SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ રાજભક્તિ ૨૪૩ * ખુમારીથી ગાંડા બનેલા માણસની પેઠે આજ જે અવસ્થામાં એ છે એ જે આપણે બરાબર અનુભવીએ તે આપણને પણ એ બિચારાની દયા આવે. એને અધિકારની એવી લેપતા લાગી હતી કે ભારતવર્ષના બીજા કેઈ અધિકારીએ એવી દેખાડી લાગતી નથી. એ લાટ સાહેબે ભારતવર્ષના જૂના કાળના બાદશાહના જે દરબાર ભરવાને સંકલ્પ અને કર્યો જાણી જોઈને દરબારનું સ્થાન દિલ્હી ઠરાવ્યું. પણ એ બાદશાહે તે સમજતા કે, દરબાર સત્તા દેખાડવા માટે નથી, દરબાર તે રાજા સાથે પ્રજાના આનંદમેળાને ઉત્સવ છે. તે દહાડે માત્ર રાજા પિતાના પ્રતાપથી પ્રજાને મૂઢ નહોતે કરી મૂકતે, પણ એ પ્રતાપ વડે પ્રજાને પાસે બેલાવતું હતું. એ દિવસ તે દયા કરવાને, દાન કર વાને, કારભારને સુન્દર બનાવવાને શુભ અવસર હતા. પણ પશ્ચિમના તાજા નવાબ તે દિલ્હીના જૂના ઈતિહાસને બાજુ રાખીને અને સેદાગરની કંજુસાઈ વડે દાન–ઉ. દારતાને કાપીકુપીને કેવળ પ્રતાપને ચકચકતે કરી આગળ ધરે છે. એથી કંઈ અંગ્રેજને રાજવૈભવ આપણી સામે મેટે દેખાતું નથી. એથી દરબારને હેતુ પૂરેપુરી રીતે રદ ગયો છે. એ દરબારના અસહ્ય તાપથી દેશનાં હૃદય પીડાય છે ખરા; બાકી આકર્ષાયાં તે લેશમાત્ર નથી. આટલા બધા ખોટા ખર્ચ નું કંઈ ફળ રહી જાય તે એ અપમાનની યાદગીરી સોનાની સળીનું કાજ, લેઢાની સળી સારવા જાય તે અફળ તે જય જ, એટલું જ નહિ પણ ઉલટું ફળ આવે. આ વખતે રાજપુત્રને ભારતવર્ષમાં આવ્હે. રાજનીતિને હિસાબે તે આ યુક્તિ અતિ ઉત્તમ છે. કારણ કે ભારતવર્ષ. નું હૃદય સાધારણ રીતે બહુ કાળથી રાજવંશી તરફ આકર્ષાય છે. એટલા માટે દિલ્હી દરબારમાં ડયુક ઑફ કેનેટ હાજર હોવા છતાં કર્ઝન દરબારને તખ્ત ચઢયો તેથી સમસ્ત ભારતવાસીઓને નવાઈ લાગી. એવે ઠેકાણે ડયુકને હાજર રહેવું એજ ઠીક નહતું. ખરેખર, લેકેએ માની લીધું હતું કે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034480
Book TitleBharat Dharm ane Andhara Rang Mahelno Raja
Original Sutra AuthorN/A
Author
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1936
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy