ચાલી ન શકીએ તે એજ મિલન ભા. ૨૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034480
Book TitleBharat Dharm ane Andhara Rang Mahelno Raja
Original Sutra AuthorN/A
Author
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1936
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy