SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ રસ્તા ને રસ્તાનું ભાથું અગ્નિશિખામાં પડતું મૂકે છે. એ તે ગમે તે હોય–ગમે તે થઈ ગયું, પણ શક્તિનું અભિમાન લાત ખાઈને જાગી ઉઠયું એ જાતિને માટે અનિષ્ટ છે, એમ તે કહી શકાય નહિ. ત્યારે વખતે વિરેધને કેધભર્યા આવેશને લીધે આપણે આ ઉદ્યમ અકસ્માત્ ફળી ઉઠયો છે એમ માનીને આપણામાંના કેઈ કઈ દેશની શક્તિ વિરોધની મૂર્તિમાં જ છે એમ માની બેસે છે. પણ જેમને સામાન્ય અવસ્થામાં કેઈ દિવસ સ્વાભાવિક સ્નેહને કારણે દેશહિતમાં ઉભા રહેવાને અભ્યાસ નથી, અનેક દિવસની ધીરજ વડે અનેક સાધને અનેક વિદમાં થઈને ઉચા સંકલ્પને સફળ કરવાની જેમને પ્રકૃતિ નથી, જેઓ અનેક દિવસથી રાજકારભારના વિકટ કાચથી દુર્ભાગ્યને કારણે નીકળી ગયા છે ને નાના નાના સ્વાર્થો સાધવા માટે સાંકડા મનથી જીવનનાં કામ કરતા આવ્યા છે, તેઓ એકદમ ક્રોધ કરીને નિમેષમાત્રમાં દેશનું સમસ્ત હિત કરી નાખે, એ કઈ રીતે બની શકે એમ નથી. સામાન્ય દિવસે તે વહાણની પાસે પણ ગયે નથી, તેને તોફાનને દહાડે ઉતાવળે ઉતાવળે હાથમાં સુકાન પકડી મોટે માછી થઈ બેસું ને દેશમાં વાહવાહ બોલાવું એ સંક૯૫ તે સ્વમમાં જ આવ સહેલું છે. માટે આપણે પણ ઠેઠ શરૂઆતથી માંડીને કામ કરવું પડશે. એથી વિલંબ તે થશે જ, પણ વિપરીત ઉપાયે તે એથી પણ વધારે વિલંબ થશે. માનવી વિશાળ મંગળ સાધે, તપસ્યા વડે કેધથી કે કામથી એ તપસ્યાને ભંગ થાય; અને તપસ્યાના ફળને પળવારમાં નાશ થઈ જાય; આપણા દેશના કલ્યાણ માટે પણ એકાન્તમાં નકકી તપસ્યા થાય છે. ઉતાવળે ફળ મેળવવાને એને લાભ નથી. પ્રસંગે પ્રસંગે થતી આશાભંગને કે એ દાબી રાખે છે. એ સમયે આજ અકસ્માત અને ધીરી ઉન્મત્તતા યજ્ઞક્ષેત્રમાં લેહી વરસાવી, એની બહુ દુઃખે સંચિત કરેલી તપસ્યાના ફળને કલંકિત કરી નષ્ટભ્રષ્ટ કરવાને આ ઉદ્યોગ મંડાવે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034480
Book TitleBharat Dharm ane Andhara Rang Mahelno Raja
Original Sutra AuthorN/A
Author
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1936
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy