SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ ભારતધર્મ ચાલે, પણ તે સ્થાને અધિકારસ્વરૂપે તે ચાલેજ નહિ; એથી પેટમાં વખતે બળતરા થાય. મનમાં એમ થાય કે, અપમાન કરી પાછા કાઢ, પણ એ અપમાન–એ વ્યર્થતા શદે કે નિઃશબ્દ પિકારીએ, પણ પેટમાં ઉતારી દઈ પચાવી લેવા સિવાય બીજે રસ્તે ક? એ તે એમ હમેશાં થયા કરે છે. આપણે વિરાટ સભાઓ કરીએ, વર્તમાનપત્રમાં લેખ લખીએ. અને છેવટે જે હજમ ન થઈ શકે એવું હોય તે હજમ પણ કરી જઈએ. ગઈ કાલે જેને એકવારે અસહ્ય માની ચીસે પાડી તરફડતા હતા, તેને માટે આજે હવે વૈદ્ય બોલાવવાની જરૂર માનતા નથી. મને લાગે છે કે, બધા મને કહેશે કે તમે તે બહુ પુરાતન કથા બોલે છે; પિતાનું કામ પતેજ કરવું પડશે, પિતાનું કલંક તેજ દૂર કરવું પડશે, પિતાની સંપદ્ પિતેજ કમાવી પડશે, પિતાના સંમાનને ઉદ્ધાર પતેજ કરે પડશે એ કંઈ નવી વાત છે? બેશક, વાતે તે પુરાતન કહું છું એ અપવાદ હું સ્વીકારી લઉં છું, હું નવી વાતો વિનાને છું એ કલંક માથે ચઢાવું છું; પણ જે કોઈ એમ કહે કે, તમે નવી કયી વાત બતાવે છે ત્યારે મારી મુશ્કેલી ! કારણ કે સહજ બાબતને કેમ કરીને પ્રમાણ કરી દેખાડવી એ વિચારવું બહુ કઠણ છે. દુસમયનું મુખ્ય લક્ષણ એ કે, સહજ બાબત કઠણ લાગે અને પુરાતન બાબત અદ્ભુત લાગે, એટલે સુધી કે લેક ગાળ દેવા તૈયાર થઈ જાય. જનશુન્ય પધ્રાના ભાઠામાં અંધારી રાત્રે માર્ગ ભૂલી જળને સ્થળ, અને ઉત્તરને દક્ષિણ માની ભ્રમિત થયેલેજ જાણે કે જે અત્યંત સહજ છે, તે અંધારે કેવું વિપરીત ને કઠણ થઈ પડે છે; દી આવે કે પળમાત્રમાં એ ભ્રમને માટે વિસમયને પાર રહે નહિ. આપણે અત્યારે અંધારી ઘેર રાત્રિમાં છીએ, આજે દેશમાં જે કંઈ અત્યંત પ્રામાણ્ય વાતને પણ વિપરીત જ્ઞાન માની કડવાં વચન કહે, તે તે પણ સકરુણ ચિત્તે સહન કરવો પડે, આપણા કુગ્રહ સિવાય બીજા કેઈને દેષ દઈશું નહિ. આશા રાખીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034480
Book TitleBharat Dharm ane Andhara Rang Mahelno Raja
Original Sutra AuthorN/A
Author
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1936
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy