SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતધર્મ કેઈ કાયમની કિંમતી વસ્તુનું રક્ષણ પણ ન થઈ શકે. પણ વેગ સિવાય કામ ચાલે નહિ અને કામ સિવાય સમાજ ચાલી શકે નહિ. એટલા માટે ભારતવર્ષે પિતાના સમાજમાં ગતિ અને સ્થિતિ બંનેને યોગ કર્યો છે. ક્ષત્રિય, વૈકય વગેરે જેઓ હાથપગે સમાજનું કામ કરી શકે એમ છે, તેમના કામની સીમા નકકી કરેલી હતી. એટલા માટે ક્ષત્રિયે ક્ષાત્રધર્મના આદર્શનું રક્ષણ કરી પિતાના કર્તવ્યને ધમની અંદર ગણી લેતા. સ્વાર્થ અને પ્રવૃત્તિથી ઉંચે વિરાજતા ધર્મની ઉપર કર્તવ્યને સ્થાપે, કામની અંદર પણ વિશ્રામ અને આધ્યાત્મિક લાભ મળી શકે. યુરોપિયન સમાજ જે નિયમે ચાલે છે, તે નિમે ચાલતાં ચાલતાં એક દિશામાં લેક ઝૂકી પડે. ત્યાંના બુદ્ધિશાળી લેક રાજકારભારમાં ઝૂકાવે છે, સાધારણ લેક ધંધારોજગારમાં ભીડ કરે છે. આજને સમયે સામ્રાજ્યની લેહુપતા બધાને ગળી બેઠી છે અને જગતને વહેચી ખાવાની તજવીજ ચાલે છે, એવે સમયે શુદ્ધ જ્ઞાનચર્ચા કરવાનું લેકને મન થાય નહિ, તે એમાં નવાઈ નહિ. એવે સમય પણ આવી શકે કે જ્યારે જરૂર પડશે પણ લશ્કરમાં ભરતી કરવા માણસ મળે નહિ, કારણ કે પ્રવૃત્તિને કે ટાળી શકે? જે જર્મની એક વાર પંડિત હતું એ જમની આજે જે વેપારી થઈ બેસે, તે એના પાંડિ. ત્યને ઉદ્ધાર કરશે કે જે અંગ્રેજ એક દહાડે ક્ષત્રિય ભાવે દુખી જનનાં દુઃખ ફડવાનું વ્રત લઈ નીકળ્યું હતું તે જ્યારે ટાટીને જેરે પૃથ્વીની ચારે વાટે દુકાને કાઢવા દેવાદોડ કરી મૂકે, ત્યારે તેને એ પુરાતન ઉદાર ક્ષત્રિયભાવ એને કે પછી લાવી આપશે? એ ઝોકની ઉપર કામને બધે જો ન રાખતાં નિયમે બંધાયેલી સુવ્યવસ્થા રાખીને કામ કરવું એ ભારતવર્ષના સમાજની પ્રણાલી, સમાજ જે સજીવ હેય, બહાર ના પ્રહારથી ભાગી ન પડે, તે એ પ્રણાલી પ્રમાણે હમેશાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034480
Book TitleBharat Dharm ane Andhara Rang Mahelno Raja
Original Sutra AuthorN/A
Author
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1936
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy