________________
સંપ્રતિ મહારાજાએ જે જે સત્કાર્યો કર્યા હોય તે સવ અહાર આવે એ સર્વથા ઇષ્ટ છે; પણ તેમ કરતાં, તેમની કીર્ત્તિ ખાટી રીતે વધારવાના કે તેમણે જે કાર્યાં ન કર્યાં હાય તે તેમનાં ગણવાના કે ગણાવવાના પ્રયાસ નજ થવા જોઇએ એ કહેવાની ભાગ્યે જ જરૂર છે. એવુ” થાય તા, ખીજાની વસ્તુ પાતાની તરીકે અપનાવવાના પ્રયત્ન કરવાના આક્ષેપ, એવા પ્રયત્ન કરનાર તેમજ તેના ધર્મબ એ ઉપર થવાના સંભવ છે એ દેખીતુ છે.
ડા. શાહના ઉપર્યુંક્ત લેખમાં, મહારાજા સંપ્રતિની કીર્ત્તિ ખોટી રીતે વધારી દેવાના અનેક પ્રયાસે। થયા છે. તેમના એ પ્રયાસે યથાયેાગ્ય રીતે સમજવા માટે, આપણે પ્રથમ મહારાજા સંપ્રતિનાં જીવનથી પરિચિત થવું અને તેમનાં જીવનનાં કેટલાંક કાર્યાંની ઝાંખી કરવી એ આવશ્યક છે.
સમ્રાટ્ સપ્રતિ
મગધપતિસમ્રાટ્ સંપ્રતિ ભારતવર્ષના ઇતિહાસમાં મશહુર છે. જૈન સમ્રાટ્ તરીકે, તેમનું નામ પ્રાચીન તેમ જ અર્વાચીન જૈન ગ્રંથામાં સુવિખ્યાત છે. તેમના જ ભગીરથ પ્રયત્નાથી, જૈનધમ સકુચિત વસ્તુલ ( circle ) માંથી ખહાર આન્યા હતા અને તેના ખૂણે ખૂણે પ્રચાર થવાથી, જૈનધર્મના અનુયાયીઓની સ ́ખ્યા ખૂબ વધી હતી.
સંપ્રતિ મહારાજાએ ભારતવર્ષની બહારના અનેક દેશમાં પણ ધપદેશક માકલ્યા હતા. સુપ્રસિદ્ધ યુરોપીયન અને
ભારતીય વિદ્વાના પણ આ વાત હવે માન્ય રાખે છે. સંપ્રતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com