SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ १८-शाहीवाद વિલાયતને શાહીવાદને નશો ચઢે છે. ત્યાંના અનેક લેક તાબાના દેશને તથા સંસ્થાને ને જેડી બાંધી ઉપસર્ગ બનાવી અંગ્રેજી સામ્રાજ્યને લગાડી દેવાની ચિંતામાં પડયા છે. વિશ્વામિત્રે નવી સૃષ્ટિ સુજવાને ઉદ્યોગ માંડે હતે; સ્વર્ગની સાથે હરીફાઈ માંડીને એક રાજાએ સ્તંભ ઉભે કરવાની ચેષ્ટા કર્યાની કથા બાઈબલમાં આવે છે; ખુદ રાવણને માટે પણ એમજ કહેવાય છે. એવા એવા મને રથ ધરતીને તળીઓ ઉપર અનેક વાર અનેક લેકના મનમાં પેદા થયેલા આપણે જાણ્યા છે. એ મને પાર તે પડે ના, પણ ધૂળભેગા ભળતા પહેલાં જગતમાં કંઈ ને કંઈ તફાન મચાવ્યા વિના પણ રહે નહિ. અંગ્રેજોના દેશમાં પણ આવા મને રથનાં મોજાં લૈર્ડ કર્ઝનના મનમાં ઉછળી રહ્યાં છે, તે એમના તે દિવસના ભાષણ ઉપરથી જણાઈ આવે છે. જોયું છે કે કઈ કઈ વર્તમાનપત્ર કદી કદી એ વિષય સંબંધે ઉત્સાહમાં આવી જાય છે ને કહે છે કે વાત તે સારી છે, ભારતવર્ષને બ્રિટિશ સામ્રાજ્યમાં દાખલ થવાને અધિકાર આપો ને? એમ વાત પકડી લીધાથી અધિકાર મળે નહિ–અરે, છાપામાં પંડિતાઈ ભરેલા લેખો લખે પણ દુર્બળને હક્ક સચવાય નહિ. આથી જ્યારે જોઈએ છીએ કે, આપણા ઉપરવાળાને એ તે શાહીવાદનું ભૂત વળગ્યું છે, ત્યારે તે મનમાં કશી આશા રહેતી નથી. તમે કહેશે કે, તમને આટલી બધી બીક લાગે છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034480
Book TitleBharat Dharm ane Andhara Rang Mahelno Raja
Original Sutra AuthorN/A
Author
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1936
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy