SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતધર્મ સારા કામ કરાવી એક સનમ સરકારની એ નીતિ છે, પણ સ્વાભાવિક રીતે, જાણ્યે અજાણ્યેજ કામ એ રસ્તે કઢાય. નદીનું વહેણું કઠણ માટીથી લાગી પિચી માટીને તેડી વહી જાય. આથી હજાર રીતે ધમની વાત કહેવા છતાં પણ સરકાર એનાથી દૂર થઈ શકે એમ માની શકતી નથી. આપણે કેસે ભરીએ છીએ, વિલાયતમાં આલન કરીએ છીએ, અમૃતબઝાર પત્રિકામાં લેખ લખીએ છીએ, દેશના ઉચેથી નીચે સુધીના સી અધિકારીઓનાં કામ ઉપર ટીકા કરીએ છીએ, અનેક વાર તેમને બરતરફ કરાવી શકીએ છીએ અને ઈલાંડમાંના અપક્ષપાતી ગરાઓની મદદ લઈ ભારતના રાજ્યકારભારીઓ વિરુદ્ધ વહીવટમાં અનેક સુધારા કરાવી શકીએ છીએ. આપણાં એ કામથી અંગ્રેજ એટલા બળી ઉઠે છે, કે રાજ્યવહિવટના મેટા તમારખાં ને બડેખા પણ વચ્ચે વચ્ચે આગ ઓકી જાય છે. બીજી બાજુએ રાજભક્તિને કારણે ભ્રષ્ટ થઈ પડી કેગ્રેસના રસ્તામાં ફાચર થઈ પડે છે. આ સૌ કારણેથી ગેરાના મનમાં વિકાર થઈ ઉઠે છે. સરકારને આમાં કંઈ હાથ નથી ! માત્ર આટલું જ નથી. કેગ્રેસ કરતાં પણ ગોરક્ષણ સભાએ રાજકર્તાના મનને વધારે ગભરાવે છે, એ જાણે છે કે, ઈતિહાસની શરૂઆતથી આજ સુધી આત્મરક્ષણને માટે હિંદુ જાતિ કદી એક થઈ નથી, ને હિંદુજાતિ ગેરક્ષાને માટે એક થઈ શકે તેથી એ કારણે હિન્દુસુસલમાન વચ્ચે વિરોધ ઉભે થયો, ત્યારે સવાભાવિક રીતે જ અંગ્રેજનું મન હિંદુ ઉપર બળી ઉઠયું. ત્યારે એ વિરોધમાં કર્યો પક્ષ વધારે અપરાધી છે, અથવા બેય પક્ષ છેડે ઘણે અંશે અપરાધી છે કે નહિ, તે પક્ષપાત વિના શાંતચિત્તે વિચાર કરી જવાની અંગ્રેજની શક્તિ બહુ ઓછી હતી. એવે વખતે તેઓ ડરી જઈને અમુક રાજનૈતિક સંકટ કેમ દૂર કરી દેવું એ તરફ જ વધારે નજર રાખી હતી. “અંજને ભય” એ લેખમાં મેં સાંતાલ લેકને દબાવી દેવાનું ઉદાહરણ આપી દેખાડયું હતું કે, બીક લાગે એટલે ન્યાય વિચાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034480
Book TitleBharat Dharm ane Andhara Rang Mahelno Raja
Original Sutra AuthorN/A
Author
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1936
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy