SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ-સુધાસિંધુ સુધાદિ ૧ લું. લણ ઉપર ભરોસો રાખવો એ કેવળ ઠગાવાનો ધંધે છે. આમાં તો આપણે આપણું પરમ તારક શ્રી વીતરાગદેવના પરમ પવિત્ર વચનો ઉપજ શ્રદ્ધા રાખીને વર્તવું જોઈએ? રસવૃત્તિ ઉપર કાબુ. બે ઇન્દ્રિયના સ્વાદમાં જ આનંદ સમાયેલું હોય તે તો મુસલમાન કે કાઠિયનના કુળમાં અવતાર લે વધુ ઉત્તમ ગણાય ! કે જ્યાં કઈ પણ પ્રકારના ભેજન માટે જરા પણ પ્રતિબંધ મૂકવામાં નથી આવ. હિંદુ બનવામાં તે ઓછામાં ઓછો માંસ મદિરાનો ત્યાગ તો અવશ્ય કરે પડે છે. મુસલમાન બનવામાં બધી 2 છે છતાં ડુકકરના માંસથી ત્યાં પણ અળગા રહેવું પડે છે. જ્યારે કીશ્ચિયન કુળમાં તે કઈ પણ પ્રકારના ભેજનનો પ્રતિબંધ નથી. ખાવાપીવાની દષ્ટિએ જ જો વિચાર કરીએ તો તે જૈન ધર્મનું સ્થાન સૌથી છેલ્લે જ આવે ! કારણકે ત્યાં અનેક વસ્તુઓને અભક્ષ્ય બતાવી છે અને એ વસ્તુઓને ભક્ષણથી સર્વથા અળગા રહેવું પડે છે અને જે ખાવુંપીવુંજ ને ઉત્તમ ગણીએ તો તે તમે બધા ખરેખર કમનસીબજ ગણા કે વિધાતાએ તમને આવા અનેક પ્રકારના પ્રતિબંધવાળા શ્રાવકના કુળમાં જન્મ આપે, પણ જગતમાં કઈપણ સ્થળે ખાવાપીવાની અમર્યાદિતતાને ઉત્તમપણાના કે ઉત્તમ કળના લક્ષણ તરીકે કદી પણ વર્ણવવામાં નથી આવી. ઉત્તમ કુળની ખરી ખુબી તે એની ખાનદાનીમાં રહેલી છે, અને એ ખાનદાની, બીજા જીવોને ઓછામાં ઓછું દુઃખ દેવાની શુદ્ધ ભાવનામાં નહિ મળે તે બીજે કયાં મળશે ? અને એ ભાવનાને આચરણમાં ઉતારવાનો સાથી સારામાં સારે અને અત્યંત જરૂરી માર્ગ તે છડેન્દ્રિય સંયમ! આ સંયમ જે માણસ મેળવી શકે તે પિતાના બી જા અંગો ઉપર પણ બહુજ સરળતાથી કાબુ મેળવી શકે ! ઢાલની બીજી બાજુ. બાકી એ તો સાવ સમજી શકાય એવી વાત છે કે જે સ્ત્રી સદાચાર નામી વસ્તુનું અસ્તિત્વ જ સ્વીકારતી ન હોય, શીયળ-બ્રહ્મચર્ય જેવી વસ્તુમાં જેને શ્રદ્વાજ ન હોય અને વેશ્યાવૃત્તિને જે સુંદર વસ્તુ ગણતી હોય તે સ્ત્રી પોતાના ઉત્તમ કુળને, ડગલે ને પગલે પિતાના મનપતંગના વિહારમાં આડખીલીરૂપ માને, અરે એ કુળને એક પ્રકારના શાપરૂપ માને છે તેનાથી દૂર થવાના વિચારો કર્યા કરે ! તેજ પ્રમાણે જૈનકુળમાં ઉત્પન્ન થવા છતાં જેને રાત્રિભોજન કે કંદમૂળાક્ષણ છોડવું ગમતું નથી તેવાઓ પિતાના કુળને વગેરે તે તે સાવ સ્વાભાવિકજ ગણાય ! તિથિ કે પર્વના દિવસે લીલેતરી છોડવાની વાત આવે કે એની બુદ્ધિ બોલી ઉઠે કે શું પર્વ અને તિથિઓના દિવસોમાં સૂર્યોદય નહોતે થયો અને બીજા આડા દિવસે થયો હતો કે જેથી એમાં અમુક દિવસે અમુક ખાવું અને અમુક દિવસે અમુક ન ખાવું એ ભેદ પાડો. જે વસ્તુમાં કુદરત ભેદ નથી કરતી એ વસ્તુમાં માણસે શા માટે ભેદ કરે? સૂર્યને માટે તેરશ અને ચૌદશ બન્ને સરખાં છે તે પછી એક દિવસે લીલોતરી ખાવી અને એક દિવસ ન ખાવી એવું શા માટે? પણ સાત્વિક વૃત્તિને ધાર્મિક માણસ કદી આવી યુક્તિઓના પાશમાં સપડાતું નથી. એ તો એક જ વસ્તુ ધ્યાનમાં રાખે છે કે જેમ બને તેમ પાપનું પિષણ ઓછું કરવું. અગર આડા દિવસે આપણે પાપનું સેવન કરીએ છીએ તે શું એને અર્થ એ થાય ખરો કે દરેક દિવસે એ પાપનું સેવન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy