SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ કહોડા નાખવો જોઈએ. જો એમ ન કરે, પિતાના રાજદંડને જે વિશ્વવિધિ કરતાં પણ મેટે માને તે પછી એ ભયંકર અંધતાએ કરીને દેશમાં પાપના બેજાને ઢગલો કરી દઈ એક દિવસ એ આણે કે ત્યારે એ ભયંકર જુદાઈને કારણે જ દેશમાં દારુણ દાવાનળ સળગી ઉઠયા વિના રહે નહિ. દેશના અંતર અંતરમાં જ રેજ જે ચિત્તવેદના એકઠી થતી જાય છે તેને માત્ર કૃત્રિમ માનીને પોતાને બળે ફૂલેલે અંગ્રેજ હસી કાઢી શકે–મેલિ તેને ન ગણકારીને રાજનીતિને બુદ્ધિનું લક્ષણ માની શકે અને ઇલિયટ તેને પરાધીન જાતિની સ્પર્ધા માનીને ઘડપણમાં પણ દાંત કચકચાવી શકે, પરંતુ આ બિચારા નબળાની વેદનાને હિસાબ કેાઈ જ રાખતું નથી એમ માને છે ? બળવાન જ્યારે માની લે કે, મારા અન્યાય કરવાના નિરકુશ અધિકારને હું કબજે રાખવાને નહિ, છતાં પણ ઈશ્વરના વિધાન પ્રમાણે તે એ અન્યાયને જરૂર બદલો લેવાની વૃત્તિ માનવહૃદયમાં ધીરે ધીરે ધૂમાઈ ધૂમાઈને સળગી ઉઠે; એ વૃત્તિને જ માત્ર અપરાધી માનીને તેને બરાબર દાબી દઈ નિરાંતે સૂઈ રહે અને એ રીતે પ્રબળ બળ વડેજ પિતાના બળના મૂળમાં કુહાડાને ઘા કરે. કારણ કે ત્યારે એ અશક્તના ઉપર ઘા કરતો નથી, પણ વિશ્વબ્રહ્માંડના મૂળમાં જે શક્તિ રહેલી છે તે વાશક્તિની સામે પિતાને મુક્કો ઉગામે છે. જો તમે એમ કહે કે, જે વેદના હથિયાર વિનાનાને પણ આમ સળગાવી મૂકે છે, જેથી આવા નબળાની પણ ધીરજ છૂટી જાય છે ને તેથી તે પિતાને જ નાશને માર્ગે દોડયે જાય છે, એ બાબતમાં અમારો પાશ્ચાત્યને કશે હાથ નથી, અમે કયાંય પણ અન્યાય કરતા નથી, અમે માત્ર સ્વાભાવિક બેદરકારીને કે ઉદ્ધતાઈને કારણે રોજ રોજ અમારા કરેલા ઉપકારને તમારી આંખમાં અરુચિકર બનાવી મૂકતા નથી; જે માત્ર અમારે જ દેષ કાઢીને અમારા સામે કહે કે અમારાથી થઈ શકયું નથી એટલા માટે અસંતુષ્ટ થવું એ ભારત વગરકારણે અપરાધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034480
Book TitleBharat Dharm ane Andhara Rang Mahelno Raja
Original Sutra AuthorN/A
Author
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1936
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy